શોધખોળ કરો

Somawar Upay: સોમવારના દિવસે કરો આ વિશેષ ઉપાય, સુખ, સમૃદ્ધિ અને ધનમાં થશે વૃદ્ધિ

સોમવાર મહાદેવને સમર્પિત છે. આ દિવસે મહાદેવની વિશેષ કૃપા મેળવા માટે જો કેટલાક ખાસ ઉપાય કરવાાં આવે તો જીવનના સઘળા કષ્ટોથી મુક્તિ મળે છે.

Somwar  Upay: ભગવાન શિવ અત્યંત દયાળુ  છે. તે પોતાના ભક્તોના તમામ દુ:ખ દૂર કરે છે. તેમની કૃપાથી ભક્તોનો ઉદ્ધાર થાય છે. શિવપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, જે ભક્તો મહાદેવની ઉપાસના કરે છે તેમને જીવનમાં દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે. તેથી સોમવારે ભક્તો ભગવાન શિવની ભક્તિભાવપૂર્વક પૂજા કરે છે.

સોમવાર દેવોના દેવ ભગવાન મહાદેવને સમર્પિત છે. આ દિવસે ભગવાન શિવની સાથે માતા પાર્વતીની પણ પૂજા કરવામાં આવે છે અને તેમના માટે વ્રત પણ રાખવામાં આવે છે. ભગવાન શિવ અત્યંત દયાળુ દેવ છે. તે પોતાના ભક્તોના તમામ દુ:ખ દૂર કરે છે. તેમની કૃપાથી ભક્તોનો ઉદ્ધાર થાય છે. શિવપુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, જે ભક્તો મહાદેવની ઉપાસના કરે છે તેમને જીવનમાં દરેક પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે. તેથી સોમવારે ભક્તો ભગવાન શિવની ભક્તિભાવપૂર્વક પૂજા કરે છે. જ્યોતિષમાં સોમવારે વિશેષ ઉપાયો કરવાની પણ જોગવાઈ છે. આ ઉપાયોનું પાલન કરવાથી દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે. સુખ, સમૃદ્ધિ અને સંપત્તિમાં પણ વધારો થાય છે. આવો, જાણીએ ઉપાય-

સોમવારના ઉપાયો

જો તમારા પરિવારમાં હંમેશા મતભેદની સ્થિતિ રહે છે, તો સમોવરના દિવસે સ્નાન અને ધ્યાન કર્યા પછી વિધિ પ્રમાણે ભગવાન શિવની પૂજા કરો. પીપળાને જળ આપો અને વંદન કરો. પરિવારની સુખાકારી માટે પ્રાર્થના કરો. આમ કરવાથી પરિવારમાં રહેલો મતભેદ દૂર થાય છે.

જો તમારી યાદશક્તિ નબળી પડી ગઈ છે, તો તમારી યાદશક્તિ વધારવા માટે સોમવારે ભગવાન શિવની સાથે દેવી સરસ્વતીની પૂજા કરવી જોઇએ,. આ સમયે માતા સરસ્વતીને દૂધ અને ચોખા કેસરયુક્ત ખીર ચઢાવો., શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને ‘ઓમ હ્રીં સરસ્વત્યાય નમઃ’ મંત્રનો જાપ કરો. આ મંત્રનો જાપ કરવાથી યાદશક્તિ તેજ થાય છે.

લગ્નમાં વિલંબ થતો હોય તો લોકોએ સોમવારે સ્નાન કર્યાં બાદ સફેદ વસ્ત્રો ધારણ કરો બાદ હવે પાણીમાં દૂધ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરો. રાહુ-કેતુ સહિતના અશુભ ગ્રહોની અસરને ઓછી કરવા માટે તમારે પાણીમાં કાળા તલ પણ મિક્સ કરવા જોઈએ. આ જળ પણ મહાદેવને ચઢાવો. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તેમને શણ, ધતુરા, મદારના ફૂલ વગેરે ચઢાવો. આ ઉપાય કરવાથી લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે.

જો તમારું લગ્નજીવન સુખી નથી તો સોમવારે ભગવાન શિવને પંચામૃતથી અભિષેક કરો. આ પછી પંચાક્ષરી મંત્ર ‘ઓમ નમઃ શિવાય’ ની સાથે ‘ઓમ બ્રહ્મ ભ્રામ ભ્રૌમ સ: રાહવે નમઃ’ મંત્રનો જાપ કરો. આ ઉપાય કરવાથી પતિ-પત્નીના સંબંધો મધુર અને મજબૂત બને છે.

માનસિક તણાવથી રાહત મેળવવા માટે દર સોમવારે સ્નાન અને ધ્યાન પછી ભગવાન શિવને કાચા દૂધનો અભિષેક કરો. સફેદ વસ્તુઓનું પણ દાન કરો. આમ કરવાથી કુંડળીમાં ચંદ્ર બળવાન બને છે. આ ઉપાય કરવાથી માનસિક તણાવમાંથી મુક્તિ મળે છે.

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rashifal 8 August 2026: કર્ક સહિત આ 6 રાશિને આજે કિસ્મતનો મળશે સાથ, જાણો 12 રાશિનું રાશિફળ
Rashifal 8 August 2026: કર્ક સહિત આ 6 રાશિને આજે કિસ્મતનો મળશે સાથ, જાણો 12 રાશિનું રાશિફળ
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
શુક્ર નક્ષત્ર પરિવર્તનના કારણે 4 રાશિઓની બગડશે આર્થિક સ્થિતિ, 11 ઓગસ્ટ બાદ સંભાળીને રહેજો  
Today's Horoscope: શુક્રવારે વૃદ્ધિ યોગનો મહા સંયોગ, સિંહ સહિત આ રાશિને મળશે બંપર ધન લાભ
Today's Horoscope: શુક્રવારે વૃદ્ધિ યોગનો મહા સંયોગ, સિંહ સહિત આ રાશિને મળશે બંપર ધન લાભ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
ગાંધીનગરમાં શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ, 48 લાખનો 9300 કિલો જથ્થો જપ્ત
ગાંધીનગરમાં શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ, 48 લાખનો 9300 કિલો જથ્થો જપ્ત
Embed widget