Shrawan 2025 : શ્રાવણ માસમાં મહાદેવને રાશિ પ્રમાણે આ ચીજથી કરો અભિષેક, મનોકામનાની થશે શીઘ્ર પૂર્તિ
Shrawan 2025: શ્રાવણ માસનો પ્રારંભ 25 જુલાઇ શુક્રવારથી થઇ રહ્યો છે. જાણીએ રાશિ મુજબ મહાદેવને કઇ ચીજ અર્પણ કરવી જોઇએ. જેનાથી મહાદેવના આશિષ મળતા સીધ્ર મનોકામનાની પૂર્તિ થાય

Shrawan 2025 :25 જુલાઇ શુક્વારથી શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે. આ વખતે શ્રાવણ માસમાં શુભ યોગનો શુભંગ સમન્વય સર્જાયો છે. આ યોગમાં મહાદેવની સાધના આરાધનાથી મનોકામનાની પૂર્તિ થાય છે. જાણીએ રાશિનુસાર કયા પદાર્થથી કરશો અભિષેક
ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે. સાથે જ, શ્રાવણ સોમવારના ઉપવાસનું પણ પોતાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં આવતી અનેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે. આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર 28 જુલાઇએ છે. શ્રાવણના પ્રથમ સોમવારે પૂજા કરવાની સાથે ભગવાન શિવના સ્તોત્રનો પાઠ કરવાથી પણ લાભ થાય છે. રાશિનુસાર અભિષેક કરવાથી શીઘ્ર કામનાની પૂર્તિ થાય છે.
શ્રાવણ સોમવારની પૂજા વિધિ
શ્રાવણ સોમવારના વ્રત પર, સવારે વહેલા ઉઠો, સ્નાન કરો, ધ્યાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. આ પછી, દીવો પ્રગટાવો અને ભગવાન શિવની પ્રાર્થના કરો અને વ્રતની પ્રતિજ્ઞા લો. આ કર્યા પછી, ભગવાન શિવનો જલાભિષેક કરો અને સુગંધ, ફૂલ, ધૂપ, દીપ વગેરે અર્પિત કરો. આ પછી સવારે અથવા પ્રદોષ કાળમાં ભગવાન શિવનો રુદ્રાભિષેક કરો. આ દરમિયાન મહાદેવને પંચામૃત એટલે કે દૂધ, ગંગા જળ, દહીં, ખાંડ, ઘી અને મધનો અભિષેક કરો. આ દરમિયાન 'ઓમ નમઃ શિવાય' અથવા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. પૂજાના અંતે ભગવાન શિવની આરતી કરી પૂજાનું સમાપન કરો.
રાશિ મુજબ શ્રાવણમાં કરો મહાદેવને અભિષેક
- મેષઃ તાંબાના લોટામાં શુદ્ધ જળમાં ગોળ મેળવીને પાણી ચઢાવવું, લાલ ફૂલ ચઢાવવા.
- વૃષભઃ શિવલિંગ પર દહીં, સફેદ ચંદન, ફૂલ અને ચોખા અર્પણ કરવા,
- મિથુનઃ શેરડીનો રસ અને બીલીપત્રપથી ભગવાન શિવની પૂજા અર્ચના કરવી,
- કર્કઃ સફેદ ચંદનથી ત્રિપુંડ કરવું અને ઘીથી ભગવાનનો અભિષેક કરવો.
- સિંહઃ ગોળ મિશ્રિત ગંગાજળથી તથા ઘઉં અર્પણ કરીને પૂજા કરવી.
- કન્યાઃ શેરડીના રસથી ભગવાનનો અભિષેક કરવો, શિવજીને બીલીપત્ર ચઢાવવા,
- તુલાઃ અત્તર મિશ્રિત પાણીથી શિવલિંગનો અભિષેક કરવો, સુગંધી ફૂલો અર્પણ કરવા.
- વૃશ્ચિકઃ શ્રાવણ માસમાં પંચામૃતથી ભગવાન શિવજીનો અભિષેક કરવો.
- ધનઃ કેસરવાળા દૂધથી શિવજીનો અભિષેક કરી પીળા ફૂલ ચઢાવવા,
- મકરઃ શ્રાવણ માસ દરમિયાન કાળા તલથી ભગવાનનો અભિષેક કરવો.
- કુંભઃ ગંગાજળમાં કાળા તલ નાંખીને શિવલિંગ પર અભિષેક કરવો,
- મીનઃ હળદરવાળા દૂધથી શિવજીનો અભિષેક કરવો.




















