શોધખોળ કરો
હવે પાસપોર્ટના વેરિફિકેશન માટે પોલિસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે, જાણો શું છે કારણ
1/5

રાજ્યના ગૃહવિભાગ દ્વારા ઇ-ગુજકોપ પ્રોજેક્ટ હેઠળ વિવિધ કામગીરી હાથ ધરાઇ છે. આ પ્રોજેકટ હેઠળ પોલીસની કામગીરીના મૂલ્યાંકનની કામગીરી સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોને સોંપવામાં આવી છે. જે અંતર્ગત હવે નાગરિકોને પાસપોર્ટ વેરિફિકેશન માટે જે તે પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાવા નહીં પડે. પોલીસ સ્ટેસન પર પાસપોર્ટ વેરિફિકેશન જતા સમયે કેટલીક વખત કલાકોના કલાકો સુધી લાઇનમાં પણ બેસી રહેવું પડે છે. જેના કારણે ઘણી વખત પોલીસ અને નાગરિક વચ્ચે ઘર્ષણ પણ ઊભું થતું હોય છે.
2/5

શહેરમાં ઘરઘાટીઓ દ્વારા થતા હત્યા, લૂંટ જેવા અનેક મામલે નિયંત્રણ લાવવા માટે શહેર પોલીસ કમિશનરે ઘરઘાટીઓની તમામ વિગતોની નોંધણી જે તે પોલીસ સ્ટેશનમાં કરાવવા માટેનું જાહરનામું બહાર પાડ્યું છે. આ માટે ફોર્મ ભરીને તમામ વિગતો પોલીસ સ્ટેશનમાં આપવાની હોય છે.
Published at : 18 Jul 2017 02:16 PM (IST)
View More























