![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Guru Pradosh Vrat 2023: આજે ગુરુ પ્રદોષ વ્રત, જાણો મહત્વ, પૂજા વિધિ અને શુભમુહૂર્ત
Guru Pradosh Vrat: પ્રદોષ વ્રત પોષ મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ મનાવવામાં આવે છે. આ વખતે પ્રદોષ વ્રતની આ શુભ તિથિ 19 જાન્યુઆરી ગુરવાર એટલે કે આજે છે. આવો જાણીએ પ્રદોષ વ્રતનું મહત્વ, શુભ સમય....
![Guru Pradosh Vrat 2023: આજે ગુરુ પ્રદોષ વ્રત, જાણો મહત્વ, પૂજા વિધિ અને શુભમુહૂર્ત Today Guru Pradosh Vrat, Know Significance, Pooja Ritual and Shubmuhurat Guru Pradosh Vrat 2023: આજે ગુરુ પ્રદોષ વ્રત, જાણો મહત્વ, પૂજા વિધિ અને શુભમુહૂર્ત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/19/41cbe751b146d9fdf8365a7485fcd03e167410668477781_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Guru Pradosh Vrat 2023 Date: પ્રદોષ વ્રત દર મહિનાના પખવાડિયાની ત્રયોદશી તિથિએ મનાવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં પ્રદોષ વ્રતનું મહત્વ એકાદશી જેટલું છે. આ વખતે આ શુભ તિથિ 19 જાન્યુઆરી ગુરુવાર એટલે કે આજે છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે વ્રત કરવાથી વ્યક્તિને તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. સંતાન પ્રાપ્તિની ઈચ્છા માટે પ્રદોષ તિથિનું વ્રત પણ રાખવામાં આવે છે. આવો જાણીએ ગુરુ પ્રદોષ વ્રતનું મહત્વ, પૂજા પદ્ધતિ અને મુહૂર્ત વિશે...
ગુરુ પ્રદોષ વ્રતનું મહત્વ
જ્યોતિષીઓ અનુસાર પ્રદોષ તિથિ પર ભગવાન શિવની પૂજા-અર્ચના કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને ક્યારેય હારનો સામનો કરવો પડતો નથી. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગુરુ પ્રદોષ વ્રત એ શત્રુઓ પર વિજય મેળવવાનું વ્રત છે. તેનાથી વ્યક્તિના જીવનમાં સૌભાગ્ય, સુખ, સમૃદ્ધિ વગેરે વધે છે. પ્રદોષ સમયગાળા દરમિયાન ભગવાન શિવ કૈલાશ પર્વત પર તેમના રજત ભવનમાં તાંડવ કરે છે, તેથી મહાદેવને સંગીતના પિતા પણ માનવામાં આવે છે. જ્યારે ભગવાન શિવ રજત ભવનમાં નૃત્ય કરે છે, ત્યારે તમામ દેવી-દેવતાઓ તેમના ગુણોની પ્રશંસા કરે છે. આવી સ્થિતિમાં જે લોકો પ્રદોષ વ્રત રાખે છે તે પ્રદોષ કાળમાં મહાદેવની પૂજા કરે છે. તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
ક્યારે શરૂ થાય છે પ્રદોષ કાળ?
પ્રદોષ વ્રત અલગ અલગ નામથી ઓળખાય છે. જ્યારે પ્રદોષ તિથિ સોમવારે આવે છે ત્યારે તેને સોમ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. ભૌમ પ્રદોષ વ્રત મંગળવારે આવે છે અને જ્યારે પ્રદોષ તિથિ ગુરુવારે આવે છે. તે તારીખ ગુરુ પ્રદોષ વ્રત તરીકે ઓળખાય છે. પ્રદોષકાળ દરમિયાન ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. પ્રદોષ કાળ એ સમય છે જ્યારે સૂર્યાસ્ત થાય છે અને રાત પડવાના પહેલાના સમયને પ્રદોષ કાળ કહેવામાં આવે છે. એટલે કે, સૂર્યાસ્ત પહેલા 45 મિનિટ અને સૂર્યાસ્ત પછી 45 મિનિટ વચ્ચેનો સમય પ્રદોષ કાળ કહેવાય છે.
ગુરુ પ્રદોષ વ્રતનો શુભ સમય
ગુરુ પ્રદોષ વ્રત 19 જાન્યુઆરી 2023 દિવસ ગુરુવાર
ત્રયોદશી તિથિની શરૂઆત - 19 જાન્યુઆરી બપોરે 1.18 વાગ્યાથી શરૂ થશે
ત્રયોદશી તિથિની સમાપ્તિ - 20 જાન્યુઆરી સવારે 9:59 કલાકે પૂર્ણ થશે
પૂજાનો શુભ સમય - 19 જાન્યુઆરી, સાંજે 05.49 થી 08.30 સુધી
પ્રદોષ કાળ દરમિયાન પ્રદોષ વ્રતની પૂજા કરવામાં આવે છે, તેથી આ વ્રત 19 જાન્યુઆરીએ જ રાખવામાં આવશે. આ મુહૂર્તમાં ભગવાન શિવની પૂજા કરવાથી આશીર્વાદ રહે છે.
ગુરુ પ્રદોષ વ્રત, પૂજા વિધિ
ગુરુ પ્રદોષ વ્રતના દિવસે બ્રહ્મમુહૂર્તમાં ઊઠીને સ્નાન અને ધ્યાન વગેરે કર્યા પછી 'અહમદ્ય મહાદેવસ્ય કૃપાપ્રાપ્તાય સોમપ્રદોષવ્રતમ્ કરિષ્યે' મંત્રનો જાપ કરતી વખતે સંકલ્પ લેવો જોઈએ અને તે પછી ઉપવાસ કરવો જોઈએ. ગુરુ પ્રદોષ વ્રત દરમિયાન ભગવાન શિવની પૂજા કરતી વખતે, લાલ અથવા ગુલાબી રંગના વસ્ત્રો પહેરો અને પ્રદોષ કાળમાં પૂજા કરો. નજીકના શિવ મંદિરમાં ષોડશોપચાર પૂજા કરો. શિવલિંગ પર બિલીપત્ર, ધૂપ, દીવો, ચંદન, ગંગાજળ, જળ, ફળ, ફૂલ, મિઠાઈ વગેરે ચઢાવો. આ પછી, ધૂપ અને દીપથી આરતી કરો અને શિવના બીજ મંત્ર અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. આ પછી શિવ ચાલીસાનો પાઠ કરો અને ગુરુ પ્રદોષ વ્રતની કથા સાંભળો. ભગવાન શિવની પૂજા કર્યા પછી તમે ભોજન અને પાણી લઈ શકો છો.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)