શોધખોળ કરો

અખાત્રીજ પર સોનું ખરીદવું જરૂરી નથી: માત્ર આ 5 સસ્તી વસ્તુઓ ઘરમાં લાવો અને ભાગ્ય ચમકાવો

શાસ્ત્રો અનુસાર 19 એપ્રિલે અક્ષય તૃતીયાના પવિત્ર તહેવાર પર ધાણા, માટીના વાસણો, ચોખા, ઘી કે લાલ કપડાં ખરીદવાથી પણ માતા લક્ષ્મીની અપાર કૃપા પ્રાપ્ત થાય છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અખાત્રીજ, 19 એપ્રિલ 2026, સોના વિના પણ લક્ષ્મી લાવે.
  • આખા ધાણા, માટીના વાસણો ઘરમાં લાવે ધન.
  • ચોખા, ઘી, લાલ કપડાંથી આર્થિક સંકટ દૂર.
  • શ્રદ્ધાથી ખરીદી, દેવી લક્ષ્મીને ઘરે આવકારો.

Akshaya Tritiya 2026: સનાતન ધર્મમાં અક્ષય તૃતીયા (અખાત્રીજ) નો તહેવાર ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. આ વર્ષે 19 એપ્રિલ 2026 ના રોજ અખાત્રીજ ઉજવાશે. સામાન્ય રીતે આ દિવસે સોનું ખરીદવાની જૂની પરંપરા છે, પરંતુ આજના સમયમાં વધતી જતી મોંઘવારી અને સોનાના આસમાને પહોંચેલા ભાવને કારણે સામાન્ય માણસ માટે સોનું ખરીદવું મુશ્કેલ બની ગયું છે. જો તમે પણ એવું વિચારતા હોવ કે અખાત્રીજ પર સોનું ન ખરીદવાથી ઘરમાં લક્ષ્મી નહીં આવે, તો આ માન્યતા તદ્દન ખોટી છે. શાસ્ત્રોમાં એવી 5 સસ્તી અને પવિત્ર વસ્તુઓનો ઉલ્લેખ છે, જેને આ દિવસે પૂરી શ્રદ્ધાથી ઘરમાં લાવવાથી સોના જેટલું જ પુણ્ય અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

1. આખા ધાણા લાવશે આર્થિક બરકત

જે લોકો સોનું ખરીદી શકતા નથી, તેઓએ આ શુભ દિવસે આખા ધાણા ખરીદવા જોઈએ. એવી માન્યતા છે કે ધાણા માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. અખાત્રીજ પર થોડા ધાણા ખરીદીને માતાજીના ચરણોમાં અર્પણ કરવાથી અને પૂજા કર્યા બાદ તેને તિજોરીમાં રાખવાથી પરિવારમાં આર્થિક સમૃદ્ધિ આવે છે.

2. માટીના વાસણો (માટીનો ઘડો)

તાંબા અથવા માટીના વાસણો ખરીદવા પણ આ દિવસે અત્યંત શુભ મનાય છે. માટીને સૌભાગ્ય અને પવિત્રતાનું પ્રતીક માનવામાં આવે છે. નવો માટીનો ઘડો ખરીદીને તેમાં ગંગાજળ કે પીવાનું પાણી ભરીને ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા અને ખરાબ તત્વો દૂર રહે છે. જ્યોતિષીઓ માને છે કે માટીના વાસણો ખરીદવાથી દેવામાંથી પણ મુક્તિ મળે છે.

3, 4 અને 5. ચોખા, ઘી અને લાલ કપડાં

જો તમારું બજેટ એકદમ મર્યાદિત છે, તો અખાત્રીજના પવિત્ર દિવસે તમે ચોખા (અક્ષત), શુદ્ધ દેશી ઘી અથવા નવા લાલ કપડાં પણ ખરીદી શકો છો. એવી માન્યતા છે કે આ દિવસે પૂરી શ્રદ્ધાથી લક્ષ્મી નારાયણની પૂજા કરી આ સરળ અને સસ્તી વસ્તુઓ ઘરમાં લાવવાથી આર્થિક સંકટ દૂર થાય છે અને ઘરમાં બરકત બની રહે છે.

સોનું ખરીદવાનો શુભ સમય (મુહૂર્ત)

જો તમારું બજેટ સારું છે અને તમે સોનામાં રોકાણ કરવાનું જ વિચારી રહ્યા છો, તો 19 એપ્રિલે સવારે 10:49 વાગ્યાથી લઈને બીજા દિવસે એટલે કે 20 એપ્રિલે સવારે 5:51 વાગ્યા સુધીનો સમય સોનું ખરીદવા માટે એકદમ શ્રેષ્ઠ છે. ખાસ કરીને 19 તારીખે બપોરે કે સાંજના સમયે કરેલી સોનાની ખરીદી વધુ ફળદાયી સાબિત થઈ શકે છે.

અંતે એ વાત હંમેશા યાદ રાખો કે અખાત્રીજ એ દેખાડાનો નહીં પણ શ્રદ્ધાનો તહેવાર છે. તમારી આર્થિક ક્ષમતા મુજબ નાની વસ્તુ ખરીદીને પણ તમે દેવી લક્ષ્મીને તમારા ઘરમાં પ્રેમથી આવકારી શકો છો.

ડિસ્ક્લેમર: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધાર્મિક માન્યતાઓ અને જ્યોતિષીય અભિપ્રાયો પર આધારિત છે.

Frequently Asked Questions

અક્ષય તૃતીયા 2026 ક્યારે છે?

અક્ષય તૃતીયા 2026, 19 એપ્રિલે ઉજવાશે.

અક્ષય તૃતીયા પર સોનું ખરીદવું ફરજિયાત છે?

ના, શાસ્ત્રો અનુસાર આ દિવસે સોના જેટલું જ પુણ્ય આપતી 5 સસ્તી વસ્તુઓ છે.

આખા ધાણા ખરીદવાથી શું લાભ થાય છે?

આખા ધાણા લક્ષ્મીજીને પ્રિય છે, તેથી તેને ખરીદીને તિજોરીમાં રાખવાથી આર્થિક સમૃદ્ધિ આવે છે.

માટીના વાસણો ખરીદવાથી શું ફાયદો થાય છે?

માટીના વાસણો સૌભાગ્ય અને પવિત્રતાનું પ્રતીક છે. તેને ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને દેવામાંથી મુક્તિ મળે છે.

સોનું ખરીદવાનો શુભ સમય કયો છે?

19 એપ્રિલે સવારે 10:49 થી 20 એપ્રિલે સવારે 5:51 સુધીનો સમય સોનું ખરીદવા માટે શ્રેષ્ઠ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

જુલાઈ 2026 ગ્રહ ગોચર: સૂર્ય-શુક્રનું રાશિ પરિવર્તન અને શનિની વક્રી ચાલ, 3 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દ્વાર
જુલાઈ 2026 ગ્રહ ગોચર: સૂર્ય-શુક્રનું રાશિ પરિવર્તન અને શનિની વક્રી ચાલ, 3 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દ્વાર
29 જૂનથી બુધ થશે વક્રી: શેરબજારમાં આવશે મોટો ભૂકંપ? આ તારીખ સુધી સાવધ રહો
29 જૂનથી બુધ થશે વક્રી: શેરબજારમાં આવશે મોટો ભૂકંપ? આ તારીખ સુધી સાવધ રહો
Masik Horoscope: જુલાઇમાં ચમકશે આ રાશિની કિસ્મત, કરિયરમાં મળશે નવો મોકો
Masik Horoscope: જુલાઇમાં ચમકશે આ રાશિની કિસ્મત, કરિયરમાં મળશે નવો મોકો
Today's Horoscope 2026: રાજભદ્ર યોગથી આ ત્રણ રાશિને લાગશે લોટરી, જાણો ફળાદેશ
Today's Horoscope 2026: રાજભદ્ર યોગથી આ ત્રણ રાશિને લાગશે લોટરી, જાણો ફળાદેશ
Advertisement

વિડિઓઝ

Saurashtra Rain : સૌરાષ્ટ્રના કયા કયા જિલ્લામાં ખાબક્યો વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : માણસના જીવની જવાબદારી કોની?
Gujarat Rain Alert: ગુજરાતમાં આ તારીખથી તૂટી પડશે વરસાદ: હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં 48 કલાકમાં વરસાદનું થશે આગમન: અંબાલાલ પટેલની મોટી આગાહી
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં કેટલો ખાબક્યો વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ચીનની સેનાએ અરુણાચલમાં ઘૂસણખોરી કરી લગાવ્યો કેમ્પ? રિપોર્ટ પર આવ્યો ભારતીય સેનાનો જવાબ
શું ચીનની સેનાએ અરુણાચલમાં ઘૂસણખોરી કરી લગાવ્યો કેમ્પ? રિપોર્ટ પર આવ્યો ભારતીય સેનાનો જવાબ
હવે, આયુષ્માન કાર્ડ બનાવવા નહીં લગાવવા પડે સરકારી ઓફિસના ચક્કર, ઘરે બેઠા બની જશે 
હવે, આયુષ્માન કાર્ડ બનાવવા નહીં લગાવવા પડે સરકારી ઓફિસના ચક્કર, ઘરે બેઠા બની જશે 
Gujarat Rain Alert: સિસ્ટમ સક્રિય થતાં જ ગુજરાત ધમરોળાશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Alert: સિસ્ટમ સક્રિય થતાં જ ગુજરાત ધમરોળાશે! હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી: ગુજરાતના આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર, જાણી લો
સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી: ગુજરાતના આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર, જાણી લો
Court: 'પત્નીની કમાણી પતિ કરતા વધુ તો ભરણપોષણ નહીં', કોર્ટનો મોટો નિર્ણય
Court: 'પત્નીની કમાણી પતિ કરતા વધુ તો ભરણપોષણ નહીં', કોર્ટનો મોટો નિર્ણય
હવે WhatsApp પર મળશે આયુષ્માન કાર્ડ! સરકારે જાહેર કર્યો આ નવો નંબર
હવે WhatsApp પર મળશે આયુષ્માન કાર્ડ! સરકારે જાહેર કર્યો આ નવો નંબર
8મા પગાર પંચ પહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થા (DA) માં થશે મોટો વધારો
8મા પગાર પંચ પહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર: મોંઘવારી ભથ્થા (DA) માં થશે મોટો વધારો
Fifa World Cup: વર્લ્ડકપમાં સૌથી મોટો ઉલટફેર, ચાર વખતની ચેમ્પિયન જર્મની બહાર
Fifa World Cup: વર્લ્ડકપમાં સૌથી મોટો ઉલટફેર, ચાર વખતની ચેમ્પિયન જર્મની બહાર
Embed widget