શોધખોળ કરો

Jagannath Rath Yatra 2024: જગન્નાથ રથયાત્રા ક્યારે? જાણો કેમ દર વર્ષે યોજાઇ છે? તેનું મહત્વ અને સંપૂર્ણ કહાણી

ભવ્ય રથયાત્રા માટે, ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રા માટે ત્રણ અલગ-અલગ રથ બનાવવામાં આવે છે. યાત્રામાં બલભદ્રજીનો રથ આગળ, બહેન સુભદ્રા મધ્યમાં અને ભગવાન જગન્નાથજીનો રથ પાછળ ફરે છે. ભગવાન, વિશાળ રથ પર બેઠેલા, ગુંડીચા મંદિર, તેમની માસીના ઘરે પહોંચે છે

ઓડિશાનું પુરી મંદિર તેના રહસ્યો અને ચમત્કારોના કારણે ચર્ચામાં રહે છે. પુરી મંદિરની જગન્નાથ રથયાત્રા (Jagannath Rath Yatra) વિશ્વ પ્રસિદ્ધ છે. જે દર વર્ષે અષાઢ મહિનામાં શરૂ થાય છે. અષાઢ માસના શુક્લ પક્ષની બીજી તારીખથી જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ થાય છે. આ દિવસે ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે ત્રણ અલગ-અલગ રથ પર સવાર થઈને શહેરમાં ફરવા જાય છે અને તેમની માસીના ઘરે ગુંડીચા મંદિર જાય છે.

પુરી, ઓડિશા, ભારતમાં સ્થિત જગન્નાથ મંદિર (Jagannath Temple) પરંપરાગત રીતે અનાવસર અથવા અનાસાર સમયગાળા દરમિયાન દર વર્ષે 15 દિવસ માટે બંધ રહે છે. આ 15 દિવસ પછી રથ મહોત્સવ અથવા રથયાત્રા કાઢવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર જગન્નાથ રથયાત્રામાં ભાગ લેનાર લોકોને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જગન્નાથ શબ્દનો અર્થ થાય છે 'બ્રહ્માંડનો ભગવાન'. જગન્નાથજીને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. દર વર્ષે ઓડિશાના પુરી શહેરમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ તહેવારના દિવસે મુખ્યત્વે ત્રણ દેવતાઓની પૂજા કરવામાં આવે છે, જેમાં ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને તેમની નાની બહેન સુભદ્રાનો સમાવેશ થાય છે.

જગન્નાથ યાત્રા ક્યારે થશે શરૂ? (Jagannath Rath Yatra 2024)

હિંદુ કેલેન્ડર મુજબ, અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજી તિથિ 7 જુલાઈ, 2024 ના રોજ સવારે 04:26 વાગ્યે શરૂ થઈ રહી છે. દ્વિતિયા તિથિ 8 જુલાઈ, 2024 ના રોજ સવારે 04:59 વાગ્યે સમાપ્ત થશે, તેથી ઉદયા તિથિ અનુસાર, જગન્નાથ રથયાત્રા 2024 માં 7 જુલાઈથી શરૂ થવા જઈ રહી છે.

દર વર્ષે કેમ યોજાઇ છે રથયાત્રા

જ્યેષ્ઠ માસની પૂર્ણિમાના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલભદ્રને ગર્ભગૃહમાંથી બહાર લાવવામાં આવે છે અને સ્નાન કરાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ પછી ભગવાન જગન્નાથ બીમાર પડે છે અને તેને તાવ આવે છે. આ કારણથી ભગવાન જગન્નાથ 15 દિવસ સુધી શયનખંડમાં માં આરામ કરે છે. આ સમયગાળા દરમિયાન, પુરી મંદિર 15 દિવસ માટે બંધ રહે છે. આ પછી, અષાઢ મહિનાના શુક્લ પક્ષના બીજા દિવસે, તેઓ સ્વસ્થ થઈને તેમના આરામ ખંડમાંથી બહાર આવે છે અને આ ખુશીમાં, ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે.

કેવી રીતે યોજાઇ છે રથયાત્રા

ભવ્ય રથયાત્રા માટે, ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રા માટે ત્રણ અલગ-અલગ રથ બનાવવામાં આવે છે. યાત્રામાં બલભદ્રજીનો રથ આગળ, બહેન સુભદ્રા મધ્યમાં અને ભગવાન જગન્નાથજીનો રથ પાછળ ફરે છે. ભગવાન, વિશાળ રથ પર બેઠેલા, ગુંડીચા મંદિર, તેમની માસીના ઘરે પહોંચે છે, જ્યાં તેઓ થોડા દિવસો આરામ કરે છે. આ પછી તે ફરીથી પોતાના ઘરે પરત ફરે છે.

ધાર્મિક માન્યતાઓ અનુસાર પુરીમાં ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન જગન્નાથના રૂપમાં પૃથ્વી પર વિરાજમાન છે. વર્ષમાં એકવાર તેમની રથયાત્રા કાઢવાની પરંપરા છે, જેમાં ભાગ લેનાર ભાગ્યશાળી લોકોને 100 યજ્ઞો જેટલું પુણ્ય મળે છે. ભગવાન જગન્નાથની કૃપાથી લોકો મોક્ષ પ્રાપ્ત કરે છે. એવું માનવામાં આવે છે કે અષાઢ મહિનામાં પુરીમાં સ્નાન કરવાથી તમામ પવિત્ર સ્થળોની મુલાકાત સમાન પુણ્ય મળે છે.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Budh Gochar: 48 કલાકમાં માલામાલ થશે આ 5 રાશિઓ, ગ્રહોના રાજકુમાર બુધ પલટશે કિસ્મત!
Budh Gochar: 48 કલાકમાં માલામાલ થશે આ 5 રાશિઓ, ગ્રહોના રાજકુમાર બુધ પલટશે કિસ્મત!
Shani Tips: ભૂલથી પણ શનિવારે જૂતા ખરીદતા પહેલા જાણી લો આ માન્યતા, નહીં તો વધી શકે છે મુશ્કેલીઓ
Shani Tips: ભૂલથી પણ શનિવારે જૂતા ખરીદતા પહેલા જાણી લો આ માન્યતા, નહીં તો વધી શકે છે મુશ્કેલીઓ
બુધવાર અને સ્વાતિ નક્ષત્રનો આજે શુભ સંયોગ, આ શુભ સમયે કરો આ ખાસ ઉપાય, સઘળી સમસ્યાથી મળશે મુક્તિ
બુધવાર અને સ્વાતિ નક્ષત્રનો આજે શુભ સંયોગ, આ શુભ સમયે કરો આ ખાસ ઉપાય, સઘળી સમસ્યાથી મળશે મુક્તિ
Aaj Nu Rashifal: કુંભ સહિત આ રાશિને થશે ધનલાભ, જાણો 12 રાશિનું ફળાદેશ
Aaj Nu Rashifal: કુંભ સહિત આ રાશિને થશે ધનલાભ, જાણો 12 રાશિનું ફળાદેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
Commonwealth Games 2026: ભારતનું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો TV પર ફ્રીમાં ક્યાંથી લાઈવ જોવું
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર
Navsari Rain: ધોધમાર વરસાદથી નવસારી જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
Navsari Rain: ધોધમાર વરસાદથી નવસારી જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
Embed widget