શોધખોળ કરો

Mahakal Lok Inauguration : PM મોદી કરશે ઉજ્જૈનના મહાકાલ લોકનું લોકાર્પણ, જાણો કેટલો ભવ્ય છે મહાકાલનો દરબાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલ સંકુલમાં બનેલા મહાકાલ લોકનું લોકાર્પણ કરશે

Ujjain: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલ સંકુલમાં બનેલા મહાકાલ લોકનું લોકાર્પણ કરશે.  બે ભવ્ય પ્રવેશદ્વાર, રેતીના પથ્થરથી બનેલા 108 સુશોભિત સ્તંભો, ભવ્ય થાંભલા, ફુવારા અને શિવ પુરાણની કથાઓ દર્શાવતા 50 થી વધુ ભીંતચિત્રો આ મહાકાલ લોકને આકર્ષિત બનાવે છે. ઉદ્ધાટન સમારોહમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર રહેશે.

ઉદ્ધાટન સમારોહ માટે દેશભરમાંથી 600 જેટલા સંતો અને કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ લોકો ઉદ્ધાટન  સમયે શંખનાદ અને મંત્રોચ્ચારણ કરશે. મહાલોકના નિર્માણ પાછળ અંદાજે 856 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. સમગ્ર મહાકાલ કોરિડોરને શ્રી મહાકાલ લોક નામ આપવામાં આવ્યું છે. લગભગ 90 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શ્રી મહાકાલ લોકનું પણ નિરીક્ષણ કરશે.

ઉજ્જૈનના રાજાના નામથી જાણીતા બાબા મહાકાલ 12 જ્યોતિર્લિંગોમાંના એક છે. જ્યાં દર 12 વર્ષે સિંહસ્થ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. મહાકાલેશ્વર મંદિર દેશનું એકમાત્ર એવું મંદિર છે કે જેના પ્રાંગણમાં 42 દેવતાઓના મંદિરો છે. ઉજ્જૈનને મોક્ષદાયની નગરી પણ કહેવામાં આવે છે. આ શહેરના વિકાસ માટે રાજ્ય સરકારે મહાકાલ કોરિડોરનું નિર્માણ કર્યું છે.

મહાકાલ લોક સંકુલમાં શું છે

મહાકાલ લોકમાં ભગવાન શિવની લીલાઓ પર આધારિત 190 મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. આ સિવાય 108 પિલર લગાવવામાં આવ્યા છે. સાથે જ આ સંકુલમાં 18 ફૂટની 8 મોટી મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. તેમાં નટરાજ, શિવના પુત્ર ગણેશ, કાર્તિકેય, દત્તાત્રેય અવતાર, પંચમુખી હનુમાન, ચંદ્રશેખર મહાદેવની કથા, શિવ અને સતી સહિત સમુદ્ર મંથનનું દ્રશ્ય સામેલ છે. મહાકાલ લોકમાં 15 ફૂટ ઉંચી 23 પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે. તેમાં શિવ નૃત્ય, 11 રુદ્ર, મહેશ્વર અવતાર, અઘોર અવતાર, કાલ ભૈરવ, શરભ અવતાર, ખંડોબા અવતાર, વીરભદ્ર દ્વારા દક્ષનો વધ, શિવ શોભાયાત્રા, મણિભદ્ર, ગણેશ અને કાર્તિકેય સાથે પાર્વતીનો સમાવેશ થાય છે. આ સિવાય 11 ફૂટની વધુ 17 પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે. જેમાં શ્રી ગણેશ, અર્ધનારીશ્વર, અષ્ટ ભૈરવ, ઋષિ ભારદ્વાજ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, ગૌતમ, કશ્યપ, જમદગ્નિ સામેલ છે.  એટલું જ નહીં, 26 ફૂટ ઊંચો નંદી દ્વાર શ્રી મહાકાલ લોકની દિવ્યતા વધારે છે.

લગભગ 20.25 હેક્ટર અને લગભગ 920 મીટર લાંબા મહાકાલ પ્રાંગણની વિશેષતા જાણવા માટે કોઇ ગાઇડની જરૂર રહેશે નહીં. મૂર્તિઓ પોતે પોતાની વાર્તા કહીને ઈતિહાસ વિશે જણાવશે. અહીં પરિસરમાં સ્થાપિત દરેક પ્રતિમાની આગળ એક બારકોડ મૂકવામાં આવ્યો છે. તેને મોબાઈલથી સ્કેન કરો અને પ્રતિમા અને મહાકાલ પ્રાંગણ વિશેની તમામ માહિતી તમારા મોબાઈલ સ્ક્રીન પર આવી જશે. વાસ્તવમાં આ વ્યવસ્થા નવી પેઢીને પૌરાણિક કથાઓની માહિતી સરળતાથી મળી રહે તે માટે કરવામાં આવી છે.

શ્રી મહાકાલ લોકમાં એક જ સમયે લગભગ બે લાખ લોકો દર્શન કરી શકશે તેવો અંદાજ છે. આ દેશનો પહેલો નાઈટ ગાર્ડન હશે, જ્યાં લોકો આખી રાત ભ્રમણ કરી શકશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
Char Dham Yatra 2026: ચારધામ યાત્રા માટે 19 એપ્રિલથી કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ ડિટેલ્સ
Char Dham Yatra 2026: ચારધામ યાત્રા માટે 19 એપ્રિલથી કેવી રીતે કરાવશો રજિસ્ટ્રેશન, જાણો સંપૂર્ણ ડિટેલ્સ

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : PM આવશે, વિકાસ લાવશે
Hun To Bolish : હું તો બોલીશ : ગેંગના ખાતમાનો આરંભ
Hun To Bolish : હું તો બોલીશ : કોના દબાણથી નથી હટતા દબાણ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit Live: કોબામાં જૈન મ્યુઝિયમનું PM મોદીના હસ્તે ઉદ્ઘાટન, 2 હજારથી વધુ પ્રાચીન શિલ્પ-કલા સામગ્રીનું પ્રદર્શન
PM Modi Gujarat Visit Live: કોબામાં જૈન મ્યુઝિયમનું PM મોદીના હસ્તે ઉદ્ઘાટન, 2 હજારથી વધુ પ્રાચીન શિલ્પ-કલા સામગ્રીનું પ્રદર્શન
14 વર્ષથી ઓછી ઉંમરના નહીં વાપરી શકે Social Media, આ દેશમાં લાગુ થવાના છે નવા નિયમ
14 વર્ષથી ઓછી ઉંમરના નહીં વાપરી શકે Social Media, આ દેશમાં લાગુ થવાના છે નવા નિયમ
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
PBKS vs GT Playing 11: IPLમાં આજે પંજાબ સામે ટકરાશે ગુજરાત , જાણો બંન્ને ટીમોની સંભવિત પ્લેઈંગ-11
PBKS vs GT Playing 11: IPLમાં આજે પંજાબ સામે ટકરાશે ગુજરાત , જાણો બંન્ને ટીમોની સંભવિત પ્લેઈંગ-11
રાજ્યસભામાં OBC અનામત પર વિવાદ, ભાજપ સાંસદે કહ્યું- 'મુસ્લિમોને OBCમાંથી બહાર કરો'
રાજ્યસભામાં OBC અનામત પર વિવાદ, ભાજપ સાંસદે કહ્યું- 'મુસ્લિમોને OBCમાંથી બહાર કરો'
જૂનો ફોન નંબર બંધ થતા નથી થઈ રહ્યો LPG ગેસ સિલિન્ડર બુક, મિનિટોમાં અપડેટ કરો નવો નંબર
જૂનો ફોન નંબર બંધ થતા નથી થઈ રહ્યો LPG ગેસ સિલિન્ડર બુક, મિનિટોમાં અપડેટ કરો નવો નંબર
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી ભાઈ-બહેનના મોત, બહેનને બચાવવા જતા ભાઈ પણ ડૂબ્યો
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી ભાઈ-બહેનના મોત, બહેનને બચાવવા જતા ભાઈ પણ ડૂબ્યો
1 એપ્રિલથી બદલાઈ રહ્યું છે ઈન્કમ ટેક્સનું ગણિત, તમારી સેલેરી સ્ટ્રક્ચર પર પડી શકે છે અસર
1 એપ્રિલથી બદલાઈ રહ્યું છે ઈન્કમ ટેક્સનું ગણિત, તમારી સેલેરી સ્ટ્રક્ચર પર પડી શકે છે અસર
Embed widget