શોધખોળ કરો

Ved Vaani: હિંદુ ધર્મમાં કેમ પવિત્ર છે ગંગા નદી અને ગંગાનું પાણી? વેદ-પુરાણોમાં જણાવ્યું છે મહત્વ

વૈદિક ઈતિહાસમાં ગંગા નદીનો ઉલ્લેખ જોવા મળે છે. વેદ, પુરાણ અને શાસ્ત્રો અનુસાર તમામ નદીઓમાં ગંગા શ્રેષ્ઠ છે અને ગંગાનું પાણી સૌથી પવિત્ર છે. ગંગા નદીનું વર્ણન મહાભારત અને ગીતામાં પણ જોવા મળે છે.

Ved Vaani Importance of Ganga: ગંગા નદી ભારતની સાંસ્કૃતિક ધરોહરોમાંની એક છે. ગંગા માત્ર શ્રેષ્ઠ અને પવિત્ર નદી નથી. પરંતુ ભારતને એક દોરામાં બાંધવાનો શ્રેય પણ ગંગાને જાય છે. વેદ અને પુરાણોમાં ગંગાને વારંવાર તીર્થસ્થાન કહેવામાં આવ્યું છે.ગંગાનો ઉલ્લેખ પ્રથમ વેદ ઋગ્વેદમાં કરવામાં આવ્યો છે. આ પછી ત્રણ વેદ યજુર, સામ અને અર્થવેદમાં પણ ગંગાનો ઉલ્લેખ પવિત્ર નદી તરીકે કરવામાં આવ્યો છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં આવી કોઈ નદી નહીં હોય જેને આટલું મહત્વ અને યશ મળ્યો હોય. આ જ કારણ છે કે ગંગાને માત્ર પાણીનો સ્ત્રોત જ નથી માનવામાં આવતો પરંતુ તેને દેવીની જેમ પૂજવામાં આવે છે. હિંદુ ધર્મમાં ધાર્મિક વિધિઓ જેવા ઘણા કાર્યો ગંગાજળ વિના સંપૂર્ણ અને શુદ્ધ માનવામાં આવતા નથી.

ગંગાજળને આટલું પવિત્ર કેમ માનવામાં આવે છે?

ધાર્મિક માન્યતા અનુસાર વેદ, પુરાણ, રામાયણ, મહાભારત અને અન્ય ઘણા ધાર્મિક ગ્રંથોમાં ગંગાનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. તેથી જ ગંગાને દેવનદી પણ કહેવામાં આવે છે. હિંદુ ધર્મમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો જેમ કે પૂજા, અભિષેક, શુદ્ધિકરણ ગંગાજળ વિના અધૂરા ગણાય છે. એવી માન્યતા છે કે ગંગા નદીમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે.

ગંગા નદી કેવી રીતે બની આદરનું કેન્દ્ર, જાણો આ દંતકથામાંથી

ગંગા નદી સાથે જોડાયેલી ઘણી વાર્તાઓ છે. સૌથી પ્રચલિત અને પૌરાણિક કથા અનુસાર રાજા સાગરને કઠોર તપસ્યા બાદ સાઠ હજાર પુત્રોની પ્રાપ્તિ થઈ. એક દિવસ રાજા સાગરે યજ્ઞ કરવાનું નક્કી કર્યું. રાજાને યજ્ઞ માટે એક ઘોડાની જરૂર હતી.  જેને ઇન્દ્રએ ચોરી લીધો હતો. રાજા સાગરે તેના તમામ પુત્રોને ઘોડાની શોધમાં મોકલ્યા. અંતે તેને પાતાળ લોકમાં એક ઋષિ પાસે ઘોડો બાંધેલો મળ્યો. ઋષિ પાસે ઘોડો જોઈને સાગરના પુત્રોને લગાયું કે આ ઋષિ જ ઘોડાને ગુમ કર્યો હશે. સાગરના પુત્રોએ તે કારણથી ઋષિનું અપમાન કર્યું. હજારો વર્ષથી તપસ્યામાં મગ્ન ઋષિએ ક્રોધથી આંખો ખોલી અને સાગરના તમામ સાઠ હજાર પુત્રોને બાળીને રાખ કરી દીધા. સાગરના પુત્રો મૃત્યુ પામ્યા પરંતુ તેમના આત્માઓ મોક્ષ પામી શક્યા નહીં કારણ કે તેમના અંતિમ સંસ્કાર થઈ શક્યા ન હતા. સાગરના પુત્ર અંશુમને આત્માઓને મુક્ત કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો અને બાદમાં અંશુમનના પુત્ર દિલીપે પણ પ્રયાસ ચાલુ રાખ્યો.

રાજા ભગીરથે ભગવાન બ્રહ્માની ઘોર તપસ્યા કરી

આ પછી ભગીરથ જે રાજા દિલીપની બીજી પત્નીનો પુત્ર હતો. તેઓ તેમના પૂર્વજોના અંતિમ સંસ્કાર કરવામાં સફળ થયા. તેણે ગંગાને પૃથ્વી પર લાવવાનું નક્કી કર્યું. તેનાથી પૂર્વજોની રાખ ગંગાના જળમાં વહાવી શકાય છે અને ભટકતી આત્માઓને સ્વર્ગમાં સ્થાન મળી શકે છે. રાજા ભગીરથે ભગવાન બ્રહ્માની ઘોર તપસ્યા કરી. બ્રહ્મા પ્રસન્ન થયા અને ગંગાને પૃથ્વી પર મોકલવા તૈયાર થયા. પરંતુ ગંગાએ કહ્યું કે જ્યારે હું આટલી ઊંચાઈએથી પૃથ્વી પર જઈશ ત્યારે પૃથ્વી મારી ગતિને સહન કરી શકશે નહીં. પછી બ્રહ્માજીના કહેવાથી ભગીરથે ભગવાન શિવની તપસ્યા કરી તેમને પ્રસન્ન કર્યા. શિવજીએ પોતાના ખુલ્લા વાળમાં ગંગાના વેગને રોક્યો અને એક લટ ખોલી દીધી. જેમાંથી ગંગાની અવિરત ધારા પૃથ્વી પર વહી.  તે ધારા ભગીરથ સાથે ગંગા સાગર સંગમ સુધી ગઇ. જ્યાં સાગરના પુત્રોને મોક્ષ મળ્યો. શિવના સ્પર્શથી ગંગા વધુ પવિત્ર બની અને પૃથ્વીના લોકો માટે આદરનું કેન્દ્ર બની ગઈ.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.a

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
Advertisement
ABP Premium

વિડિઓઝ

CNG Gas Price Hike | ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં કેટલો કર્યો વધારો?Rajkot News । GMERS મેડિકલ કોલેજની ફી વધારા મુદ્દે રાજકોટમાં વિરોધ પ્રદર્શનRajkot TRP Game Zone Fire | Mansukh Sagathiya | સાગઠિયાનું નાટક! | હું આપઘાત કરી લઇશGujarat Rain Update । આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, ભાજપ કારોબારીમાં લેવામાં આવી નોંધ
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
Bajaj Freedom 125: બજાજે લોન્ચ કરી દુનિયાની પ્રથમ CNG બાઇક, કિંમત અને માઇલેજ જાણી ચોંકી જશો
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
આગામી 24 કલાકમાં આ 14 જિલ્લમાં તરખાટ મચાવશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
NEET PG 2024 Date: નીટ પીજી પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર, બે પાળીમાં લેવાશે પરીક્ષા
Paris Olympics:ઓલિમ્પિકમાં રમવા જઇ રહેલા ખેલાડીઓને મળ્યા PM મોદી, કહ્યુ- 2036નો દાવો મજબૂત કરશે તમારો અનુભવ
Paris Olympics:ઓલિમ્પિકમાં રમવા જઇ રહેલા ખેલાડીઓને મળ્યા PM મોદી, કહ્યુ- 2036નો દાવો મજબૂત કરશે તમારો અનુભવ
ACB Trap:  વડીલો પાર્જીત જમીનમાંથી નામ કમી કરવા લાંચ માંગનારી મહિલા તલાટી એસીબીના છટકામાં ઝડપાઈ
ACB Trap: વડીલો પાર્જીત જમીનમાંથી નામ કમી કરવા લાંચ માંગનારી મહિલા તલાટી એસીબીના છટકામાં ઝડપાઈ
Justin Bieber: મુંબઇ પહોંચ્યો સિંગર જસ્ટીન બીબર, અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ માટે મળશે આટલા કરોડ
Justin Bieber: મુંબઇ પહોંચ્યો સિંગર જસ્ટીન બીબર, અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ માટે મળશે આટલા કરોડ
Swapna Shatra: સપનામાં મૃત માતા-પિતા જોવા મળે તો તેનો શું મતલબ થાય છે, શું તેની અવગણના કરવી જોઈએ?
Swapna Shatra: સપનામાં મૃત માતા-પિતા જોવા મળે તો તેનો શું મતલબ થાય છે, શું તેની અવગણના કરવી જોઈએ?
Embed widget