અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલ તથા લાલજી પટેલ સહિત ત્રણ આરોપીને આજે કોર્ટે વિસનગર તોડફોડ કેસમાં દોષિત ઠેરવ્યા હતા. વિસનગરમાં નિકળેલી પાટીદારોના અનામતના સમર્થનમાં નિકળેલી રેલી દરમિયાન થયેલાં તોફાન મામલે વિસનગર કોર્ટે આજે ચુકાદો આપ્યો હતો.
2/3
હાર્દિક પટેલ તથા લાલજી પટેલ પાસે આ કેસમા જામીન મેળવવાનો વિકલ્પ છે. બંને આજે જ કોર્ટમાં જામીન અરજી રજૂ કરે અને કોર્ટ તે મંજૂર રાખે તો બંને જામીન પર મુક્ત થઈ જાય. આ સંજોગોમાં તેમણે જેલમાં ના જવું પડે.
3/3
કોર્ટના આ ચુકાદાના પગલે હાર્દિક પટેલ તથા લાલજી પટેલનું શું થશે એ સવાલ પૂછાઈ રહ્યો છે. આ ચુકાદાના પગલે હાર્દિક પટેલ તથા લાલજી પટેલ જેલમાં જશે કે નહીં એ જાણવાની ભારે ઉત્સુકતા છે. આ સવાલનો જવાબ એ છે કે, હાર્દિક પટેલ તથા લાલજી પટેલ જેલમાં ના જાય એવું બની શકે.