શોધખોળ કરો
શંકરસિંહ બાપુ બગડતા કોગ્રેસ પાણીમાં બેઠી, યુથ કોગ્રેસનો કાર્યક્રમ જ રદ, જાણો શું અપાયું બહાનું
1/6

કોંગ્રેસનું એક જૂથ ઇચ્છે છે કે શંકરસિંહના કાર્યકરોનો પાયો મજબૂત છે અને તેઓ વ્યુહ રચના ઘડવામાં માસ્ટર છે અને કાર્યકરોને ગમતા નેતા છે. તેઓ એક જ એવા નેતા છે જેઓ વડાપ્રધાન, સંઘ અને ભાજપને સારી રીતે જાણે છે. જયારે બીજુ જૂથ માને છે કે, બાપુના આદર્શો મૂળ કોંગ્રેસી જેવા નથી. જો તેઓ પક્ષ છોડી દેશે તો કોંગ્રેસને વધુ ફાયદો થાય તેમ છે. જો કે થોડા દિવસથી શંકરસિંહનું મૌન પક્ષના કાર્યકરોને અકળાવી રહ્યુ છે.
2/6

શંકરસિંહ વાઘેલાની નારાજગીને પગલે કાર્યક્રમ રદ કરાયો હોવાનું માનવામાં આવી રહ્યુ છે. એક તરફ કોગ્રેસ વાઘેલાની માંગણીઓ સ્વીકારવા તૈયાર નથી તો બીજી તરફ પક્ષના દરેક નિર્ણયમાં તેમને વિશ્વાસમાં લેવામાં આવી રહ્યા છે. પક્ષમાં હવે એવી ચર્ચા ઉઠવા લાગી છે કે વાઘેલા પક્ષ માટે લાભદાયી છે કે નથી ?
Published at : 08 Jun 2017 02:11 PM (IST)
View More























