![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Vastu Tips For TV: ઘરમાં આ દિશામાં લગાવો ટીવી નહી થાય કોઇ નુકસાન
ઘણીવાર એવું જોવા મળે છે કે ઘરોમાં ટીવી લિવિંગ રૂમમાં અથવા બેડરૂમમાં હોય છે
![Vastu Tips For TV: ઘરમાં આ દિશામાં લગાવો ટીવી નહી થાય કોઇ નુકસાન Vastu Tips For TV At Home Vastu Tips For TV: ઘરમાં આ દિશામાં લગાવો ટીવી નહી થાય કોઇ નુકસાન](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/07/08/eed409370906cde2c3d69dda50086e401657248011_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Vastu Rules For TV: ઘણીવાર એવું જોવા મળે છે કે ઘરોમાં ટીવી લિવિંગ રૂમમાં અથવા બેડરૂમમાં હોય છે. જો કે વાસ્તુ અનુસાર પણ ઘરમાં ટીવી લગાવવાની ચોક્કસ દિશા હોય છે. જો ઘરમાં ટીવી ખોટી દિશામાં મૂકવામાં આવે તો પરિવારના સભ્યોના જીવન અને સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. વાસ્તુ અનુસાર ઘરમાં ટીવીની દિશા એવી હોવી જોઈએ કે ટીવી જોતી વખતે વ્યક્તિનો ચહેરો દક્ષિણ દિશા તરફ હોવો જોઈએ. જો તમે પણ વાસ્તુ અનુસાર ટીવીને યોગ્ય દિશામાં રાખવા માંગતા હોવ તો અમે તમને જણાવી રહ્યા છીએ કે કઈ દિશામાં ટીવી રાખવું સારું છે અને કઈ દિશામાં રાખવું સારુ નથી.
આ રીતે ટીવી મૂકો
ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં ટીવી ક્યારેય ન મુકો. આ દિશામાં ટીવી રાખવાથી સકારાત્મક ઉર્જાનો માર્ગ અવરોધાય છે અને ઘરમાં નકારાત્મકતા આવે છે.
લિવિંગ રૂમમાં ટીવી દક્ષિણ-પૂર્વ દિશામાં રાખો, કારણ કે દક્ષિણ-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ દિશામાં ટીવી રાખવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને ઘરમાં રહેતા લોકો વચ્ચે પરસ્પર પ્રેમ વધે છે.
વાસ્તુ અનુસાર બેડરૂમમાં દક્ષિણ-પૂર્વ ખૂણામાં ટીવી મુકો. ધ્યાનમાં રાખો કે ટીવી બેડરૂમની મધ્યમાં ન હોવું જોઈએ, તે વિવાહિત જીવનમાં વિખવાદ પેદા કરે છે.
રૂમમાં ટીવી એવી રીતે રાખો કે તે પૂર્વની દિવાલ સાથે રહે. આમ કરવાથી ટીવી જોતી વખતે પરિવારના સભ્યોનું મુખ હંમેશા પૂર્વ દિશામાં રહેશે, જે વાસ્તુ અનુસાર ખૂબ જ સારું છે.
ટીવી ક્યારેય ઘરના પ્રવેશદ્વારની સામે ન હોવું જોઈએ. વાસ્તુ અનુસાર પ્રવેશદ્વારની સામે ટીવી રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે, જેનાથી પરિવારમાં પરસ્પર મતભેદ થાય છે.
જો બેડરૂમમાં ટીવી સેટ હોય તો સૂતી વખતે તેની સ્ક્રીન પર કવર લગાવો. જો તમે આવું ન કરો તો તે મોટી ખામી છે અને આ ખામીને કારણે ઘરમાં કલહનું વાતાવરણ બની શકે છે.
ટીવી પર ક્યારેય ધૂળ જમા થવા ન દો. તેને હંમેશા સાફ રાખો. કારણ કે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)