શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2026

(Source: ECI/ABP News)

Tulsi Water Upay: તુલસી જળના આ ઉપાયોથી થશે મા લક્ષ્મીની કૃપા, નોકરી-ધંધામાં મળશે સફળતા

Tulsi Upay: દરેક હિંદુના ઘરમાં તુલસીનો છોડ જરૂર હશે. તુલસીનો છોડ પૂજનીય છે. નિયમિત રીતે તુલસીની પૂજા કરવાથી અને તેને જળ અર્પણ કરવાથી વ્યક્તિ પર માતા લક્ષ્મીની કૃપા થતી હોવાનું કહેવાય છે

Tulsi Upay: હિન્દુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ છે. તુલસી માતા લક્ષ્મીનું સ્વરૂપ હોવાની માન્યતા છે. દરેક હિન્દુના ઘરમાં તુલસીનો છોડ જરૂર હશે. તુલસીનો છોડ પૂજનીય છે. નિયમિત રીતે તુલસીની પૂજા કરવાથી અને તેને જળ અર્પણ કરવાથી વ્યક્તિ પર માતા લક્ષ્મીની કૃપા થતી હોવાનું કહેવાય છે. ઉપરાંત સમસ્ત દુખોનો નાશ થાય છે અને મૃત્યુ બાદ વ્યક્તિને સદગતિ પ્રાપ્ત થાય છે.

એવું કહેવાય છે કે તુલસીનો છોડ ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. નિયમિત રીતે તુલસીની પૂજા અને દેખભાળ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશી આવે છે. તુલસીને જળ અર્પણ કરવાના અનેક ફાયદા છે. તુલસીના પાણી સાથે જોડાયેલા કેટલાક વિશેષ ઉપાય કરવાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. ઉપરાંત નોકરી અને બિઝનેસમાં પ્રગતિ થાય છે.

ઠાકોરજીને તુલસી પાણીથી કરાવો સ્નાન

ભગવાન શ્રીકૃષ્ણને તુલસી અત્યંત પ્રિય છે. તેથી કહેવાય છે કે જો ઠાકોરજી એટલે કે કાનાને તુલસીના પાણીથી સ્નાન કરાવવાથી તે પ્રસન્ન થાય છે અને ભક્તો પર કૃપા વરસાવે છે. જો તમે પણ ભગવાન શ્રીકૃષ્ણની કૃપા મેળવવા ઈચ્છતા હો તો તુલસીવાળા પાનની સ્નાન કરાવો.

ઘરમાં તુલસી જળ છાંટો

તુલસીના પવિત્ર પાનને પાણીમાં રાખીને સવારે પૂજા બાદ આ પાણીનો ઘરમાં છંટકાવ કરો. ઘરનો કોઈપણ ખૂણો તુલસી જળથી વંચિત ન રહેવો જોઈએ. આમ કરવાથી નકારાત્મક શક્તિઓ ઘરમાંથી ભાગી જતી હોવાની અને સકારાત્મક શક્તિઓનો વાસ થતો હોવાની માન્યતા છે.

લાંબી બીમારીથી મળશે મુક્તિ

જો પરિવારના કોઈ સભ્ય લાંબા સમયથી બીમાર હોય તો તેના પર તુલસીના પાણીનો છંટકાવ કરવો જોઈએ. સવાર-સાંજ પૂજા બાદ આવું એક સપ્તાહ સુધી કરો. આમ કરવાથી શરીરમાં ઘૂસેલી અસાધ્ય બીમારી દૂર થવા લાગશે અને વ્યક્તિ ધીમે ધીમે સ્વસ્થ થશે.

નોકરી-ધંધામાં થશે પ્રગતિ

જો સતત મહેનત બાદ પણ નોકરી કે ધંધામાં પ્રગતિ ન થતી હોય તો તુલસીના પાનને ત્રણ દિવસ સુધી પાણીમાં પલાળીને રાખો. જે બાદ આ પાણીનો છંટકાવ સવાર-સાંજ પૂજા બાદ ઓફિસ કે ઘરમાં કરો. તેનાથી કારોબારમાં પ્રગતિનો માર્ગ ખૂલે છે. ઉપરાંત નોકરીવાળી જગ્યા પર પણ આ પાણીના છંટકાવથી પ્રગતિ થાય છે.

ડિસ્ક્લેમરઃ ઉપર આપેલી માહિતી માત્ર માન્યતા અને જાણકારી આધારિત છે. એબીપી ન્યૂઝ આવી કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ જાણકારી કે માન્યતાનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બંગાળમાં TMC ની કારમી હાર વચ્ચે સૌથી મોટો ઉલટફેર, ભવાનીપુરમાં મમતા બેનર્જી 15105 મતોથી હાર્યા
બંગાળમાં TMC ની કારમી હાર વચ્ચે સૌથી મોટો ઉલટફેર, ભવાનીપુરમાં મમતા બેનર્જી 15105 મતોથી હાર્યા
'CRPF વાળાએ મને લાત મારી, ધક્કો માર્યો', બંગાળમાં કારમી હાર વચ્ચે મમતા બેનર્જીનો મોટો આરોપ
'CRPF વાળાએ મને લાત મારી, ધક્કો માર્યો', બંગાળમાં કારમી હાર વચ્ચે મમતા બેનર્જીનો મોટો આરોપ
ગુજરાત સરકારના કર્મચારીઓને ભેટ: મોંઘવારી ભથ્થામાં 2% વધારો, હવે 58% ની જગ્યાએ 60% DA મળશે
ગુજરાત સરકારના કર્મચારીઓને ભેટ: મોંઘવારી ભથ્થામાં 2% વધારો, હવે 58% ની જગ્યાએ 60% DA મળશે
'ભાજપના કાર્યકરોએ કમાલ કર્યા, પશ્ચિમ બંગાળમાં બમ્પર જીત પર બોલ્યા PM મોદી 
'ભાજપના કાર્યકરોએ કમાલ કર્યા, પશ્ચિમ બંગાળમાં બમ્પર જીત પર બોલ્યા PM મોદી 

વિડિઓઝ

West Bengal Election Results 2026 : પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતની ડબ્બલ સેન્ચુરી
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપનો સુવર્ણકાળ
PM Modi : પશ્ચિમ બંગાળમાં ખિલ્યું કમળ, વડાપ્રધાન મોદીની સોશિયલ મીડિયા પર પોસ્ટ
Amit Shah : TMCના ભય પર ભરોસોની જીત, અમિત શાહની પોસ્ટ
West Bengal Election Results 2026 : રાહુલ ગાંધીએ મમતા બેનર્જી સાથે કરી ટેલિફોનિક વાતચીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળમાં TMC ની કારમી હાર વચ્ચે સૌથી મોટો ઉલટફેર, ભવાનીપુરમાં મમતા બેનર્જી 15105 મતોથી હાર્યા
બંગાળમાં TMC ની કારમી હાર વચ્ચે સૌથી મોટો ઉલટફેર, ભવાનીપુરમાં મમતા બેનર્જી 15105 મતોથી હાર્યા
'CRPF વાળાએ મને લાત મારી, ધક્કો માર્યો', બંગાળમાં કારમી હાર વચ્ચે મમતા બેનર્જીનો મોટો આરોપ
'CRPF વાળાએ મને લાત મારી, ધક્કો માર્યો', બંગાળમાં કારમી હાર વચ્ચે મમતા બેનર્જીનો મોટો આરોપ
ગુજરાત સરકારના કર્મચારીઓને ભેટ: મોંઘવારી ભથ્થામાં 2% વધારો, હવે 58% ની જગ્યાએ 60% DA મળશે
ગુજરાત સરકારના કર્મચારીઓને ભેટ: મોંઘવારી ભથ્થામાં 2% વધારો, હવે 58% ની જગ્યાએ 60% DA મળશે
'ભાજપના કાર્યકરોએ કમાલ કર્યા, પશ્ચિમ બંગાળમાં બમ્પર જીત પર બોલ્યા PM મોદી 
'ભાજપના કાર્યકરોએ કમાલ કર્યા, પશ્ચિમ બંગાળમાં બમ્પર જીત પર બોલ્યા PM મોદી 
West Bengal Election Results 2026: ભાજપના શુભેંદુ અધિકારી નંદીગ્રામ બેઠક પર  9,000 થી વધુ મતોથી જીત્યા 
West Bengal Election Results 2026: ભાજપના શુભેંદુ અધિકારી નંદીગ્રામ બેઠક પર  9,000 થી વધુ મતોથી જીત્યા 
IPL 2026: ઈજાના કારણે હાર્દિક પંડ્યા LSG સામેની મેચમાંથી બહાર, જાણો ક્યારે કરશે વાપસી!
IPL 2026: ઈજાના કારણે હાર્દિક પંડ્યા LSG સામેની મેચમાંથી બહાર, જાણો ક્યારે કરશે વાપસી!
હવામાન વિભાગની આગાહી: આગામી 3 કલાકમાં ગુજરાતના 4 જિલ્લાઓમાં પવન સાથે વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 કલાકમાં ગુજરાતના 4 જિલ્લાઓમાં પવન સાથે વરસાદ ખાબકશે
West Bengal election Result: પશ્ચિમ બંગાળમાં BJP ના આ માસ્ટરસ્ટ્રોકે અપાવી બમ્પર જીત, જાણો તેના વિશે  
West Bengal election Result: પશ્ચિમ બંગાળમાં BJP ના આ માસ્ટરસ્ટ્રોકે અપાવી બમ્પર જીત, જાણો તેના વિશે  
Embed widget