શોધખોળ કરો

Accident : ભાવનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માત, 15 લોકોને ઈજા, એકનું મૃત્યુ

Accident : ભાવનગર અને અમદાવાદ હાઇવે પર ટેન્કર અને આઇસર ટકરાતા ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં 1નું મૃત્યુ થયું છે જ્યારે 15 ઇજાગ્રસ્ત થયા છે

Accident: સાતમ આઠમ અને સ્વતંત્ર પર્વની રજાઓના કારણે લોકો તેમના વતનમાં ફેમિલિ સાથે તહેવાર ઉજવવા જતાં હોવાથી રોડ રસ્તા પર ટ્રાફિક ખૂબ વધી ગયો છે. ખાનગી બસો પણ હાઉસફૂલ જઇ રહી છે. આ દરમિયાન ભાવનગર અને અમદાવાદ હાઇવે પર મોટો અકસ્માત સર્જાયો છે.અહીં  બંધ પડેલા ટેન્કર સાથે આઈસર અથડાતા 15 લોકોને  ઈજા પહોંચી છે જ્યારે એકનું મોત થયું છે. માઢીયા ગામ નજીક વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. મૃતક વ્યક્તિની ઓળખ સુમિત તરીકે થઇ છે. 15 ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા છે. અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

તહેવારની સિઝન શરૂ થતાંની સાથે ટ્રાફિક વઘ્યો છે અને આ સાથે અકસ્માતની ઘટનાઓ પણ વધી છે. રક્ષાબંધનના આગલા દિવસે પણ રાજ્યમાં અકસ્માતની હારમાળા સર્જાઇ હતી.ગુજરાતમાં 8 ઓગસ્ટે રોડ અકસ્માતની હારમાળા સર્જાઇ છે. જુદી જુદી ઘટનામાં કુલ 10 લોકોએ જીવ ગુમાવ્યાં છે. સોથી વધુ ભયંકર ઘટના મોરબી પાસે સર્જાઇ હતી. જેમાં 4 લોકો જીવતા સળગી જતાં કરૂણ મૃત્યુ થયા છે.

મોરબીના માળિયામાં સુરજબારી ટોલનાકા પાસે ભયંકર રોડ અકસ્માત સર્જાયો  હતો. જેમાં 4 લોકોના મોત થયા છે. અહીં અકસ્માતમાં બે ટ્રક અને અર્ટિગા કાર અથડાયા હતા આ દરમિયાન આગ લાગતા 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા જેમાં ,ટ્રકના ડ્રાઇવર અને ક્લિનરનો સામવેશ થાય છે. તો કારમાં સવાર 2 લોકોએ પણ જીવ ગુમાવ્યો છે.  પાંચ બાળક સહિત સાત લોકો ફસાયેલા હોવાથી બચાવાયા છે.અકસ્માતના કારણે હાઈવે પર  ટ્રાફિકજામ સર્જ્યો હતો.

સમગ્ર અકસ્માત કેવી રીતે સર્જાયો એ વિશે વાત કરીએ તો નોંધનિય છે કે,માળિયા સૂરજબારી પુલ પર એક કન્ટેનર પલટી મારી ગયું હતું. જેથી પાછળ આવતા ટેન્કરે લેન બદલવા માટે ગયો હતો, જે દરમિયાન પાછળ આવતી  આર્ટિગા કાર ટ્રક સાથે ઘસાતા  આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ટ્રકમાં  અને કારમાં સવાર 2-2 લોકો મોત થયા છે. સાત લોકોનું રેસ્ક્યુ કરાયું હતું અને ઇજાગ્રસ્ત હોવાથી સારવાર માટે સામખિયાળી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યાં છે. અકસ્માત બાદ ટેન્કર અને કારમાં ફાટી નીકળતા સ્થિતિ વધુ ભયાનક અને ચિંતાજનક બની હતી. ઘટના મોરબીના  સૂરજબારી ટોલ નાકા નજીક બની હતી.  ધટના ની જાણ થતા જ મોરબી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુની કામગીરી હાથ ઘરી હતી. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન 4 લોકોના મૃતદેહ બહાર કઢાયા હતા અને સાતનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અકસ્માત એટલો ભયંકર છે કે, ઇજાગ્રસ્તોની સ્થિતિ પણ નાજુક છે, જેથી આ ઘટનામાં મૃત્યુઆંક વધે તેવી શક્યતા સેવાઇ રહી છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Shrawan 2026: શ્રાવણ માસમાં આપની રાશિ મુજબ કરો અભિષેક, પ્રગતિના ખૂલશે દ્વાર
Shrawan 2026: શ્રાવણ માસમાં આપની રાશિ મુજબ કરો અભિષેક, પ્રગતિના ખૂલશે દ્વાર
Shrawan Somavar: પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામનાની થશે પૂર્તિ
Shrawan Somavar: પહેલા સોમવારે કરો આ સિદ્ધ સચોટ ઉપાય, મનોકામનાની થશે પૂર્તિ
Today's Horoscope: શુક્રવાર આ 4 રાશિને ફળશે, લક્ષ્મીજીની વરસશે કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: શુક્રવાર આ 4 રાશિને ફળશે, લક્ષ્મીજીની વરસશે કૃપા, જાણો 12 રાશિનું રાશિફળ
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય થતાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
જાતિ, કોવિડ વેક્સિન...વસ્તી ગણતરીમાં પૂછવામાં આવશે આ 40 પ્રશ્નો, નોટિફિકેશન જાહેર
Embed widget