શોધખોળ કરો

Mesh Sankranti 2023: પિતૃ દોષથી છૂટકારો અપાવે છે મેષ સંક્રાતિ, કરો આ ઉપાય

Pitra Dosh Remedies: કુંડળીમાં પિતૃ દોષ હોય તો કાર્યોમાં વારંવાર અવરોધો આવે છે. બીમારી વારંવાર આવે છે અને ઘરમાં પરેશાનીઓ રહે છે. પિતૃ દોષના કારણે લોકો આર્થિક રીતે પણ પરેશાન રહે છે.

Mesh Sankranti: આજે 14 એપ્રિલે સૂર્ય મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. હિન્દુ ધર્મમાં તેને મેષ સંક્રાંતિ કહેવામાં આવે છે. આ દિવસનું વિશેષ મહત્વ છે. મેષ સંક્રાંતિના દિવસે સ્નાન, દાન અને તર્પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મેષ સંક્રાંતિ પર કરવામાં આવેલા કેટલાક ઉપાયો પિતૃ દોષથી મુક્તિ અપાવે છે. કુંડળીમાં પિતૃ દોષ હોય તો કાર્યોમાં વારંવાર અવરોધો આવે છે. બીમારી વારંવાર આવે છે અને ઘરમાં પરેશાનીઓ રહે છે. પિતૃ દોષના કારણે લોકો આર્થિક રીતે પણ પરેશાન રહે છે. ચાલો જાણીએ કે પિતૃ દોષથી છુટકારો મેળવવા માટે તમે મેષ સંક્રાંતિ પર કયા ઉપાયો કરી શકો છો.

પિતૃ દોષથી છુટકારો મેળવવાના ઉપાય

  • મેષ સંક્રાંતિ પર ગંગામાં સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કર્યા બાદ પિતૃઓને અર્પણ કરવું જોઈએ. તેનાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે.
  • આ દિવસે માટીના વાસણમાં ભરેલું પાણી બ્રાહ્મણને દાન કરવું જોઈએ. તેનાથી પિતૃ દોષનો પ્રભાવ પણ ઓછો થાય છે.
  • સૂર્યદેવને પિતાનો દરજ્જો મળ્યો છે. મેષ સંક્રાંતિના દિવસે તાંબાના વાસણમાં જળ, લાલ ફૂલ, લાલ ચંદન અને રોલી સૂર્ય ભગવાનને અર્પણ કરવી જોઈએ. તેમજ 11 વાર  'ॐ घृणि सूर्याय नमः'  મંત્રનો જાપ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.
  • પિતૃદોષથી પીડિત લોકોએ મેષ સંક્રાંતિના શુભ દિવસે  સૂર્યદેવની પૂજા કરવી જોઈએ. આ પછી, પૂર્વજોનું સ્મરણ કરતી વખતે, ऊं पितराय नम: મંત્રનો 21 વાર જાપ કરવો જોઈએ.
  • મેષ સંક્રાંતિના દિવસે બિલ્વપત્રના ઝાડના મૂળ પર ગાયનું થોડું કાચું દૂધ ચઢાવો અને તે જ ઝાડમાંથી બિલ્વના 21 પાન તોડી લો. હવે તેને તાંબા કે ચાંદીના વાસણમાં રાખો. તેમાં ગાયનું દૂધ અને થોડા કાળા તલ ઉમેરો. શિવ મંદિરમાં જઈને શિવલિંગને આ સામગ્રીઓ ચઢાવો. તેનાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે.
  • આ દિવસે તાંબાના વાસણમાં કાળા તલ, જવ અને લાલ ફૂલ મિક્સ કરીને પિતૃઓને જળ અર્પિત કરો અને દક્ષિણ તરફ મુખ રાખીને તેમની ક્ષમા માગો. તેનાથી પિતૃઓની કૃપા મળે છે અને કોઈપણ કાર્યમાં આવતી તમામ અડચણો દૂર થાય છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતી, પદ્ધતિની  પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર  અમલ કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Mesh Sankranti 2023: પિતૃ દોષથી છૂટકારો અપાવે છે મેષ સંક્રાતિ, કરો આ ઉપાય

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
BZ ફાયનાન્સિયલ પોંઝી સ્કીમ મુદ્દે મંત્રી ભીખુસિંહ પરમારનો મોટો ખુલાસો, કહ્યું – મારો પુત્ર એજન્ટ.....
BZ ફાયનાન્સિયલ પોંઝી સ્કીમ મુદ્દે મંત્રી ભીખુસિંહ પરમારનો મોટો ખુલાસો, કહ્યું – મારો પુત્ર એજન્ટ.....
સંજય મલ્હોત્રા હશે RBI ના નવા ગવર્નર, 11 ડિસેમ્બરે સંભાળશે કાર્યભાર 
સંજય મલ્હોત્રા હશે RBI ના નવા ગવર્નર, 11 ડિસેમ્બરે સંભાળશે કાર્યભાર 
રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખડ વિરુદ્ધ વિપક્ષ લાવી શકે છે અવિશ્વાસનો પ્રસ્તાવ!
રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખડ વિરુદ્ધ વિપક્ષ લાવી શકે છે અવિશ્વાસનો પ્રસ્તાવ!
Advertisement
ABP Premium

વિડિઓઝ

VASECTOMY Scandal in Mehsana | મહેસાણા જિલ્લામાં નસબંધી ઓપરેશન કાંડમાં ખુલાસોLiquor party: હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં દારૂની મહેફિલનો પર્દાફાશBuilders protest Jantri hike: ગાંધીનગરના બિલ્ડરોએ સૂચિત જંત્રીને લઈને વિરોધ નોંધાવ્યોAhmedabad News: અમદાવાદની વધુ એક હોસ્પિટલ વિરૂદ્ધ કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
BZ ફાયનાન્સિયલ પોંઝી સ્કીમ મુદ્દે મંત્રી ભીખુસિંહ પરમારનો મોટો ખુલાસો, કહ્યું – મારો પુત્ર એજન્ટ.....
BZ ફાયનાન્સિયલ પોંઝી સ્કીમ મુદ્દે મંત્રી ભીખુસિંહ પરમારનો મોટો ખુલાસો, કહ્યું – મારો પુત્ર એજન્ટ.....
સંજય મલ્હોત્રા હશે RBI ના નવા ગવર્નર, 11 ડિસેમ્બરે સંભાળશે કાર્યભાર 
સંજય મલ્હોત્રા હશે RBI ના નવા ગવર્નર, 11 ડિસેમ્બરે સંભાળશે કાર્યભાર 
રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખડ વિરુદ્ધ વિપક્ષ લાવી શકે છે અવિશ્વાસનો પ્રસ્તાવ!
રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખડ વિરુદ્ધ વિપક્ષ લાવી શકે છે અવિશ્વાસનો પ્રસ્તાવ!
Year Ender 2024: વર્ષ 2024માં ભારતના આ 2 મંદિરો સૌથી વધુ ચર્ચામાં રહ્યા
Year Ender 2024: વર્ષ 2024માં ભારતના આ 2 મંદિરો સૌથી વધુ ચર્ચામાં રહ્યા
8th Pay Commission News: 8મું પગારપંચ ક્યારથી લાગુ થશે? મોદી સરકારે સંસદમાં આપ્યો જવાબ
8th Pay Commission News: 8મું પગારપંચ ક્યારથી લાગુ થશે? મોદી સરકારે સંસદમાં આપ્યો જવાબ
'પુષ્પા 2' એ 4 દિવસમાં 800 કરોડની કમાણી કરી બનાવ્યો રેકોર્ડ, આ સીમાચિહ્ન હાંસલ કરનારી પ્રથમ ભારતીય ફિલ્મ
'પુષ્પા 2' એ 4 દિવસમાં 800 કરોડની કમાણી કરી બનાવ્યો રેકોર્ડ, આ સીમાચિહ્ન હાંસલ કરનારી પ્રથમ ભારતીય ફિલ્મ
એલર્જીથી લઈને ઉધરસ અને શરદી સુધીની આ દવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જુઓ સંપૂર્ણ યાદી
એલર્જીથી લઈને ઉધરસ અને શરદી સુધીની આ દવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જુઓ સંપૂર્ણ યાદી
Embed widget