શોધખોળ કરો
રૂપાણી કેબિનેટમાં આ દિગ્ગજ પાટીદાર નેતાનો કરાશે સમાવેશ, જાણો વિગત
1/6

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પદેથી જીતુ વાઘાણીને હટાવી તેમના સ્થાને પ્રદિપસિંહ જાડેજાને પ્રદેશ પ્રમુખ પદે બનાવવામાં આવે તેવી શક્યતા છે. જોકે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થાય તેવી રાહ જોવામાં આવી રહી છે અને લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આ પરિવર્તન વિચારવામાં આવી રહ્યું હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
2/6

પ્રદેશ ભાજપને સુષુપ્ત અવસ્થામાંથી બહાર લાવી ચેતનવંતુ તથા મજબૂત બનાવવાના ભાગરૂપે પ્રદીપસિંહ જાડેજાને સંગઠનનું સુકાન સોંપવામાં આવે તેવી યોજના છે જે અંગે પ્રદીપસિંહ પણ સંમત થઈ ગયા છે તેવું ભાજપ સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું. જોકે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવ્યું નથી.
Published at : 09 Apr 2018 10:33 AM (IST)
Tags :
Gujarat BjpView More























