અમદાવાદઃ શહેરના અસારવા બ્રિજની નીચે આવેલ ગોવળજીનાં છાપરાંમાં રહેતી એક શ્રમજીવી વ્યક્તિની પડોશમાં રહેતી મહિલાએ તેના પ્રેમી અને ભાઇ સાથે મળીને હત્યા કરી નાખતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.
2/5
ઘટનાની જાણ શાહીબાગ પોલીસને થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને વિજયભાઇની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. ત્યારે ભારતી, તેના પ્રેમી કનુ ઠાકોર અને ભાઇ જસપાલ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તેમને પકડવા માટે ચક્ર ગતિમાન કર્યાં છે.
3/5
દરમિયાનમાં ભારતી ક્યાંકથી છરો લઇને આવી હતી અને કનુ ઠાકરને આપ્યો હતો. વિજયને મારી નાખ તેવું કહીને ભારતીએ કનુને ઉશ્કેર્યો હતો. જેમાં કનુએ ઉપરાછાપરી વિજયભાઇની છાતીમાં છરીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી નાખી હતી. વિજયભાઇને ત્રણ પુત્ર અને એક પુત્રી છે અને તેમની પત્નીનું થોડાંક વર્ષો પહેલાં મોત થયું હતું. ગઇ કાલે રાતે વિજયભાઇની હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.
4/5
ભારતીબહેને ખાવાનું આપવાનો ઇન્કાર કરતાં વિજયભાઇ અવારનવાર તેની પાસે ખાવાનું માગતા રહ્યા. વિજયભાઇની માગણીથી કંટાળીને ભારતીબહેને તેમના પ્રેમી કનુ કેસરજી ઠાકોર (રહે. સિવિલ હોસ્પિટલની સામે અસારવા) અને તેના ભાઇ જસપાલને બોલાવી દીધો હતો. કનુ ઠાકોર, જસપાલ અને ભારતીએ મળીને વિજયભાઇને ઢોર માર મારવાનું શરૂ કર્યું હતું.
5/5
અસારવામાં આવેલ ગોવળજીનાં છાપરાંમાં રહેતા અજય બાથમે ત્રણ શખ્સો વિરુદ્ધમાં હત્યાનો ગુનો દાખલ કરાવ્યો છે. ગઇ કાલે લોકો ઉત્તરાયણની મજા માણી રહ્યા હતા તે સમયે ગોવળજીના છાપરાંમાં રહેતા ૫૦ વર્ષિય વિજયભાઇ રામચરણ બાથમે પડોશમાં રહેતી ભારતીબહેન નામની મહિલા પાસે ખાવાનું માગ્યું હતું.