શોધખોળ કરો
આણંદઃ લગ્નના 15 દિવસ પછી પિયર આવેલી યુવતીએ કોની સાથે કૂવામાં ઝંપલાવ્યું? શું હતું કારણ?
1/4

આણંદ: ઉમરેઠ તાલુકાના શીલી ગામે મોનબા માતા મંદિર નજીક કૂવામાં વહેલી સવારે યુવતીએ પ્રેમી સાથે ઝંપલાવતા ચકચાર મચી ગઈ છે. યુવતીના 15 દિવસ પહેલા જ લગ્ન થયા હતા અને પિયરમાં પહેલીવાર આંટો ખાવા આવી હતી. યુવતીને સાસરીવાળા તેડવા માટે આવવાના હતા તે જ દિવસે પ્રેમી સાથે કૂવામાં ઝંપલાવ્યું હતું. જેમાં યુવતીનું મોત થયું છે. જ્યારે યુવકને હોસ્પિટલ ખસેડાયો છે.
2/4

ઉમરેઠ તાલુકાના શીલી ગામે નવા રોહિતવાસમાં રહેતી અંજુબેન વિનુભાઈ રોહિત (ઉ.વ.30)ના 15 દિવસ અગાઉ લગ્ન થયા હતા. જોકે, અંજુબેનને ફળિયામાં રહેતાં દિનેશ જીવાભાઈ મકવાણા સાથે પ્રેમ સંબંધ હતા. ત્યારે ગઈ કાલે રવિવાર વહેલી સવારે ગામની સીમમાં મોનબા માતાના મંદિર નજીક આવેલ તાડીયાકૂવામાં પડતું મુક્યું હતું. કૂવામાં પાણી હોવાથી બંને ડૂબવા લાગ્યા હતા.
Published at : 05 Jun 2017 11:14 AM (IST)
Tags :
Couple SuicideView More























