શોધખોળ કરો

Hanuman Jayanti: મોરારી બાપુની કાળી શાલ ક્યા ભગવાને પ્રસન્ન થઈને ભેટમાં આપી હોવાની છે માન્યતા ?

મોરારી બાપુ આ કાળી શાલ ભગવાન હનુમાનજી કે કોઈ સિધ્ધ સંતે આપી હોવાનો સ્પષ્ટ ઈન્કાર કરે છે. બાપુનું કહેવું છે કે, આ કાળી શાલની પાછળ કોઈ રહસ્ય નથી કે તેની સાથે કોઈ પણ પ્રકારના ચમત્કાર પણ જોડાયેલા નથી.

Morari bapu:  જાણીતા કથાકાર મોરારી બાપુ હંમેશાં પોતાના ખભા પર કાળી શાલ ધારણ કરીને ફરે છે. વિશિષ્ટ વળાંક સાથેના અક્ષરોમાં ' રામ'  લખેલી આ કાળી શાલ હંમેશાં મોરારી બાપુના ખભા પર જોવા મળે છે. આ  'કાળી શાલ'  વિશે અનેક દંતકથાઓ પ્રચલિત છે.

શું છે દંતકથા

આ પૈકીની એક દંતકથા એવી છે કે,  આ કાળી શાલ મોરારીબાપુને ભગવાન હનુમાનજીએ જાતે આપી છે. આ દંતકથા પ્રમાણે મોરારીબાપુની રામકથાથી ખુશ થયેલા રામભક્ત હનુમાનજી પોતે મોરારીબાપુ સામે પ્રગટ થયા હતા અને તેમને આ કાળી શાલ ભેટમાં આપી હતી. આ કાળી શાલે મોરારી બાપુનું નસીબ પલટી નાંખ્યું. મોરારી બાપુ સાથે આ શાલના માધ્યમથી ભગવાન હનુમાનજી હાજરાહજૂર છે તેથી મોરારી બાપુને સુખ, સિધ્ધી અને સંપન્નતા પ્રાપ્ત થયાં છે.

એક દંતકથા એવી પણ છે કે,  આ કાળી શાલ જૂનાગઢના સિધ્ધ એક સંતે મોરારી બાપુને આપી છે. ગિરનાર પર્વત પર સાધના કરતા આ સિધ્ધ સંત મોરારી બાપુની રામભક્તિથી ખુશ થયા તેથી તેમણે આ શાલ મોરારી બાપુને ભેટમાં આપી હતી. મોરારી બાપુ એ વખતે યુવાન હતા અને હજુ નવી નવી રામકથા કરતા હતા. આ કાળી શાલ મળતાં જ મોરારી બાપુનાં નસીબ ઉઘડી ગયાં. મોરારી બાપુની કથાઓમાં લોકોની ભીડ જામવા માંડી. બાપુ રામકથાકાર તરીકે સ્થાપિત થઈ ગયા.


Hanuman Jayanti: મોરારી બાપુની કાળી શાલ ક્યા ભગવાને પ્રસન્ન થઈને ભેટમાં આપી હોવાની છે માન્યતા ?

શું કહે છે મોરારી બાપુ

જો કે મોરારી બાપુ આ બધી દંતકથાઓને ખોટી ગણાવે છે. મોરારી બાપુ આ કાળી શાલ ભગવાન હનુમાનજી કે કોઈ સિધ્ધ સંતે આપી હોવાનો સ્પષ્ટ ઈન્કાર કરે છે. મોરારી બાપુનું કહેવું છે કે, આ કાળી શાલની પાછળ કોઈ રહસ્ય નથી કે તેની સાથે  કોઈ પણ પ્રકારના ચમત્કાર પણ જોડાયેલા નથી. હું આ કાળી શાલ મારી અંગત પસંદગીના કારણે સાથે રાખું છું.  મને બાળપણથી કાળા રંગ વિશે ખાસ પ્રેમ રહ્યો છે. મને કાળો રંગ સૌથી વધારે ગમે છે તેથી જ હું આ શાલને ખભા પર રાખું છું. આ સિવાય કાળા રંગની શાલ રાખવા પાછળ કોઈ રહસ્ય નથી.

મોરારી બાપુ વરસોથી એક જ કાળી શાલ પોતાની સાથે રાખે છે એ માન્યતા પણ ખોટી છે. મોરારી બાપુ લોકોને પ્રેમથી કાળી શાલની ભેટ પણ આપે છે. રામકથા હોય ત્યારે સમાજના વિકાસમાં યોગદાન આપનારા લોકોને ' રામ'  લખેલી કાળી શાલ મોરારી બાપુ તરફથી ભેટમાં મોકલાય છે. કથામાં આવનારા ઘણા વિશિષ્ટ મહેમાનોનું પણ બાપુ ' રામ'  લખેલી કાળી શાલ સાથે સન્માન કરી ચૂક્યા છે.

મોરારી બાપુ વૈષ્ણવ પરંપરાને પાળતા પરિવારમાંથી આવે છે. આ કારણે તે શરૂઆતનાં વરસોમાં વૈષ્ણવ કથાકારો જેવાં સફેદ રંગનાં કપડાં પહેરતા હતા . એ વખતે તે પોતાની સાથે ' રામ'  લખેલી કાળી શાલ નહોતા રાખતા પણ કેટલાંક વરસો પછી તેમણે કાળી શાલ ધારણ કરવા માંડી. સફેદ વસ્ત્રો સાથે કાળી શાલ સારી શોભતી હતી. બાપુને કાળો રંગ પણ પસંદ હતો તેથી તેમણે કાયમ માટે કાળી શાલને અપનાવી લીધી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
Embed widget