![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Budhwar Ke Upay: બુધવારે લીલા ઘાસનો આ સચોટ અચૂક ઉપાય અપનાવી જુઓ, થશે મનોરથની પૂર્તિ
Wednesday Upay: બુધવારે કરવામાં આવેલા ઉપાયોથી ગણપતિ ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ બાધાઓ દૂર કરે છે. જાણો બુધવારે આ ઉપાયો વિશે
![Budhwar Ke Upay: બુધવારે લીલા ઘાસનો આ સચોટ અચૂક ઉપાય અપનાવી જુઓ, થશે મનોરથની પૂર્તિ Budhwar upay Wednesday astro remedies to get rid of every problem with ganesh ji puja Budhwar Ke Upay: બુધવારે લીલા ઘાસનો આ સચોટ અચૂક ઉપાય અપનાવી જુઓ, થશે મનોરથની પૂર્તિ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/24/6adf48e56eaa986b7f50bd5c382692e5168489138765581_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Wednesday Upay: બુધવારે કરવામાં આવેલા ઉપાયોથી ગણપતિ ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ બાધાઓ દૂર કરે છે. જાણો બુધવારે આ ઉપાયો વિશે
ગણેશને તમામ દેવતાઓમાં સૌથી પહેલા પૂજનીય માનવામાં આવે છે. તેના ધ્યાનથી જ જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. બુધવાર ગણપતિને સમર્પિત છે. આ દિવસે ભગવાન ગણેશની કૃપા મેળવવા માટે ભક્તો વિવિધ ઉપાયો કરે છે. એવું માનવામાં આવે છે કે, બુધવારે કરવામાં આવેલા ઉપાયોથી ગણપતિ શીઘ્ર પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ બાધાઓ દૂર થાય છે. જાણો બુધવારના આ ઉપાયો
બુધવારે આ ઉપાય કરો
દુર્વા એટલે કે લીલું ઘાસ ગણેશજીને ખૂબ પ્રિય છે. ગણપતિને પ્રસન્ન કરવા માટે બુધવારે મંદિરમાં જઈને ગણપતિ બાપ્પાના ચરણોમાં દુર્વા ઘાસના 11 કે 21 તણખલા ચઢાવો. આ ઉપાય કરવાથી તમારા જીવનમાં આવનારી સમસ્યાઓનો અંત આવવા લાગે છે.
બુધવારે ભગવાન ગણેશના મંદિરમાં જઈને લીલા વસ્તુઓનું દાન કરો. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને લીલા રંગના કપડા, ખાવાની ચીજવસ્તુઓ અથવા અન્ય ઉપયોગી વસ્તુઓનું દાન કરવાથી બુધ દોષ સમાપ્ત થવા લાગે છે.
બુધવારને ગણેશજીની સાથે બુધ સાથે સંબંધિત માનવામાં આવે છે. બુધવારે લીલા વસ્ત્રો પહેરવા શુભ છે. બીજી તરફ, જો તમારો બુધ નબળો છે, તો હંમેશા તમારી સાથે લીલો રૂમાલ રાખો.
બુધવારે ગણેશજીને કેસર સિંદૂર અર્પણ કરવું જોઈએ. આમ કરવાથી જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે. આ દિવસે લીલા મૂંગનું દાન જરૂરતમંદોને કરવું જોઈએ. આમ કરવાથી સંબંધોમાં આવતી ખટાશ દૂર થાય છે.
બુધવારે સાત કોડી એક મુઠ્ઠી આખા મગ લો લો. બંનેને લીલા કપડામાં બાંધીને સવારે મંદિરના પગથિયાં પર શાંતિથી રાખો. આ ઉપાય કરવાથી ગણપતિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનની પરેશાનીઓનો અંત આવે છે.
દર બુધવારે ગણેશને મોદક અર્પણ કરો. આ મોદક ખુદ ખાઓ અને અને બીજાને પણ ખવડાવો. આમ કરવાથી નોકરમાં પ્રગતિની સંભાવનાઓ છે.
જો તમે રાહુની સમસ્યાથી પરેશાન છો તો બુધવારે રાત્રે માથાની પાસે નારિયેળ રાખીને સૂઈ જાઓ અને બીજા દિવસે આ નારિયેળને થોડી દક્ષિણા સાથે ગણેશજીના મંદિરમાં અર્પણ કરો. વિઘ્નહર્તા ગણેશ સ્ત્રોતનું પણ પઠન કરો. આ ઉપાય કરવાથી ઘરમાં આશીર્વાદ આવે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)