શોધખોળ કરો

Hanuman Jayanti: મોરારી બાપુની કાળી શાલ ક્યા ભગવાને પ્રસન્ન થઈને ભેટમાં આપી હોવાની છે માન્યતા ?

મોરારી બાપુ આ કાળી શાલ ભગવાન હનુમાનજી કે કોઈ સિધ્ધ સંતે આપી હોવાનો સ્પષ્ટ ઈન્કાર કરે છે. બાપુનું કહેવું છે કે, આ કાળી શાલની પાછળ કોઈ રહસ્ય નથી કે તેની સાથે કોઈ પણ પ્રકારના ચમત્કાર પણ જોડાયેલા નથી.

Morari bapu:  જાણીતા કથાકાર મોરારી બાપુ હંમેશાં પોતાના ખભા પર કાળી શાલ ધારણ કરીને ફરે છે. વિશિષ્ટ વળાંક સાથેના અક્ષરોમાં ' રામ'  લખેલી આ કાળી શાલ હંમેશાં મોરારી બાપુના ખભા પર જોવા મળે છે. આ  'કાળી શાલ'  વિશે અનેક દંતકથાઓ પ્રચલિત છે.

શું છે દંતકથા

આ પૈકીની એક દંતકથા એવી છે કે,  આ કાળી શાલ મોરારીબાપુને ભગવાન હનુમાનજીએ જાતે આપી છે. આ દંતકથા પ્રમાણે મોરારીબાપુની રામકથાથી ખુશ થયેલા રામભક્ત હનુમાનજી પોતે મોરારીબાપુ સામે પ્રગટ થયા હતા અને તેમને આ કાળી શાલ ભેટમાં આપી હતી. આ કાળી શાલે મોરારી બાપુનું નસીબ પલટી નાંખ્યું. મોરારી બાપુ સાથે આ શાલના માધ્યમથી ભગવાન હનુમાનજી હાજરાહજૂર છે તેથી મોરારી બાપુને સુખ, સિધ્ધી અને સંપન્નતા પ્રાપ્ત થયાં છે.

એક દંતકથા એવી પણ છે કે,  આ કાળી શાલ જૂનાગઢના સિધ્ધ એક સંતે મોરારી બાપુને આપી છે. ગિરનાર પર્વત પર સાધના કરતા આ સિધ્ધ સંત મોરારી બાપુની રામભક્તિથી ખુશ થયા તેથી તેમણે આ શાલ મોરારી બાપુને ભેટમાં આપી હતી. મોરારી બાપુ એ વખતે યુવાન હતા અને હજુ નવી નવી રામકથા કરતા હતા. આ કાળી શાલ મળતાં જ મોરારી બાપુનાં નસીબ ઉઘડી ગયાં. મોરારી બાપુની કથાઓમાં લોકોની ભીડ જામવા માંડી. બાપુ રામકથાકાર તરીકે સ્થાપિત થઈ ગયા.


Hanuman Jayanti: મોરારી બાપુની કાળી શાલ ક્યા ભગવાને પ્રસન્ન થઈને ભેટમાં આપી હોવાની છે માન્યતા ?

શું કહે છે મોરારી બાપુ

જો કે મોરારી બાપુ આ બધી દંતકથાઓને ખોટી ગણાવે છે. મોરારી બાપુ આ કાળી શાલ ભગવાન હનુમાનજી કે કોઈ સિધ્ધ સંતે આપી હોવાનો સ્પષ્ટ ઈન્કાર કરે છે. મોરારી બાપુનું કહેવું છે કે, આ કાળી શાલની પાછળ કોઈ રહસ્ય નથી કે તેની સાથે  કોઈ પણ પ્રકારના ચમત્કાર પણ જોડાયેલા નથી. હું આ કાળી શાલ મારી અંગત પસંદગીના કારણે સાથે રાખું છું.  મને બાળપણથી કાળા રંગ વિશે ખાસ પ્રેમ રહ્યો છે. મને કાળો રંગ સૌથી વધારે ગમે છે તેથી જ હું આ શાલને ખભા પર રાખું છું. આ સિવાય કાળા રંગની શાલ રાખવા પાછળ કોઈ રહસ્ય નથી.

મોરારી બાપુ વરસોથી એક જ કાળી શાલ પોતાની સાથે રાખે છે એ માન્યતા પણ ખોટી છે. મોરારી બાપુ લોકોને પ્રેમથી કાળી શાલની ભેટ પણ આપે છે. રામકથા હોય ત્યારે સમાજના વિકાસમાં યોગદાન આપનારા લોકોને ' રામ'  લખેલી કાળી શાલ મોરારી બાપુ તરફથી ભેટમાં મોકલાય છે. કથામાં આવનારા ઘણા વિશિષ્ટ મહેમાનોનું પણ બાપુ ' રામ'  લખેલી કાળી શાલ સાથે સન્માન કરી ચૂક્યા છે.

મોરારી બાપુ વૈષ્ણવ પરંપરાને પાળતા પરિવારમાંથી આવે છે. આ કારણે તે શરૂઆતનાં વરસોમાં વૈષ્ણવ કથાકારો જેવાં સફેદ રંગનાં કપડાં પહેરતા હતા . એ વખતે તે પોતાની સાથે ' રામ'  લખેલી કાળી શાલ નહોતા રાખતા પણ કેટલાંક વરસો પછી તેમણે કાળી શાલ ધારણ કરવા માંડી. સફેદ વસ્ત્રો સાથે કાળી શાલ સારી શોભતી હતી. બાપુને કાળો રંગ પણ પસંદ હતો તેથી તેમણે કાયમ માટે કાળી શાલને અપનાવી લીધી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
Char Dham Yatra 2026: ચારધામ યાત્રા માટે 19 એપ્રિલથી કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ ડિટેલ્સ
Char Dham Yatra 2026: ચારધામ યાત્રા માટે 19 એપ્રિલથી કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ ડિટેલ્સ

વિડિઓઝ

Morbi Audio Viral: ચૂંટણી પહેલા મોરબી જીલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમા પર
Ahmedabad News : અમદાવાદના આનંદનગરની સ્કારલેટ સોસાયટીમાં ક્રિકેટ રમતી વખતે ધિંગાણું
Nitish Kumar Resignation: નીતિશ કુમારે વિધાન પરિષદથી આપ્યું રાજીનામું
Umreth by-Election: ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીને લઈ મોટા સમાચાર, ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Toll Tax Increase : 1 એપ્રિલથી નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી
Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી
ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર કર્યા જાહેર, ગોવિંદ પરમારના પુત્રને આપી ટિકિટ
ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવાર કર્યા જાહેર, ગોવિંદ પરમારના પુત્રને આપી ટિકિટ
Financial Changes from 1 April 2026: ટેક્સથી લઈને ટ્રેન ટિકિટ સુધી, 1 એપ્રિલથી બદલાશે આ 10 નિયમો 
Financial Changes from 1 April 2026: ટેક્સથી લઈને ટ્રેન ટિકિટ સુધી, 1 એપ્રિલથી બદલાશે આ 10 નિયમો 
Weather Update: આગામી 4 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Weather Update: આગામી 4 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે MLC પદ પરથી આપ્યું રાજીનામું; નવા મુખ્યમંત્રી અંગે સસ્પેન્સ યથાવત
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે MLC પદ પરથી આપ્યું રાજીનામું; નવા મુખ્યમંત્રી અંગે સસ્પેન્સ યથાવત
West Asia Conflict: કુવૈતના પાવર પ્લાન્ટ પર ઈરાનનો હુમલો, એક ભારતીયનું મોત
West Asia Conflict: કુવૈતના પાવર પ્લાન્ટ પર ઈરાનનો હુમલો, એક ભારતીયનું મોત
ઘરની છતથી લઈને અનાજ સુધી, સરકાર 2026ની વસ્તી ગણતરીમાં પૂછશે 33 સવાલો
ઘરની છતથી લઈને અનાજ સુધી, સરકાર 2026ની વસ્તી ગણતરીમાં પૂછશે 33 સવાલો
Gujarat Rain Forecast : રાજ્યનું ફરી બદલાશે વાતાવરણ, આ જિલ્લાઓમાં માવઠાની આગાહી
Gujarat Rain Forecast : રાજ્યનું ફરી બદલાશે વાતાવરણ, આ જિલ્લાઓમાં માવઠાની આગાહી
Embed widget