શોધખોળ કરો

Accident : ભાવનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માત, 15 લોકોને ઈજા, એકનું મૃત્યુ

Accident : ભાવનગર અને અમદાવાદ હાઇવે પર ટેન્કર અને આઇસર ટકરાતા ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમાં 1નું મૃત્યુ થયું છે જ્યારે 15 ઇજાગ્રસ્ત થયા છે

Accident: સાતમ આઠમ અને સ્વતંત્ર પર્વની રજાઓના કારણે લોકો તેમના વતનમાં ફેમિલિ સાથે તહેવાર ઉજવવા જતાં હોવાથી રોડ રસ્તા પર ટ્રાફિક ખૂબ વધી ગયો છે. ખાનગી બસો પણ હાઉસફૂલ જઇ રહી છે. આ દરમિયાન ભાવનગર અને અમદાવાદ હાઇવે પર મોટો અકસ્માત સર્જાયો છે.અહીં  બંધ પડેલા ટેન્કર સાથે આઈસર અથડાતા 15 લોકોને  ઈજા પહોંચી છે જ્યારે એકનું મોત થયું છે. માઢીયા ગામ નજીક વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. મૃતક વ્યક્તિની ઓળખ સુમિત તરીકે થઇ છે. 15 ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા છે. અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

તહેવારની સિઝન શરૂ થતાંની સાથે ટ્રાફિક વઘ્યો છે અને આ સાથે અકસ્માતની ઘટનાઓ પણ વધી છે. રક્ષાબંધનના આગલા દિવસે પણ રાજ્યમાં અકસ્માતની હારમાળા સર્જાઇ હતી.ગુજરાતમાં 8 ઓગસ્ટે રોડ અકસ્માતની હારમાળા સર્જાઇ છે. જુદી જુદી ઘટનામાં કુલ 10 લોકોએ જીવ ગુમાવ્યાં છે. સોથી વધુ ભયંકર ઘટના મોરબી પાસે સર્જાઇ હતી. જેમાં 4 લોકો જીવતા સળગી જતાં કરૂણ મૃત્યુ થયા છે.

મોરબીના માળિયામાં સુરજબારી ટોલનાકા પાસે ભયંકર રોડ અકસ્માત સર્જાયો  હતો. જેમાં 4 લોકોના મોત થયા છે. અહીં અકસ્માતમાં બે ટ્રક અને અર્ટિગા કાર અથડાયા હતા આ દરમિયાન આગ લાગતા 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા જેમાં ,ટ્રકના ડ્રાઇવર અને ક્લિનરનો સામવેશ થાય છે. તો કારમાં સવાર 2 લોકોએ પણ જીવ ગુમાવ્યો છે.  પાંચ બાળક સહિત સાત લોકો ફસાયેલા હોવાથી બચાવાયા છે.અકસ્માતના કારણે હાઈવે પર  ટ્રાફિકજામ સર્જ્યો હતો.

સમગ્ર અકસ્માત કેવી રીતે સર્જાયો એ વિશે વાત કરીએ તો નોંધનિય છે કે,માળિયા સૂરજબારી પુલ પર એક કન્ટેનર પલટી મારી ગયું હતું. જેથી પાછળ આવતા ટેન્કરે લેન બદલવા માટે ગયો હતો, જે દરમિયાન પાછળ આવતી  આર્ટિગા કાર ટ્રક સાથે ઘસાતા  આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. ટ્રકમાં  અને કારમાં સવાર 2-2 લોકો મોત થયા છે. સાત લોકોનું રેસ્ક્યુ કરાયું હતું અને ઇજાગ્રસ્ત હોવાથી સારવાર માટે સામખિયાળી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યાં છે. અકસ્માત બાદ ટેન્કર અને કારમાં ફાટી નીકળતા સ્થિતિ વધુ ભયાનક અને ચિંતાજનક બની હતી. ઘટના મોરબીના  સૂરજબારી ટોલ નાકા નજીક બની હતી.  ધટના ની જાણ થતા જ મોરબી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુની કામગીરી હાથ ઘરી હતી. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન 4 લોકોના મૃતદેહ બહાર કઢાયા હતા અને સાતનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અકસ્માત એટલો ભયંકર છે કે, ઇજાગ્રસ્તોની સ્થિતિ પણ નાજુક છે, જેથી આ ઘટનામાં મૃત્યુઆંક વધે તેવી શક્યતા સેવાઇ રહી છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

12 વર્ષ બાદ ગુરુનું કર્કમાં મહાગોચર: 2026ના ઓક્ટોબર સુધી આ 4 રાશિઓને થશે મોટો લાભ
12 વર્ષ બાદ ગુરુનું કર્કમાં મહાગોચર: 2026ના ઓક્ટોબર સુધી આ 4 રાશિઓને થશે મોટો લાભ
2 જૂનથી કર્કમાં ગુરૂનું ગોચર, આ 3 રાશિ માટે ભાગ્યદયનો સુવર્ણ સમય, ઓક્ટોબર સુધી પ્રગતિની અપાર સંભાવવના
2 જૂનથી કર્કમાં ગુરૂનું ગોચર, આ 3 રાશિ માટે ભાગ્યદયનો સુવર્ણ સમય, ઓક્ટોબર સુધી પ્રગતિની અપાર સંભાવવના
Today's Horoscope: મકર સહિત આ રાશિના જાતક માટે લાભદાયી દિવસ, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: મકર સહિત આ રાશિના જાતક માટે લાભદાયી દિવસ, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: જૂન આ રાશિ માટે નિવડશે શુભ, બંપર લાભના યોગ, જાણો 12 રાશિનું રાશિફળ
Today's Horoscope: જૂન આ રાશિ માટે નિવડશે શુભ, બંપર લાભના યોગ, જાણો 12 રાશિનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
Embed widget