શોધખોળ કરો

રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'

હોસબાલેએ શુક્રવારે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું હતું કે અયોધ્યાના રામ મંદિરમાં દાનની કથિત ચોરીની ઘટનાએ રામ ભક્તો અને સમગ્ર સમાજની આસ્થાને ઊંડી ઠેસ પહોંચાડી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મોહન ભાગવત દાન ચોરી પર હોસબાલેના નિવેદનનું સમર્થન કર્યું.
  • હોસબાલેએ કહ્યું, રામ ભક્તોની આસ્થાને ઊંડી ઠેસ પહોંચી.
  • SIT તપાસમાં દોષિતોને કડક સજા થવી જોઈએ, ટ્રસ્ટ ખામીઓ દૂર કરે.
  • RSSએ કહ્યું, હિન્દુ ધર્મ બદનામ કરવાનું આ એક કાવતરું છે.

Ram Mandir Ayodhya Donation Theft Case: અયોધ્યા રામ મંદિરમાં દાનની ચોરી પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેએ નિવેદન જાહેર કર્યું હતું, હવે આના પર સંઘ પ્રમુખ મોહન ભાગવતની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે તેઓ સરકાર્યવાહના નિવેદન સાથે સહમત છે. નાગપુરમાં મીડિયાના રામ મંદિરમાં દાન ચોરી વિવાદવાળા સવાલ પર સંઘ પ્રમુખે કહ્યું, 'હોસબાલે દ્વારા જાહેર કરાયેલું નિવેદન જુઓ, મારી પ્રતિક્રિયા પણ એ જ છે.'

 

RSS તરફથી દત્તાત્રેય હોસબાલેએ જાહેર કર્યું હતું નિવેદન

હોસબાલેએ શુક્રવારે જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું હતું કે અયોધ્યાના રામ મંદિરમાં દાનની કથિત ચોરીની ઘટનાએ રામ ભક્તો અને સમગ્ર સમાજની આસ્થાને ઊંડી ઠેસ પહોંચાડી છે. તેમણે કહ્યું હતું કે તપાસમાં દોષિત સાબિત થનારા પ્રત્યેક વ્યક્તિને કડક સજા મળવી જોઈએ.

આ પણ વાંચો...બંગાળની ખાડીમાં સર્જાયું લો પ્રેશર: દેશના આ રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

દત્તાત્રેય હોસબાલેએ કહ્યું કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વિનંતી પર UP સરકારે SIT ની રચના કરી છે અને તેની ભલામણોના આધારે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. તેમણે કહ્યું કે તપાસમાં જે પણ દોષિત જણાય, તેની સામે કઠોરમાં કડક કાર્યવાહી સુનિશ્ચિત થવી જોઈએ. આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવતા ટ્રસ્ટ પાસેથી મંદિરના સંચાલન અને વ્યવસ્થામાં રહેલી તમામ ખામીઓને દૂર કરવા માટે અસરકારક પગલાં લેવાની અપેક્ષા વ્યક્ત કરી.                            

હિન્દુ ધર્મને બદનામ કરવાનું કાવતરું: RSS

સરકાર્યવાહ હોસબાલેએ દાવો કર્યો હતો, 'હિન્દુ વિરોધી અને રાષ્ટ્રવિરોધી શક્તિઓ આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનો ફાયદો ઉઠાવીને હિન્દુ ધર્મને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે.' તેમણે સમગ્ર હિન્દુ સમાજને અપીલ કરી કે તેઓ આ મુશ્કેલ સમયમાં ધૈર્ય અને સંયમ જાળવી રાખે જેથી આ પ્રકારના તમામ કાવતરાંઓને નિષ્ફળ બનાવી શકાય.

Frequently Asked Questions

અયોધ્યા રામ મંદિરમાં કઈ ઘટના અંગે ચર્ચા થઈ રહી છે?

અયોધ્યા રામ મંદિરમાં દાનની કથિત ચોરીની ઘટના અંગે ચર્ચા થઈ રહી છે. આ ઘટનાથી રામ ભક્તો અને સમગ્ર સમાજની આસ્થાને ઠેસ પહોંચી છે.

રામ મંદિરમાં થયેલી દાનની ચોરી અંગે RSS નો શું મત છે?

RSS ના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેએ આ ઘટનાને આસ્થાને ઠેસ પહોંચાડનારી ગણાવી છે. તેમણે દોષિતોને કડક સજા આપવાની વાત કરી છે અને ટ્રસ્ટને વ્યવસ્થા સુધારવા કહ્યું છે. મોહન ભાગવત પણ આ નિવેદન સાથે સહમત છે.

રામ મંદિરમાં દાન ચોરીના મામલે કયા પગલાં લેવાયા છે?

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વિનંતી પર UP સરકારે SIT ની રચના કરી છે. તેની ભલામણોના આધારે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

RSS અનુસાર, આ ઘટનાને કઈ રીતે રજૂ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે?

RSS નો દાવો છે કે હિન્દુ વિરોધી અને રાષ્ટ્રવિરોધી શક્તિઓ આ ઘટનાનો ફાયદો ઉઠાવી હિન્દુ ધર્મને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે સમાજને ધૈર્ય જાળવવા અપીલ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'
રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'
'સાંભળી રહ્યા છો ને વિનોદ...', PM મોદીએ ગુજરાતમાં મંચ પરથી કહ્યું અને તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો પંડાલ
'સાંભળી રહ્યા છો ને વિનોદ...', PM મોદીએ ગુજરાતમાં મંચ પરથી કહ્યું અને તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો પંડાલ
મુંબઈમાં ધોધમાર વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજાની તોફાની બેટિંગ, IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ
મુંબઈમાં ધોધમાર વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજાની તોફાની બેટિંગ, IMDએ જાહેર કર્યું રેડ એલર્ટ
આગામી 8 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન
આગામી 8 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન
Advertisement

વિડિઓઝ

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'
રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'
અમદાવાદની Zydus અને Apollo Hospitalsની પહેલ, કેન્સરના વહેલા નિદાન માટે નવી ટેકનોલોજી લોન્ચ
અમદાવાદની Zydus અને Apollo Hospitalsની પહેલ, કેન્સરના વહેલા નિદાન માટે નવી ટેકનોલોજી લોન્ચ
આગામી 8 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન
આગામી 8 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન
Shreyas Iyer Statement: શ્રેયસ અય્યરના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, જાણો કેપ્ટને કોના પર ફોડ્યું હારનું ઠીકરું
Shreyas Iyer Statement: શ્રેયસ અય્યરના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, જાણો કેપ્ટને કોના પર ફોડ્યું હારનું ઠીકરું
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન
રાજ્યમાં છેલ્લા 24 કલાક 196 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ ખાંભામાં 8 ઇંચ વરસતા જળબંબાકાર
રાજ્યમાં છેલ્લા 24 કલાક 196 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ ખાંભામાં 8 ઇંચ વરસતા જળબંબાકાર
Embed widget