શોધખોળ કરો

Navratri 2024: જો મા દુર્ગાના આશિર્વાદ મેળવવા હોય તો નવરાત્રિમાં ભૂલથી પણ ન ખાવ આ વસ્તુઓ

Navratri 2024: શારદીય નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરતી વખતે વ્યક્તિએ વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. આવી સ્થિતિમાં કેટલીક વસ્તુઓ ખાવા અને ન ખાવાની સલાહ આપવામાં આવે છે.

Navratri 2024:  આપણી ભારતીય સંસ્કૃતિમાં, તમામ તહેવારો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, નવરાત્રિ દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાનો તહેવાર, હિંદુઓના સૌથી શુભ તહેવારોમાંનો એક છે. જેમાં નવ અવતાર આવે છે. દેવી દુર્ગાની પૂજા અને શણગાર કરવામાં આવે છે. આ તહેવાર દેવી માતાની શક્તિઓના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે આસો માસની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી આસો નવરાત્રિનો પ્રારંભ થાય છે. આ વર્ષે આસો નવરાત્રિ ત્રીજી ઓક્ટોબર 2024થી શરૂ થશે અને 11 ઓક્ટોબર 2024 સુધી ચાલશે. 12 ઓક્ટોબરના રોજ દશેર ઉજવવામાં આવશે.

નવરાત્રિ દરમિયાન ભક્તો દેવી દુર્ગાની પૂજા કરે છે અને પ્રાર્થના કરે છે. નવરાત્રિનું વ્રત રાખવું એ એક પવિત્ર વિધિ માનવામાં આવે છે. કેટલાક ભક્તો પ્રથમ બે અને છેલ્લા બે દિવસ ઉપવાસ રાખે છે જ્યારે કેટલાક નવ દિવસ ઉપવાસ રાખે છે. શારદીય નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરતી વખતે વ્યક્તિએ વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. આવી સ્થિતિમાં કેટલીક વસ્તુઓ ખાવા અને ન ખાવાની સલાહ આપવામાં આવે છે.આવો જાણીએ કેટલીક વસ્તુઓ જે નવરાત્રિ દરમિયાન ખાવી જોઈએ.

શાકભાજી
જો તમે નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરતા હોવ તો પછી ફક્ત બટાટા, શક્કરીયા, સુરણ, કાચા કોળા જેવા શાકભાજી ખાવાનું સૂચન કરવામાં આવે છે, આ દેવી દુર્ગાને પ્રસન્ન કરે છે અને તેમના આશીર્વાદ વરસાવે છે.

લોટ અને અનાજ
નવરાત્રિના ઉપવાસ દરમિયાન ઘઉં અને ચોખા ન ખાવાનું સૂચન કરવામાં આવે છે. જો કે, તમે આ સમયગાળા દરમિયાન રાજગરાનો લોટ ખાઈ શકો છો.

ફળ
નવરાત્રિ દરમિયાન તમે તમામ પ્રકારના ફળ ખાઈ શકો છો. જો તમારે નવ દિવસ ઉપવાસ કરવો હોય તો તમારી પસંદગી મુજબ કોઈપણ ફળ ખાઈ શકો છો. નવરાત્રિ દરમિયાન ફળોને લઈને કોઈ પ્રતિબંધ નથી, તમે તમારી ઈચ્છા મુજબ કોઈપણ ફળ ખાઈ શકો છો.

મસાલા
ઉપવાસ દરમિયાન સિંધવ મીઠુંનું સેવન કરવું જોઈએ. એટલું જ નહીં, તમે જીરું, તજ, ઇલાયચી, લવિંગ, કાળા મરી પાવડર, સૂકા દાડમના દાણા વગેરેનો ઉપયોગ કરી શકો છો.

દૂધ અને ડેરી પ્રોડક્ટ
જો તમે દૂધની બનાવટોનું સેવન ન કરતા હોવ તો નવરાત્રિનું વ્રત અધૂરું છે. નવરાત્રિ દરમિયાન દહીં, પનીર, ચીઝ, મલાઈ, ઘી વગેરે અવશ્ય લેવા જોઈએ.

આ વસ્તુઓનું સેવન ન કરો

નવરાત્રિ વ્રત દરમિયાન કેટલીક વસ્તુઓનું બિલકુલ સેવન ન કરવું જોઈએ, જેમ કે ડુંગળી અને લસણનો ઉપયોગ આ સમયગાળા દરમિયાન ભોજનમાં ન કરવો જોઈએ. તે એકદમ અશુભ માનવામાં આવે છે. નવરાત્રિ વ્રત દરમિયાન કઠોળ, ચોખાનો લોટ, મકાઈનો લોટ, મેંદા, ઘઉંનો લોટ, સોજી તેમજ માંસાહારી વસ્તુઓ, ઈંડા, આલ્કોહોલ અને સિગારેટનું સેવન ન કરવું જોઈએ.

નવરાત્રિના ઉપવાસ દરમિયાન ચા અને કોફી પીવાનું ટાળો. મોટાભાગના લોકો ઉપવાસ દરમિયાન વધુ પડતી ચા અને કોફીનું સેવન કરે છે, જેનાથી ડિહાઈડ્રેશન થઈ શકે છે. ઉપવાસ દરમિયાન ચા કે કોફી ન પીવી અને નારિયેળ પાણી, લીંબુ પાણી, છાશ, મિલ્કશેક કે સાદા પાણીનું સેવન કરવું.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટી કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મુકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચો...

Shardiya Navratri 2024: નવરાત્રિ દરમિયાન ભૂલથી પણ ન કરો આ કામ, ઘરમાં આવશે દરિદ્રતા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chotaudepur: પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાના ભત્રીજાની હત્યા, જાણો કોના પર લાગ્યો આરોપ
Chotaudepur: પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાના ભત્રીજાની હત્યા, જાણો કોના પર લાગ્યો આરોપ
Gujarat Rain Forecast: રાજ્યના આ 10 જિલ્લામાં આજે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના આ 10 જિલ્લામાં આજે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Rain Forecast: રાજ્યમાં વધુ એક વરસાદનો આ રાઉન્ડ આવશે,  બંગાળની ખાડીમાં સિસ્ટમ એક્ટિવ થતાં ભારે વરસાદનીઆગાહી
Rain Forecast: રાજ્યમાં વધુ એક વરસાદનો આ રાઉન્ડ આવશે, બંગાળની ખાડીમાં સિસ્ટમ એક્ટિવ થતાં ભારે વરસાદનીઆગાહી
Electric Cars In India: દેશની સૌથી વધુ સસ્તી કારની ફરી ઘટી કિંમત, હવે સસ્તા દરે આ ફિચર્સ સાથે ખરીદો
Electric Cars In India: દેશની સૌથી વધુ સસ્તી કારની ફરી ઘટી કિંમત, હવે સસ્તા દરે આ ફિચર્સ સાથે ખરીદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Accident | સાઉથ બોપલમાં વીજપોલ સાથે અથડાયા બાદ પલટી કાર, કારચાલક ફરારFiring Case | ભાજપના પૂર્વ MP રામસિંહ રાઠવાના ભત્રીજા પર ધડાધડ ફાયરિંગ, હત્યા પાછળનું કારણ અકબંધHun To Bolish | હું તો બોલીશ | સરકારી રાહે સંસ્કૃતિનું ચીરહરણ!Hun To Bolish | હું તો બોલીશ | કોના બાપની દિવાળી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chotaudepur: પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાના ભત્રીજાની હત્યા, જાણો કોના પર લાગ્યો આરોપ
Chotaudepur: પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાના ભત્રીજાની હત્યા, જાણો કોના પર લાગ્યો આરોપ
Gujarat Rain Forecast: રાજ્યના આ 10 જિલ્લામાં આજે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના આ 10 જિલ્લામાં આજે વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Rain Forecast: રાજ્યમાં વધુ એક વરસાદનો આ રાઉન્ડ આવશે,  બંગાળની ખાડીમાં સિસ્ટમ એક્ટિવ થતાં ભારે વરસાદનીઆગાહી
Rain Forecast: રાજ્યમાં વધુ એક વરસાદનો આ રાઉન્ડ આવશે, બંગાળની ખાડીમાં સિસ્ટમ એક્ટિવ થતાં ભારે વરસાદનીઆગાહી
Electric Cars In India: દેશની સૌથી વધુ સસ્તી કારની ફરી ઘટી કિંમત, હવે સસ્તા દરે આ ફિચર્સ સાથે ખરીદો
Electric Cars In India: દેશની સૌથી વધુ સસ્તી કારની ફરી ઘટી કિંમત, હવે સસ્તા દરે આ ફિચર્સ સાથે ખરીદો
Bollywood News: પુત્ર યુગને લઇને હોસ્પિટલ પહોંચી કાજોલ, ગાર્ડને માર્યો ધક્કો, જુઓ વીડિયો
Bollywood News: પુત્ર યુગને લઇને હોસ્પિટલ પહોંચી કાજોલ, ગાર્ડને માર્યો ધક્કો, જુઓ વીડિયો
Navratri 2024: જો મા દુર્ગાના આશિર્વાદ મેળવવા હોય તો નવરાત્રિમાં ભૂલથી પણ ન ખાવ આ વસ્તુઓ
Navratri 2024: જો મા દુર્ગાના આશિર્વાદ મેળવવા હોય તો નવરાત્રિમાં ભૂલથી પણ ન ખાવ આ વસ્તુઓ
Bombay High Court: બોમ્બે હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો ઝટકો, ફેક્ટ-ચેક યુનિટને ગણાવી ગેરબંધારણીય
Bombay High Court: બોમ્બે હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આપ્યો ઝટકો, ફેક્ટ-ચેક યુનિટને ગણાવી ગેરબંધારણીય
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી
Embed widget