શોધખોળ કરો
ગાંધીનગર ગયેલા કારડિયા રાજપૂત નેતાઓને ભાજપના ક્યા ટોચના નેતા મળ્યા જ નહીં? જાણો વિગત
1/5

અમદાવાદ: ભાવનગર જીલ્લાના બુધેલ ગામની ગૌચરની જમીન પચાવી પાડવાના મામલે સરપંચ દાનસિંહ મોરીએ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સામે મોરચો માંડ્યો છે. આજે દાનસિંહ મોરીએ એવી ચિમકી ઉચ્ચારી છે કે, રાજપૂતોનું અપમાન કરનારાં ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં જડબાતોડ જવાબ મળી જશે.
2/5

ભાજપે એવો ખુલાસો કર્યો કે, જીતુ વાઘાણીએ કારડિયા રાજપૂત સમાજની કોઇ માફી માંગી નથી. જેના પગલે રાજપૂતો વિર્ફ્યા છે. કારડિયા રાજપૂત આગેવાનો ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલને મળવા પહોંચ્યા હતાં પણ તેઓ મળી શક્યાં ન હતાં. અમિત શાહ પણ મળી શક્યા ન હતાં.
Published at : 14 Nov 2017 12:32 PM (IST)
View More























