શોધખોળ કરો
કોંગ્રેસ બંધના એલાન વચ્ચે અમદાવાદ, વડોદરામાં બસોના કાચ તોડ્યા અને રસ્તાઓ પર ટાયર સળગાવ્યા, જાણો વિગત
1/4

અમદાવાદના શાહપુર ખાતે હલિમની ખડકી પાસે ભારત બંધને પગલે બે સીટીબસના કાચ તોડવામાં આવ્યા છે. કોઈ અજાણ્યા લોકોએ બસના કાચમાં તોડફોડ કરી છે. અમદાવાદમાં સોમવારે ભારત બંધના પગલે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો છે.
2/4

કોંગ્રેસના બંધને પગલે વડોદરામાં મોડીરાત્રે કારેલીબાગ રાત્રી બજાર પાસે ટાયરો સળગાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં સીટી બસ અને એસટી બસોના કાચ પણ તોડવામાં આવ્યા હતાં. રાત્રે જ બંધના પગલાં પડતા પોલીસ એલર્ટ જોવા મળી હતી.
Published at : 10 Sep 2018 09:15 AM (IST)
Tags :
Ahmedabad PoliceView More





















