શોધખોળ કરો

Iran Israel War: ઈરાનના 153 શહેરો પર 1000થી વધુ હુમલા, અમેરિકા-ઈઝરાયલના હુમલામાં 787 મોતનો દાવો

Iran Israel War: અમેરિકા અને ઇઝરાયલી હુમલાઓ શરૂ થયા પછી ઈરાનમાં પરિસ્થિતિ સતત બગડી રહી છે.

Iran Israel War: અમેરિકા અને ઇઝરાયલી હુમલાઓ શરૂ થયા પછી ઈરાનમાં પરિસ્થિતિ સતત બગડી રહી છે. ઈરાનની રેડ ક્રેસેન્ટ સોસાયટીએ મંગળવારે જણાવ્યું હતું કે શનિવારથી અત્યાર સુધીમાં દેશભરમાં 787 લોકો માર્યા ગયા છે. રેડ ક્રેસેન્ટ અનુસાર, 153 શહેરો અને 500થી વધુ સ્થળોએ 1,000 થી વધુ હુમલા થયા છે. તેહરાનના પશ્ચિમમાં આવેલા કરજ અને મધ્ય ઈરાનના શહેર ઇસ્ફહાનમાં પણ વિસ્ફોટ થયા હતા. દરમિયાન, ઇઝરાયલમાં ઈરાની મિસાઈલ હુમલામાં 11 લોકો માર્યા ગયા હતા.

ઈરાન સમર્થિત જૂથ હિઝબુલ્લાહે પણ ઇઝરાયલ પર હુમલો કર્યો હતો. જવાબમાં ઇઝરાયલી કાર્યવાહીમાં લેબનોનમાં 52 લોકો માર્યા ગયા હતા. યુએસ સૈન્યએ છ અમેરિકન સૈનિકોના મૃત્યુની પુષ્ટી કરી હતી. સંયુક્ત આરબ અમીરાતમાં ત્રણ લોકો માર્યા ગયા, જ્યારે કુવૈત અને બહેરીનમાં એક-એક વ્યક્તિનું મોત થયું.

ઈરાનની પરમાણુ ફેસિલિટી સુવિધાઓ પર હુમલો

યુએસ અને ઇઝરાયલે ઈરાનના પરમાણુ ફેસિલિટીને નિશાન બનાવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના પરમાણુ નિરીક્ષક આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA) એ જણાવ્યું હતું કે તાજેતરમાં નતાન્ઝ પરમાણુ સંવર્ધન સ્થળને થોડું નુકસાન થયું હતું, પરંતુ કોઈ કિરણોત્સર્ગી જોખમની શંકા નથી. જૂનમાં 12 દિવસના યુદ્ધ દરમિયાન નતાન્ઝ પર પણ હુમલો થયો હતો, જેનાથી ઈરાનના પરમાણુ કાર્યક્રમને નુકસાન થયું હતું. ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ દાવો કર્યો હતો કે ઈરાન નવી ભૂગર્ભ પરમાણુ સુવિધાઓ બનાવી રહ્યું છે, પરંતુ કોઈ પુરાવા આપ્યા નથી.

અમેરિકા પાસે અનલિમિટેડ હથિયારો છે

હાલમાં તે સ્પષ્ટ નથી કે યુદ્ધ કેટલો સમય ચાલી શકે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઈરાન સામે કાર્યવાહી ચારથી પાંચ અઠવાડિયા સુધી ચાલી શકે છે, પરંતુ જો જરૂરી હોય તો તે વધુ સમય સુધી ચાલુ રાખી શકે છે. તેમણે જણાવ્યું હતું કે અમેરિકા પાસે લગભગ અનલિમિટેડ શસ્ત્રો છે. ઈરાને સંયુક્ત આરબ અમીરાત અને બહેરીનમાં એમેઝોન ડેટા સેન્ટરોને નિશાન બનાવીને બદલો લીધો. કતાર અને સાઉદી અરેબિયામાં ઊર્જા સુવિધાઓ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.

હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલા

હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલાઓને કારણે તેલ અને ગેસના ભાવમાં વધારો થયો છે. ઈરાની અધિકારી ઇબ્રાહિમ જબ્બારીએ કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ બંધ છે અને ત્યાંથી પસાર થતા જહાજોને આગ લગાવી દેવામાં આવશે. સંઘર્ષ હવે લેબનોનમાં ફેલાઈ ગયો છે. ઇઝરાયલે દક્ષિણ લેબનોનમાં વધારાના સૈનિકો મોકલ્યા અને બેરૂતમાં હવાઈ હુમલા કર્યા. લેબનીઝ સેનાએ કેટલીક સરહદી ચોકીઓ ખાલી કરાવી છે જ્યારે હિઝબુલ્લાહે કહ્યું છે કે તેની પાસે લડવા સિવાય કોઈ વિકલ્પ નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM Modi Gujarat Visit: 'જ્યા પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યા પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit: 'જ્યા પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યા પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Embed widget