શોધખોળ કરો
પરપ્રાંતિયો પર હુમલાને લઈને પરેશ ધાનાણીએ ભાજપ પર શું કર્યા પ્રહારો? જાણો વિગત
1/4

વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકાર ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, ભાજપ સરકાર પરપ્રાંતિઓને રોજગાર આપવામાં નિષ્ફળ નિવડી છે જેથી મળતિયાઓ મારફતે ઠાકોર સેનાના નામે પરપ્રાંતિયો પર હુમલા કરી પ્રાંતવાદનું ઝેર ફેલાવે છે. તેમણે કહ્યું હતું કે, અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જ રહેવાના છે.
2/4

નીતિન પટેલે કહ્યું હતું કે, પરપ્રાંતિયો ઉપર હુમલા કરી રહ્યા છે તે સંગઠનના નેતા કોંગ્રેસના નવા એમએલએ બન્યા છે. તેઓની રાહુલ ગાંધી સાથે સીધી લાઈન છે અને પ્રદેશ પ્રમુખ કે વિપક્ષના નેતાને છોડીને તેઓ રાહુલ સાથે સીધી વાત કરે છે તેવું કોંગ્રેસના નેતાઓનું જ કહેવું છે. રાહુલ ગાંધી પોતે બધું જ જાણે છે. કોંગ્રેસ સમગ્ર ઘટનાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે.
Published at : 10 Oct 2018 09:38 AM (IST)
View More





















