આજથી શરૂ થનારી ચિંતન શિબિરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ , મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, પ્રદેશ પ્રભારી ડોક્ટર દિનેશ શર્મા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. બે દિવસીય ચિંતન શિબિરમાં સરકાર અને સંગઠન બાબતે ચર્ચા વિચારણા થશે. આ ચિંતન શિબિર અમદાવાદ પાસે કેંસવિલ કલબમાં સવારે 10 વાગ્યેથી શરૂ થઈ છે.
2/2
અમદાવાદ: 2017 વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી પ્રદેશ ભાજપે આગામી કાર્યક્રમોનો રોડમેપ તૈયાર કરવા માટે આજથી બે દિવસીય ચિંતન શિબિરનું આયોજન કર્યું છે. આ ચિંતન શિબિરમાં ભાગ લેવા માટે ભાજપના અનેક નેતાઓ પહોંચ્યા છે. ચિંતન શિબિરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ પહોંચ્યા છે.