![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
HOLI 2021:હોલિકા દહનના દિવસે કરો આ અચૂક ઉપાય, લગ્નમાં આવતા વિઘ્ન થશે દૂર, અને સમૃદ્ધિનું મળશે વરદાન
હોળીનો તહેવાર આખા દેશમાં ખૂબ જ આસ્થા અને ઉલ્લાસ સાથે મનાવામાં આવે છે. 28 માર્ચે હોલિકા દહન બાદ 29 માર્ચે ધૂળેટી છે. આ અવસરે હોલિકા દહન સમયે કયો ઉપાય કરવાથી ધન ધાન્યની સમૃદ્ધિના આશિષ મેળવી શકાય જાણીએ...
![HOLI 2021:હોલિકા દહનના દિવસે કરો આ અચૂક ઉપાય, લગ્નમાં આવતા વિઘ્ન થશે દૂર, અને સમૃદ્ધિનું મળશે વરદાન Holika Dahan 2021: By taking these measures you can save money in this occasion HOLI 2021:હોલિકા દહનના દિવસે કરો આ અચૂક ઉપાય, લગ્નમાં આવતા વિઘ્ન થશે દૂર, અને સમૃદ્ધિનું મળશે વરદાન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/03/21/12ed26bc007b0f4e853277e6498b3a16_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ધર્મ:હોળીના તહેવાર બે દિવસે ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવે છે. એક દિવસ હોલિકા દહન જ્યારે બીજા દિવસે રંગોની હોળી રંગોત્સવી એટલે કે ધૂળેટીની ઉજવણી થાય છે.
હિન્દુ પંચાગ મુજબ હોળીનો તહેવાર ફાગણ પૂર્ણિમામાં ઉજવવામાં આવે છે. હોલિકા દહનમાં કાષ્ટનું પૂજન અર્ચન કરીને તેનું દહન કરવામાં આવે છે. જ્યોતિષાચાર્ય મુજબ હોળીમાં એવી વસ્તુઓ હોમવામાં આવે છે. જેનાથી ઘરમાં રહેલા સંકટો દૂર થાય અને ખુશીનું આગમન થાય.
જ્યોતિષાચાર્યના જણાવ્યાં અનુસાર હોળીનું પાવન પર્વ વિષ્ણુજીને સમર્પિત છે. આજના દિવસે જો વિષ્ણુજીનું ધ્યાન કરવામાં આવે તો જીવનના દરેક સંકટથી મુક્તિ મળે છે. હોળીના પર્વે નરસિંહ ભગવાનનું ધ્યાન કરવાથી પૂજન કરવાથી પ્રગતિ માટેના માર્ગ મોકળો બને છે.
હોલિકા દહન સાથે નકારાત્મક શક્તિનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. હોલિકા દહન બાદ હોળીની ભસ્મને ઘરમાં છાંટવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આ ભસ્મનું તિલક પણ લગાવી શકાય છે. આવું કરવાથી જીવનના વિઘ્નો દૂર થાય છે અને પ્રગતિ માટે માર્ગ પ્રશસ્ત થાય છે.
લગ્નમાં આવતું વિઘ્ન દૂર થશે
જો કોઇ કન્યાના લગ્નમાં વિઘ્ન આવતા હોય તો હોળીમાં ચપટી સિંદૂર હોમવાથી લગ્નમાં આવતા વિઘ્ન દૂર થાય છે. દામ્પત્ય જીવનમાં જો કોઇ મુશ્કેલી હોય તો પણ આ પ્રયોગ કરવાથી સમસ્યા દૂર થાય છે.
ધનની કમી થશે દૂર
ઘનની કમી દૂર કરવા માટે હોલિકા દહનની રાત્રે હોળીની સાત વખત પ્રદક્ષિણા કરો. પ્રદક્ષિણા કરતી વખતે લક્ષ્મીમંત્રનો જાપ કરો અને લક્ષ્મીજીને પ્રાર્થના કરો. આ પ્રયોગથી લક્ષ્મીના આશિષ મળે છે અને ઘરમાં વૈભવ વધે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)