શોધખોળ કરો

Angarki Chaturthi 2023: આજે છે વર્ષની એકમાત્ર અંગારકી સંકષ્ટ ચતુર્થી, મંગળ દોષ તથા તમામ કષ્ટોમાંથી મુક્તિ માટે કરો વ્રત

Angarki Sankashti Chaturthi : ગણેશજીને પ્રિય એવી આ સંકટ ચોથનું વ્રત કરવાથી વિઘ્નો અને બંધનમાંથી પણ મુક્તિ મળે છે, તમામ કાર્ય સિદ્ધ થાય છે.

Angarki Sankashti Chaturthi: આજે મંગળવાર અને ચતુર્થીની તિથી હોવાથી તેને અંગારકી ચોથ કહેવામાં આવે છે. મંગળવારે આવતી ચોથને સંકષ્ટી ચોથ પણ કહેવામાં આવે છે. મંગળવારના દિવસે આવતી ચોથ ગણેશભક્તો માટે વિશેષ માહાત્મય ધરાવે છે. અંગારકી ચોથ ના દિવસે અમદાવાદના ગણેશ મંદિરમાં સવાર થી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી.

ગણપતિ દાદાના દર્શન માટે ઉમટી પડે છે ભક્તો
 
અંગારકી ચોથના દિવસે દુંદાળા દેવને વિશેષ પૂજા અર્ચના કરીને લાડુનો ભોગ ધરાવવામાં આવે છે. અને ગણેશ મંદિરોએ આજે ગણપતિ દાદાના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી પડે છે. ગણેશજીને પ્રિય એવા મોદક અને લાલ જાસૂદ, ગોળ તથા ધરોના પૂજાપા સાથે ભક્તો સિદ્ધિવિનાયકની પૂજા અર્ચના કરે છે. અમદાવાદમાં લાલ દરવાજા પાસે આવેલા ગણપતિ મંદિરમાં પણ પૂજા અર્ચનાનો વિશેષ માહોલ રચાય છે.

વિક્રમ સંવત 2079માં એકમાત્ર અંગારકી સંકષ્ટ ચતુર્થી

પોષ વદ ચોથ હોવાથી અંગારકી સંકષ્ટ ચતુર્થીની તિથિ બને છે. આ દિવસ 21 ચોથ કર્યાનું ફળ આપે છે. વિક્રમ સંવત 2079માં આ એકમાત્ર અંગારકી સંકષ્ટ ચતુર્થી છે. આજના શુભ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી લાંબા સમયથી અટકેલા કાર્યો નિવધ્ને પૂર્ણ થાય છે.આ દિવસે શ્રીગણપતિ અથર્વશીર્ષ, શ્રીસંકષ્ટનાશન ગણપતિ સ્તોત્રનું પઠન પણ ઉત્તમ ફળદાયી માનવામાં આવે છે. સાથે જ આ દિવસે ગણેશયાગનું ભક્તિ-ભાવપૂર્વક અનુાન કરવાથી પણ ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે.

સંકટ ચોથનું વ્રત વિધ્નો અને બંધનમાંથી આપે છે મુક્તિ

ગણેશજીને પ્રિય એવી આ સંકટ ચોથનું વ્રત કરવાથી વિઘ્નો અને બંધનમાંથી પણ મુક્તિ મળે છે, તમામ કાર્ય સિદ્ધ થાય છે. ધન-ધાન્ય, સંતાનસુખ, સમૃદ્ધિ વગેરેની પણ પ્રાપ્તિ થાય છે.   આ દિવસે વિદ્યાસુખદાતા, ભગવાન ગણેશજી અને મનનાં સ્વામી એવા ચંદ્રમાની પૂજા કરવામાં આવે છે. 21, 51 કે 108 વખત ગણેશજીનાં મંત્રનો જાપ પણ કરવામાં આવે છે.

સંકટ ચતુર્થી પર આ ચમત્કારિક મંત્રોનો જાપ અચૂક કરો

વક્રતુણ્ડ મહાકાયા સૂર્યકોટિ સમપ્રભા ।

નિર્વિઘ્નામ કુરુ મે દેવ, સર્વ-કાર્યષુ સર્વદા ॥

માન્યતા અનુસાર જો તમારી કુંડળીમાં ગ્રહ દોષ હોય તો ગણેશ ઉત્સવ દરમિયાન ઉપરોક્ત મંત્રનો જાપ કરો.

ગણપૂજ્યો વક્રતુન્ડા એકાદષ્ટિ ત્રિયમ્બકઃ ।

નીલગ્રીવો લંબોદરો વિગ્તો વિઘ્રજક:..

ધૂમ્રવર્ણો ભાલચન્દ્રો દશમસ્તુ વિનાયકઃ ।

ગણપર્તિહસ્તિમુખો દ્વાદસરે યજેદ્ગનમ.'

જો તમે ગણપતિજીને પ્રસન્ન કરવા માંગો છો તો તેના માટે ઉપરોક્ત મંત્ર સૌથી સરળ મંત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ મંત્ર જેટલો સરળ છે તેટલો જ અસરકારક છે.

ત્રિમયખિલબુદ્ધિદાત્રે બુદ્ધિપ્રદીપાય સુરાધિપયા ।

નિત્યા સત્યાય ચ નિત્યબુદ્ધિ નિત્યમ્ નિરિહાય નમોસ્તુ નિત્યમ્

જો તમે કોઈ કામ માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છો અને સમય આવતા કામ બગડી જાય છે તો ઉપરોક્ત મંત્રનો જાપ કરો. આ મંત્ર તમારા બધા બગડેલા કામ પૂર્ણ કરશે. જો તમને મહેનત કરીને પણ મંઝિલ નથી મળી રહી તો ગણેશ ચતુર્થીના દિવસે આ મંત્રનો 21 વાર જાપ કરો.

ઓમ ગણ ગણપતે નમઃ

જો તમારા જીવનમાં સમસ્યાઓ આવી રહી છે અને તમે તે બધી સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગતા હોવ તો ગણેશ જીના આ મંત્રનો જાપ કરો. ભગવાન ગણેશનો આ મંત્ર એટલો ચમત્કારી છે કે તેનો જાપ કરવાથી જીવનની તમામ બાધાઓ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં બે જિલ્લાઓમાં વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર, જાણો અપડેટ 
Gujarat Rain: ગુજરાતમાં બે જિલ્લાઓમાં વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર, જાણો અપડેટ 
Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ શરુ, આજે ભારે વરસાદની છે આગાહી 
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ શરુ, આજે ભારે વરસાદની છે આગાહી 
કડી અને વિસાવદર પેટાચૂંટણીમાં કોનો થશે વિજય? અંબાલાલ પટેલે શું કરી ભવિષ્યવાણી
કડી અને વિસાવદર પેટાચૂંટણીમાં કોનો થશે વિજય? અંબાલાલ પટેલે શું કરી ભવિષ્યવાણી
Advertisement

વિડિઓઝ

Digital Theft: ઈન્ટરનેટના ઈતિહાસમાં સૌથી મોટી ચોરી, 16 અબજ પાસવર્ડ અને યુઝરનેમ લીક | Abp Asmita
Gujarat Rain News:છેલ્લા 24 કલાકમાં રાજ્યના 81 તાલુકામાં ખાબક્યો વરસાદ, જાણો ક્યાં ખાબક્યો સૌથી વધુ?
Yoga Day 2025: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર PM મોદીએ કર્યા યોગ | PM Modi | Abp Asmita
Ambalal Patel Forecast: 24 થી 30 જૂનને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી | Abp Asmita | 21-6-2025
Visavadar Voting: વિસાવદરના બે બૂથ પર આજે ફરી મતદાન શરૂ | Abp Asmita | 21-6-2025
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં બે જિલ્લાઓમાં વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર, જાણો અપડેટ 
Gujarat Rain: ગુજરાતમાં બે જિલ્લાઓમાં વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર, જાણો અપડેટ 
Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Gujarat Rain: આગામી ત્રણ કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ શરુ, આજે ભારે વરસાદની છે આગાહી 
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ શરુ, આજે ભારે વરસાદની છે આગાહી 
કડી અને વિસાવદર પેટાચૂંટણીમાં કોનો થશે વિજય? અંબાલાલ પટેલે શું કરી ભવિષ્યવાણી
કડી અને વિસાવદર પેટાચૂંટણીમાં કોનો થશે વિજય? અંબાલાલ પટેલે શું કરી ભવિષ્યવાણી
Gujarat Rain : રાજ્યના આ જિલ્લાઓમાં આજે ભુક્કા બોલાવશે વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain : રાજ્યના આ જિલ્લાઓમાં આજે ભુક્કા બોલાવશે વરસાદ, જાણો લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: ગુજરાતમાં અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલે કરી આ આગાહી, જાણી લો
Gujarat Rain: ગુજરાતમાં અતિભારે વરસાદને લઈ અંબાલાલ પટેલે કરી આ આગાહી, જાણી લો 
20 વર્ષ પછી તમારી દીકરી બની જશે કરોડપતિ, આ યોજનામાં શરૂ કરો રોકાણ
20 વર્ષ પછી તમારી દીકરી બની જશે કરોડપતિ, આ યોજનામાં શરૂ કરો રોકાણ
IND vs ENG First Test: કેપ્ટન ગિલ પર આઇસીસી મુકશે પ્રતિબંધ ? આ નિયમના ભંગ મામલે ઉભો થયો વિવાદ
IND vs ENG First Test: કેપ્ટન ગિલ પર આઇસીસી મુકશે પ્રતિબંધ ? આ નિયમના ભંગ મામલે ઉભો થયો વિવાદ
Embed widget