જનવિકલ્પ મોરચામાં જનવિકલ્પ પાર્ટી અને ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટી ઘટક પાર્ટીઓ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે તેમણે પસંદ કરેલા ઉમેદવારો ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી ચિન્હ ટ્રેકટર ચલાવતા કિસાન પર ચૂંટણી લડશે.
8/8
ગુજરાતમાં કોંગ્રેસથી છેડો ફાડ્યા બાદ ખોવાઈ ગયેલા ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના જનવિકલ્પ મોરચાએ પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાવાની છે તે રાજ્યની 89 બેઠકોમાંથી 69 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હોવાની જાહેરાત કરી છે. જનમોરચાએ કઈ બેઠક પર કોને ઉભા રાખ્યા તેની યાદી આ પ્રમાણે છે. આજે પત્રકાર પરિષદને સંબોધતાં શંકરસિંહ વાઘેલાએ ચૂંટણી પ્રતિક તથા ચૂંટણી ઢંઢેરાની વિગતો જાહેર કરી હતી. આ પ્રસંગે શંકરસિંહ બાપુ, જનવિકલ્પના પ્રદેશ અધ્યક્ષ પ્રવકતા તથા મંત્રી પાર્થેશ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.