શોધખોળ કરો
ગુજરાત સરકારના કર્મચારીઓને ક્યારે મળશે નવા પગાર પંચનો લાભ ? જાણો શું કહ્યું નાણાં મંત્રીએ
1/3

નોંધનીય છે કે ગુજરાત સરકારે છઠ્ઠા પગાર પંચનો પૂરો અમલ કર્યો નથી અને હજુસુધી મેડિકલ, એચઆરએ સહિતના ભથ્થાં કેન્દ્રના ધોરણે અપાતા નથી. આ સિવાય 10-20-30ના ઉચ્ચતર પગારધોરણનો લાભ શિક્ષકોને આપ્યો છે પરંતુ અન્ય કેડરમાં તેનો અમલ કરાયો નથી. એક જ સરકારમાં કર્મચારીઓ માટે જુદા જુદા ધોરણો અપ્નાવવામાં આવ્યા છે.
2/3

અમદાવાદઃ કેન્દ્ર સરકારે સાતમા પગારપંચ અંગે પરિપત્ર બહાર પાડી દીધો છે. કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓને ઓગસ્ટ મહિનાથી જ પગાર વધારો મળવાની શક્યતા છે. કેન્દ્રના કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ મળ્યા બાદ ગુજરાત સરકાર પણ પોતાના કર્મચારીઓને આ લાભ ક્યારે આપશે તે જોવાનું રહેશે. જોકે, રાજ્ય સરકારના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ ક્યારથી આપવો, તે નક્કી કરવા માટે મુખ્યમંત્રી દ્વારા ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરાશે ત્યારબાદ આ અંગેનો નિર્ણય લેવાશે.
Published at : 27 Jul 2016 11:40 AM (IST)
View More





















