શોધખોળ કરો

Angarki Chaturthi 2023: આજે છે વર્ષની એકમાત્ર અંગારકી સંકષ્ટ ચતુર્થી, મંગળ દોષ તથા તમામ કષ્ટોમાંથી મુક્તિ માટે કરો વ્રત

Angarki Sankashti Chaturthi : ગણેશજીને પ્રિય એવી આ સંકટ ચોથનું વ્રત કરવાથી વિઘ્નો અને બંધનમાંથી પણ મુક્તિ મળે છે, તમામ કાર્ય સિદ્ધ થાય છે.

Angarki Sankashti Chaturthi: આજે મંગળવાર અને ચતુર્થીની તિથી હોવાથી તેને અંગારકી ચોથ કહેવામાં આવે છે. મંગળવારે આવતી ચોથને સંકષ્ટી ચોથ પણ કહેવામાં આવે છે. મંગળવારના દિવસે આવતી ચોથ ગણેશભક્તો માટે વિશેષ માહાત્મય ધરાવે છે. અંગારકી ચોથ ના દિવસે અમદાવાદના ગણેશ મંદિરમાં સવાર થી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી.

ગણપતિ દાદાના દર્શન માટે ઉમટી પડે છે ભક્તો
 
અંગારકી ચોથના દિવસે દુંદાળા દેવને વિશેષ પૂજા અર્ચના કરીને લાડુનો ભોગ ધરાવવામાં આવે છે. અને ગણેશ મંદિરોએ આજે ગણપતિ દાદાના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી પડે છે. ગણેશજીને પ્રિય એવા મોદક અને લાલ જાસૂદ, ગોળ તથા ધરોના પૂજાપા સાથે ભક્તો સિદ્ધિવિનાયકની પૂજા અર્ચના કરે છે. અમદાવાદમાં લાલ દરવાજા પાસે આવેલા ગણપતિ મંદિરમાં પણ પૂજા અર્ચનાનો વિશેષ માહોલ રચાય છે.

વિક્રમ સંવત 2079માં એકમાત્ર અંગારકી સંકષ્ટ ચતુર્થી

પોષ વદ ચોથ હોવાથી અંગારકી સંકષ્ટ ચતુર્થીની તિથિ બને છે. આ દિવસ 21 ચોથ કર્યાનું ફળ આપે છે. વિક્રમ સંવત 2079માં આ એકમાત્ર અંગારકી સંકષ્ટ ચતુર્થી છે. આજના શુભ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી લાંબા સમયથી અટકેલા કાર્યો નિવધ્ને પૂર્ણ થાય છે.આ દિવસે શ્રીગણપતિ અથર્વશીર્ષ, શ્રીસંકષ્ટનાશન ગણપતિ સ્તોત્રનું પઠન પણ ઉત્તમ ફળદાયી માનવામાં આવે છે. સાથે જ આ દિવસે ગણેશયાગનું ભક્તિ-ભાવપૂર્વક અનુાન કરવાથી પણ ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે.

સંકટ ચોથનું વ્રત વિધ્નો અને બંધનમાંથી આપે છે મુક્તિ

ગણેશજીને પ્રિય એવી આ સંકટ ચોથનું વ્રત કરવાથી વિઘ્નો અને બંધનમાંથી પણ મુક્તિ મળે છે, તમામ કાર્ય સિદ્ધ થાય છે. ધન-ધાન્ય, સંતાનસુખ, સમૃદ્ધિ વગેરેની પણ પ્રાપ્તિ થાય છે.   આ દિવસે વિદ્યાસુખદાતા, ભગવાન ગણેશજી અને મનનાં સ્વામી એવા ચંદ્રમાની પૂજા કરવામાં આવે છે. 21, 51 કે 108 વખત ગણેશજીનાં મંત્રનો જાપ પણ કરવામાં આવે છે.

સંકટ ચતુર્થી પર આ ચમત્કારિક મંત્રોનો જાપ અચૂક કરો

વક્રતુણ્ડ મહાકાયા સૂર્યકોટિ સમપ્રભા ।

નિર્વિઘ્નામ કુરુ મે દેવ, સર્વ-કાર્યષુ સર્વદા ॥

માન્યતા અનુસાર જો તમારી કુંડળીમાં ગ્રહ દોષ હોય તો ગણેશ ઉત્સવ દરમિયાન ઉપરોક્ત મંત્રનો જાપ કરો.

ગણપૂજ્યો વક્રતુન્ડા એકાદષ્ટિ ત્રિયમ્બકઃ ।

નીલગ્રીવો લંબોદરો વિગ્તો વિઘ્રજક:..

ધૂમ્રવર્ણો ભાલચન્દ્રો દશમસ્તુ વિનાયકઃ ।

ગણપર્તિહસ્તિમુખો દ્વાદસરે યજેદ્ગનમ.'

જો તમે ગણપતિજીને પ્રસન્ન કરવા માંગો છો તો તેના માટે ઉપરોક્ત મંત્ર સૌથી સરળ મંત્ર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ મંત્ર જેટલો સરળ છે તેટલો જ અસરકારક છે.

ત્રિમયખિલબુદ્ધિદાત્રે બુદ્ધિપ્રદીપાય સુરાધિપયા ।

નિત્યા સત્યાય ચ નિત્યબુદ્ધિ નિત્યમ્ નિરિહાય નમોસ્તુ નિત્યમ્

જો તમે કોઈ કામ માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છો અને સમય આવતા કામ બગડી જાય છે તો ઉપરોક્ત મંત્રનો જાપ કરો. આ મંત્ર તમારા બધા બગડેલા કામ પૂર્ણ કરશે. જો તમને મહેનત કરીને પણ મંઝિલ નથી મળી રહી તો ગણેશ ચતુર્થીના દિવસે આ મંત્રનો 21 વાર જાપ કરો.

ઓમ ગણ ગણપતે નમઃ

જો તમારા જીવનમાં સમસ્યાઓ આવી રહી છે અને તમે તે બધી સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગતા હોવ તો ગણેશ જીના આ મંત્રનો જાપ કરો. ભગવાન ગણેશનો આ મંત્ર એટલો ચમત્કારી છે કે તેનો જાપ કરવાથી જીવનની તમામ બાધાઓ અને પરેશાનીઓ દૂર થઈ જાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget