![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Shani Dev Upay: જીવનમાં પારાવારા મુશ્કેલીઓનો કરી રહયાં છો સામનો, શનિ દોષને દૂર કરવા કરો આ ઉપાય
જીવનના આવતી મુશ્કેલીઓનો આપ પારાવાર સામનો કરી રહ્યાં છો તો આ બધુ જ શનિ દોષના કારણે પણ હોઇ શકે છે, શનિ દોષને નિવારવા કરો આ ઉપાય
![Shani Dev Upay: જીવનમાં પારાવારા મુશ્કેલીઓનો કરી રહયાં છો સામનો, શનિ દોષને દૂર કરવા કરો આ ઉપાય Remove shani dosh in kundali do these remedy karo aa upay Shani Dev Upay: જીવનમાં પારાવારા મુશ્કેલીઓનો કરી રહયાં છો સામનો, શનિ દોષને દૂર કરવા કરો આ ઉપાય](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/03/ce559a7a901d00847f385eb0f9cf977e169104353336681_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Shani Dev Upay:જીવનના આવતી મુશ્કેલીઓનો આપ પારાવાર સામનો કરી રહ્યાં છો તો આ બધુ જ શનિ દોષના કારણે પણ હોઇ શકે છે, શનિ દોષને નિવારવા કરો આ ઉપાય
શનિદેવને ન્યાયાધિશ કહેવામાં આવે છે. કારણ કે શનદેવ વ્યક્તિને તેના કાર્યો અનુસાર સજા અને શુભ ફળ આપે છે. તેથી જ શનિદેવને કર્મ પ્રધાન દેવતા પણ કહેવામાં આવે છે. શનિદેવના શુભ પ્રભાવથી વ્યક્તિનું જીવન ધન્ય બની જાય છે અને તેની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે.
પરંતુ શનિદેવ જયારે દંડ આપે છે. ત્યારે વ્યક્તિને રાજામાંથી રંક બનતા સમય નથી લાગતો. તો બીજી તરફ જે વ્યક્તિ પર શનિદેવની સાડાસાતી કે પનોતી ચાલતી હોય તેના જીવનમાં એક પછી એક સમસ્યાઓ આવતી રહે છે. તેથી જ જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને તમામ નવ ગ્રહોમાં સૌથી ઉગ્ર ગ્રહ માનવામાં આવે છે.
આ સાથે જ જ્યોતિષમાં શનિદેવને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો કરવાથી કુંડળીમાં શનિ સાનુકૂળ રહે છે. આ ઉપાયોથી શનિની દશા જેવી કે સાડેસતી અને પનોતીની અસર પણ ઓછી થાય છે. જો તમારી કુંડળીમાં પણ શનિની દશા ભારે છે તો આ ઉપાયો અવશ્ય કરો.
શનિદેવના ઉપાયો
- કાળા કૂતરાની સેવા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. શનિવારે કાળા કૂતરાને સરસવના તેલમાં રોટલી ચોપડીને ખવડાવવાથી શનિની દશા ઓછી થાય છે.
- શનિદેવને કાળો રંગ પસંદ છે. એટલા માટે જે લોકોની કુંડળીમાં ભારે શનિ હોય તેમણે કાળા પશુ-પક્ષીઓને ભોજન કરાવવું જોઈએ અને કાળા રંગની વસ્તુઓનું દાન પણ કરવું જોઈએ.
- શનિવારે પાણીમાં તેલ, ખાંડ અને કાળા તલ ભેળવીને પીપળના ઝાડને અર્પણ કરો અને ત્રણ પરિક્રમા કરો. આ ઉપાય કરવાથી ભારે શનિની અસર ઓછી થઈ જાય છે.
- શનિદેવની ખરાબ નજર બજરંગ બલિના ઉપાસકો અથવા બજરંગ બલિના ભક્તો પર પડતી નથી. આવી સ્થિતિમાં શનિદેવ સાથે મળીને શનિવારે બજરંગબલીની પૂજા કરો અને સુંદરકાંડનો પાઠ કરો.
- સાત મુખી રુદ્રાક્ષ શનિ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. આને પહેરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને શનિ સંબંધિત તમામ દોષો દૂર થાય છે. શનિવાર કે સોમવારે સાત મુખી રુદ્રાક્ષને ગંગાના જળથી શુદ્ધ કરીને ધારણ કરી શકો છો. આમ પણ કુંડળીમાં શનિની સ્થિતિ અનુકૂળ બને છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)