ડોક્ટરોએ કહ્યું કે, તોગડિયાની હાલત સુધરતાં જ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવાશે. વીહિપ નેતા તોગડિયા સોમવારે સવારથી જ લાપતા હતા. હાલમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંત પી. સી. શાસ્ત્રીએ તોગડિયા સાથે વાતચીત કરી છે. આ તરફ પ્રવીણ તોગડિયા અગિયાર વાગ્યાની આસપાસ પત્રકાર પરિષદ યોજીને પોતાના લાપતા થવાના અહેવાલો પર સ્પષ્ટતા આપી શકે છે.
2/3
ચંદ્રમણિ હોસ્પિટલના ડો. અગ્રવાલે કહ્યું કે, પૂર્વ અમદાવાદના કોતરપુર વિસ્તારના એક પાર્કમાં પ્રવીણ તોગડિયાએ બેભાન હાલતમાં એક વ્યક્તિને મળ્યા હતા. તેણે ત્યાંથી 108ને ફોન કરી બોલાવી હતી. પછી તેમને રાતે નવ વાગ્યે હોસ્પિટલ પહોંચાડાયા. શૂગર ઘટી જતાં તેઓ બેભાન થઈ ગયા હતા.
3/3
અમદાવાદઃ ગઈ કાલે સોમવારે સવારે રહસ્યમય રીતે ગુમ થયેલા વીએચપીના નેતા પ્રવીણ તોગડિયા 11 કલાક બાદ બેભાન હાલતમાં કોતરપુર વિસ્તારમાંથી મળી આવ્યા હતા. 108 દ્વારા તેમને શાહીબાગની ચંદ્રમણિ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અત્યારે તેઓ ભાનમાં આવી ગયા છે અને તોગડિયા હાલ ધીમે ધીમે વાત કરી રહ્યા છે.