શોધખોળ કરો

Ganesh Chaturthi 2023: આજે ગણેશ ચતુર્થી, જાણો ગણપતિ બાપ્પાની સ્થાપનાનું મુહૂર્ત અને વિધિ વિધાન

Ganesh Chaturthi 2023: આજથી 10 દિવસ ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થશે

Ganesh Chaturthi 2023: આજે મંગળવારથી ગણપતિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આજથી 10 દિવસ ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી થશે. 10 દિવસ દરમિયાન રાજ્યભરના મંદિરોમાં ગણપતિ દાદાની વિશેષ આરતી સહિતના આયોજનો કરવામાં આવ્યા છે. તો રાજ્યભરમાં ઠેક- ઠેકાણે ગણપતિ દાદાનું સ્થાપન કરાશે. આ વખતે ઈકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપનાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. ગણેશ ચતુર્થીના પાવન અવસર પર મંદિરને ફુલહાર તેમજ રોશનીના શણગાર કરવામાં આવ્યા છે.

 ગણેશજીની સ્થાપના માટેનું શુભ મૂહૂર્ત 

હિંદુ કેલેન્ડર મુજબ, ગણેશ ચતુર્થી 18 સપ્ટેમ્બર 2023 ના રોજ બપોરે 12:39 વાગ્યે શરૂ થઈ છે અને 19 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8:43 વાગ્યે સમાપ્ત થશે. હિંદુ ધર્મમાં ગણેશ ચતુર્થીના તહેવારનું વિશેષ મહત્વ છે. ગણેશજીને સમૃદ્ધિ અને જ્ઞાનના દેવતા પણ માનવામાં આવે છે. ગણેશ ચતુર્થીનો તહેવાર હિંદુ કેલેન્ડર મુજબ ભાદરવાની શુકલ ચતુર્થીના દિવસે ઉજવવામાં આવે છે. જે અંગ્રેજી કેલેન્ડર મુજબ આ વર્ષે આજે એટલે કે 19 સપ્ટેમ્બર 2023ના રોજ ઉજવવામાં આવશે.

ગણેશ ચતુર્થીએ ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના માટેનું સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત સવારે 11ઃ05 થી બપોરે 1ઃ42 મિનિટ સુધી છે. સત્યયુગમાં ભગવાન ગણેશજીનું પ્રાગટ્ય ભાદરવાની શુકલ ચતુર્થીના દિવસે થયું હતું. જે કાર્યના આશયથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે તે આશય માટે સંકલ્પ કરી ગણેશ મહોત્સવમાં પૂજા શરૂ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે અને પૂજા ફળે છે. 

આ દિવસથી ગણેશજીનું પર્વ શરૂ કરવાનું મહત્વ છે. ગણેશ ચતુર્થીથી અનંત ચૌદશ સુધી આ પર્વે  સાચી ભક્તિ અને શ્રદ્ધાથી ગણેશજીની સ્થાપના કરી જે પૂજન અર્ચન કરે છે તેના  તમામ પ્રકારના વિઘ્નો અને સંકટો દુર થાય  છે.  બુદ્ધિ અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે એવો લાખો ભક્તોનો અનુભવ છે.

ગણેશ ચતુર્થીના દિવસે સવારે વહેલા ઉઠો, સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. બાપ્પાના આગમન માટે ઘરના મંદિરની સફાઈ કરો અને ઘરને શણગારો. ઉત્તર-પૂર્વ ખૂણામાં લાકડાની ચોકી લગાવો અને પોસ્ટ પર લાલ કે પીળા રંગનું કપડાનું આસન આપો. ગણપતિની મૂર્તિને યોગ્ય સમયે ઘરે લાવો અને તેને બાજોટ પર  મુકો. આ પછી તેમને સિંદૂર, ફૂલની માળા, ધૂપ, દીવો, અક્ષત, પાન, લાડુ, મોદક, દુર્વા વગેરે અર્પણ કરો. આ પછી વિધિ-વિધાન પ્રમાણે ભગવાન ગણેશની નિયમિત પૂજા કરો. ઘર પર ગણેશ સ્થાપના આપ એક દિવસ, 3 કે પાંચ અથવા 7 કે 11 દિવસ સુધી શકો છો. બાદ વિસર્જન કરી શકાય છે.                                                                             

ભગવાન ગણેશને દુઃખહર્તા, શુભ અને વિઘ્નહર્તા જેવા નામોથી ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગણેશ ચતુર્થી દરમિયાન જે ઘરમાં ગણપતિની સ્થાપના કરવામાં આવે છે અને વિધિ પ્રમાણે પૂજા કરવામાં આવે છે, ગણપતિ તે ઘરની તમામ મુશ્કેલીઓ, સમસ્યાઓ અને અવરોધોને પોતાની સાથે લઈ જાય છે. આવા ઘરમાં બધું જ શુભ જ થાય  છે. લોકો આખા વર્ષ દરમિયાન આ તહેવારની રાહ જુએ છે અને તેને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
Advertisement

વિડિઓઝ

Ahmedabad Call Center : અમેરિકામાં દવાના નામે ડોલર પડાવીને ઠગાઈ કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ
Jignesh Mevani Support Rally In Patan : જીગ્નેશ મેવાણીના સમર્થનમાં થરાદ અને પાટણમાં રેલી
Hun To Bolish : હું તો બોલીશ : આપણે આંગણે કોમનવેલ્થ ગેમ્સ
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગયા નગરપાલિકાના રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવ્યું હવામાં ઝેર ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,  ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે આવ્યું
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,  ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે આવ્યું
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી,  ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી, ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
શેર બજારમાં ફરી રોનક! જાણો 26 નવેમ્બરની શાનદાર તેજી પાછળ શું છે મોટા કારણો 
શેર બજારમાં ફરી રોનક! જાણો 26 નવેમ્બરની શાનદાર તેજી પાછળ શું છે મોટા કારણો 
Embed widget