કિરીટ ભટ્ટે આ અરજી કરી છે. તેમણે રજૂઆત કરી હતી કે રસ્તા પર રખડતા કૂતરાનો ત્રાસ વધ્યો છે. કૂતરાનાં કરડવાને કારણે નાગરિકોને જાનનું જોખમ રહેલું છે. અમદાવાદમાં 2011ની સ્થિતિએ 2.10 લાખ કૂતરાં હતાં જ્યારે 2017ની સ્થિતિએ 2.80 લાખ કરતા વધારે કૂતરાં છે. કેન્દ્રીય એનિમલ વેલ્ફેર બોર્ડ 90 શહેરમાં ખસીકરણનો પ્રોગ્રામ ચલાવે છે. જો કે જ્યાં કૂતરાની સંખ્યા વધારે હોય ત્યાં તે સફળ થઇ શકે તેમ નથી. તંત્રએ કૂતરા માટે એક અલગ સારી વ્યવસ્થા ઊભી કરવી જોઇએ.
3/4
અરજીમાં માંગણી કરાઇ હતી કે શહેરમાં દર વર્ષે 50 હજાર લોકોને કૂતરાં કરડે છે અને તેના ખસીકરણનો પ્રોગ્રામ જ્યાં નિષ્ફળ રહ્યો છે તેવા સંજોગોમાં કૂતરાઓને પકડીને ફરી શહેરી રસ્તા પર છોડવામાં આવવા જોઇએ. તેમજ જે લોકોને કૂતરાં કરડે તેને વળતર ચૂકવવું જોઇએ.
4/4
અમદાવાદઃ શહેરમાં એક તરફ રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે તો બીજી તરફ રખડા કૂતરાઓના ત્રાસ સામે રક્ષણ મેળવવા તેમજ તંત્રને તેનો ઉકેલ લાવવા આદેશ આપવાની દાદ માંગતી જાહેરહીતની અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ આર.સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વી.એમ. પંચોલીની ખંડપીઠે મ્યુનિસિપલ કોર્પોરેશનને નોટિસ પાઠવી છે.