શોધખોળ કરો

Makar Sankranti 2023 Daan: ઉતરાયણ પર કોનું દાન કરવાથી કયા ગ્રહ સંબંધિત દોષ થાય છે દૂર, જાણો વિસ્તારથી..

Makar Sankranti 2023 Daan: ઉતરાયણ 15 જાન્યુઆરી 2023ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે દાનનું વિશેષ મહત્વ છે. આવો જાણીએ કોના દાનથી કયા ગ્રહના દોષ દૂર થાય છે.

Makar Sankranti 2023 Daan: હિંદુ ધર્મમાં ઉતરાયણના તહેવારનું વિશેષ મહત્વ છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. મકર રાશિમાં તેમના સંક્રમણથી શુભ દિવસોની શરૂઆત થાય છે. હિંદુ ધાર્મિક ગ્રંથોમાં મકરસંક્રાંતિના તહેવાર પર દાનને ખૂબ જ વિશેષ તરીકે વર્ણવવામાં આવ્યું છે. આ દિવસે લોકો ગરીબોને વિવિધ વસ્તુઓનું દાન કરે છે. લોકો સવારે સ્નાન કરે છે. આ પછી તેઓ સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરે છે અને ઘણી વસ્તુઓનું દાન કરે છે.

ધાર્મિક માન્યતા છે કે ઉતરાયણના દિવસે આ વસ્તુઓનું દાન કરવાથી સૂર્ય, શનિ, બુધ, ગુરુ, ચંદ્ર અને રાહુ-કેતુ સંબંધિત દોષો દૂર થાય છે અને ગ્રહોની શુભતા અને ભાગ્યનું બળ વધે છે. આવો જાણીએ કે મકરસંક્રાંતિના અવસર પર કઈ વસ્તુઓનું દાન કરવાથી ક્યા ગ્રહના દોષ સમાપ્ત થાય છે.

મકરસંક્રાંતિ 2023 પર કરો આ વસ્તુઓનું દાન

તલનું દાનઃ મકરસંક્રાંતિના અવસર પર દરેક વ્યક્તિએ સ્નાન કર્યા પછી કાળા તલનું દાન અવશ્ય કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી સૂર્યની કૃપાથી ધન અને ધાન્ય વધે છે અને શનિદોષ પણ દૂર થાય છે.

ખીચડીનું દાનઃ મકરસંક્રાંતિના દિવસે સ્નાન અને પૂજા કર્યા પછી કાળા અડદ, લીલા મગ અને ચોખાથી બનેલી ખીચડીનું દાન કેટલાક ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી શનિ, ગુરુ અને બુધ સાથે જોડાયેલા દોષ દૂર થાય છે અને કાર્યોમાં સફળતા મળે છે.

ચામડાના ચંપલનું દાનઃ મકરસંક્રાંતિ પર ચામડાના ચંપલ, કાળા તલ અને કાળા અડદનું દાન કરવાથી શનિદોષ દૂર થાય છે.

ગોળ અને ઘીનું દાનઃ મકરસંક્રાંતિના દિવસે ગોળ અને ઘીનું દાન કરવાથી દેવગુરુ બૃહસ્પતિના દોષ દૂર થાય છે.

ગોળનું દાનઃ મકરસંક્રાંતિ પર ગોળનું દાન કરવાથી કુંડળીમાં 3 ગ્રહો સૂર્ય, ગુરુ અને શનિના દોષ દૂર થાય છે. મકરસંક્રાંતિ પર ગોળ અને કાળા તલના લાડુનું દાન કરવાથી સૂર્યનું બળ વધે છે. મકરસંક્રાંતિના દિવસે ગોળથી બનેલી વસ્તુઓ ખાવાથી અને દાન કરવાથી વિશેષ લાભ થાય છે.

ચોખાનું દાનઃ ચોખાને ચંદ્રનું પ્રતીક માનવામાં આવે છે. મકરસંક્રાંતિ પર ચોખાનું દાન કરવાથી ચંદ્ર બળવાન બને છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે છે.

ધાબળાનું દાનઃ મકરસંક્રાંતિના અવસર પર કાળા ધાબળા અને ગરમ વસ્ત્રોનું દાન કરવું જોઈએ. આમ કરવાથી કુંડળીમાં રાહુ ગ્રહ સાથે જોડાયેલા દોષ દૂર થાય છે. કાળા અને સફેદ ધાબળાનું દાન કરવાથી રાહુ અને કેતુના દોષોથી મુક્તિ મળે છે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Dwarka Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે દ્વારકા જિલ્લામાં પવનના સુસવાટા સાથે ભારે વરસાદ 
Dwarka Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે દ્વારકા જિલ્લામાં પવનના સુસવાટા સાથે ભારે વરસાદ 
સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર! ટૂંક સમયમાં DA માં વધારાની જાહેરાત થઈ શકે, પગારમાં થશે ધરખમ વધારો
સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર! ટૂંક સમયમાં DA માં વધારાની જાહેરાત થઈ શકે, પગારમાં થશે ધરખમ વધારો
Gujarat Weather Update: રાજ્યમાં ગાજવીજ સાથે આ તારીખથી પડશે કમોસમી વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Weather Update: રાજ્યમાં ગાજવીજ સાથે આ તારીખથી પડશે કમોસમી વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Iran War: તેલ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પેટ્રોકેમિકલ ઉત્પાદનો પર મોટી છૂટ
Iran War: તેલ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પેટ્રોકેમિકલ ઉત્પાદનો પર મોટી છૂટ

વિડિઓઝ

સાળંગપુરધામમાં હનુમાન જયંતિની ઉજવણી, 8 કિલોના સુવર્ણ વાઘાનો હનુમાનજીને શણગાર
Hun To Bolish : હું તો બોલીશ : 2027ની સેમિફાઇનલ
Hun To Bolish : હું તો બોલીશ : મકાનોમાં કેમ ફેલાય છે આગ ?
Surat Corporation Election : કથીરિયાના પત્નીએ ભાજપમાંથી માંગી ટિકિટ
Amit Chavda : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારો અંગે શું કહ્યું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dwarka Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે દ્વારકા જિલ્લામાં પવનના સુસવાટા સાથે ભારે વરસાદ 
Dwarka Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે દ્વારકા જિલ્લામાં પવનના સુસવાટા સાથે ભારે વરસાદ 
સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર! ટૂંક સમયમાં DA માં વધારાની જાહેરાત થઈ શકે, પગારમાં થશે ધરખમ વધારો
સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર! ટૂંક સમયમાં DA માં વધારાની જાહેરાત થઈ શકે, પગારમાં થશે ધરખમ વધારો
Gujarat Weather Update: રાજ્યમાં ગાજવીજ સાથે આ તારીખથી પડશે કમોસમી વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Weather Update: રાજ્યમાં ગાજવીજ સાથે આ તારીખથી પડશે કમોસમી વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Iran War: તેલ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પેટ્રોકેમિકલ ઉત્પાદનો પર મોટી છૂટ
Iran War: તેલ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: પેટ્રોકેમિકલ ઉત્પાદનો પર મોટી છૂટ
ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટતા, ઇરાન સામે જંગ હજુ 2થી3 સપ્તાહ રહેશે ચાલુ, તેજ હુમલાની આપી ચેતવણી
ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટતા, ઇરાન સામે જંગ હજુ 2થી3 સપ્તાહ રહેશે ચાલુ, તેજ હુમલાની આપી ચેતવણી
આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના ડેપ્યુટી લીડર પદથી હટાવ્યા; આ નેતાને સોંપી નવી જવાબદારી
આમ આદમી પાર્ટીએ રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના ડેપ્યુટી લીડર પદથી હટાવ્યા; આ નેતાને સોંપી નવી જવાબદારી
Ramayana Teaser Out: ભક્તિરસથી ભરપૂર 'રામાયણ'નું ટીઝર રિલીઝ; 'ભગવાન રામ'ના અવતારમાં જોવા મળ્યો રણબીર કપૂર
Ramayana Teaser Out: ભક્તિરસથી ભરપૂર 'રામાયણ'નું ટીઝર રિલીઝ; 'ભગવાન રામ'ના અવતારમાં જોવા મળ્યો રણબીર કપૂર
ઇરાન જંગ પર ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન: ઇરાન સાથે નહીં કરીએ કોઇ ડીલ, પરમાણુ શક્તિ નહિં બનવા દઇએ
ઇરાન જંગ પર ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન: ઇરાન સાથે નહીં કરીએ કોઇ ડીલ, પરમાણુ શક્તિ નહિં બનવા દઇએ
Embed widget