શોધખોળ કરો

Mahakal Lok Inauguration : PM મોદી કરશે ઉજ્જૈનના મહાકાલ લોકનું લોકાર્પણ, જાણો કેટલો ભવ્ય છે મહાકાલનો દરબાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલ સંકુલમાં બનેલા મહાકાલ લોકનું લોકાર્પણ કરશે

Ujjain: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલ સંકુલમાં બનેલા મહાકાલ લોકનું લોકાર્પણ કરશે.  બે ભવ્ય પ્રવેશદ્વાર, રેતીના પથ્થરથી બનેલા 108 સુશોભિત સ્તંભો, ભવ્ય થાંભલા, ફુવારા અને શિવ પુરાણની કથાઓ દર્શાવતા 50 થી વધુ ભીંતચિત્રો આ મહાકાલ લોકને આકર્ષિત બનાવે છે. ઉદ્ધાટન સમારોહમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર રહેશે.

ઉદ્ધાટન સમારોહ માટે દેશભરમાંથી 600 જેટલા સંતો અને કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ લોકો ઉદ્ધાટન  સમયે શંખનાદ અને મંત્રોચ્ચારણ કરશે. મહાલોકના નિર્માણ પાછળ અંદાજે 856 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. સમગ્ર મહાકાલ કોરિડોરને શ્રી મહાકાલ લોક નામ આપવામાં આવ્યું છે. લગભગ 90 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શ્રી મહાકાલ લોકનું પણ નિરીક્ષણ કરશે.

ઉજ્જૈનના રાજાના નામથી જાણીતા બાબા મહાકાલ 12 જ્યોતિર્લિંગોમાંના એક છે. જ્યાં દર 12 વર્ષે સિંહસ્થ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. મહાકાલેશ્વર મંદિર દેશનું એકમાત્ર એવું મંદિર છે કે જેના પ્રાંગણમાં 42 દેવતાઓના મંદિરો છે. ઉજ્જૈનને મોક્ષદાયની નગરી પણ કહેવામાં આવે છે. આ શહેરના વિકાસ માટે રાજ્ય સરકારે મહાકાલ કોરિડોરનું નિર્માણ કર્યું છે.

મહાકાલ લોક સંકુલમાં શું છે

મહાકાલ લોકમાં ભગવાન શિવની લીલાઓ પર આધારિત 190 મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. આ સિવાય 108 પિલર લગાવવામાં આવ્યા છે. સાથે જ આ સંકુલમાં 18 ફૂટની 8 મોટી મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. તેમાં નટરાજ, શિવના પુત્ર ગણેશ, કાર્તિકેય, દત્તાત્રેય અવતાર, પંચમુખી હનુમાન, ચંદ્રશેખર મહાદેવની કથા, શિવ અને સતી સહિત સમુદ્ર મંથનનું દ્રશ્ય સામેલ છે. મહાકાલ લોકમાં 15 ફૂટ ઉંચી 23 પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે. તેમાં શિવ નૃત્ય, 11 રુદ્ર, મહેશ્વર અવતાર, અઘોર અવતાર, કાલ ભૈરવ, શરભ અવતાર, ખંડોબા અવતાર, વીરભદ્ર દ્વારા દક્ષનો વધ, શિવ શોભાયાત્રા, મણિભદ્ર, ગણેશ અને કાર્તિકેય સાથે પાર્વતીનો સમાવેશ થાય છે. આ સિવાય 11 ફૂટની વધુ 17 પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે. જેમાં શ્રી ગણેશ, અર્ધનારીશ્વર, અષ્ટ ભૈરવ, ઋષિ ભારદ્વાજ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ગૌતમ, કશ્યપ, જમદગ્નિ સામેલ છે.  એટલું જ નહીં, 26 ફૂટ ઊંચો નંદી દ્વાર શ્રી મહાકાલ લોકની દિવ્યતા વધારે છે.

લગભગ 20.25 હેક્ટર અને લગભગ 920 મીટર લાંબા મહાકાલ પ્રાંગણની વિશેષતા જાણવા માટે કોઇ ગાઇડની જરૂર રહેશે નહીં. મૂર્તિઓ પોતે પોતાની વાર્તા કહીને ઈતિહાસ વિશે જણાવશે. અહીં પરિસરમાં સ્થાપિત દરેક પ્રતિમાની આગળ એક બારકોડ મૂકવામાં આવ્યો છે. તેને મોબાઈલથી સ્કેન કરો અને પ્રતિમા અને મહાકાલ પ્રાંગણ વિશેની તમામ માહિતી તમારા મોબાઈલ સ્ક્રીન પર આવી જશે. વાસ્તવમાં આ વ્યવસ્થા નવી પેઢીને પૌરાણિક કથાઓની માહિતી સરળતાથી મળી રહે તે માટે કરવામાં આવી છે.

શ્રી મહાકાલ લોકમાં એક જ સમયે લગભગ બે લાખ લોકો દર્શન કરી શકશે તેવો અંદાજ છે. આ દેશનો પહેલો નાઈટ ગાર્ડન હશે, જ્યાં લોકો આખી રાત ભ્રમણ કરી શકશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Delhi Pollution: દિલ્લીમાં પેટ્રોલ, ડીઝલ કે CNGની કઇ ગાડીને મળશે એન્ટ્રી? શું છે, GRAP સ્ટેજ 4?
Delhi Pollution: દિલ્લીમાં પેટ્રોલ, ડીઝલ કે CNGની કઇ ગાડીને મળશે એન્ટ્રી? શું છે, GRAP સ્ટેજ 4?
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
Embed widget