શોધખોળ કરો
અમદાવાદમાં સામાન્ય બાબતે પિતાએ જ પુત્રની કરી હત્યા, જાણો વિગત
1/3

ઘટના બાદ તેઓનાથી પુત્રનું મોત થયું હોવાનું અહેસાસ થતાં ગોવિંદભાઈ તેમની પત્ની સાથે અમરાઈવાડી પોલીસ સ્ટેશન પહોંચીને હાજર થઈ ગયા હતા. જ્યાં પીઆઈ જે.એસ.નાયકે જણાવ્યું હતું કે, ટીવી રિચાર્જ બાબતે પિતા-પુત્ર વચ્ચે બોલચાલીમાં બનાવ બન્યો હતો, હાલ પિતાની અટકાયત કરવામાં આવી છે.
2/3

અમરાઈવાડીના જોગમાયાનગરમાં આવેલા ફ્લેટમાં રહેતા ગોવિંદભાઈ પરમારે તેના પુત્ર અજય સાથે શનિવાર સાંજે ટીવીના રિચાર્જ બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં અજયે ટીવી ઉંચકીને નીચે ફેંકી દેતાં તેના પિતા ગોવિંદભાઈને ગુસ્સો આવ્યો હતો. ગોવિંદભાઈએ અજયને લાકડી વડે ઢોર માર માર્યો હતો. અજયને એ હદે માર માર્યો હતો કે તેનું મોત થઈ ગયું હતું.
Published at : 27 Jan 2019 07:51 AM (IST)
View More





















