શોધખોળ કરો

UGC-NET Paper Leak: એક્ઝામના એક દિવસ પહેલા લીક થયું હતું પેપર, CBIની તપાસમાં ખુલાસો

UGC-NET Paper Leak: શિક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે, UGC-NET પરીક્ષાની સુચિતા સાથે ચેડાં થયા હોવાના ઇનપુટ્સ મળ્યા બાદ તેને રદ કરવામાં આવી હતી. પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

UGC-NET Paper: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવતી UGC-NET પરીક્ષા રદ કરવામાં આવી છે. આને લઈને ઘણો વિવાદ થયો છે. શિક્ષણ મંત્રાલયે કહ્યું કે તેમને ગૃહ મંત્રાલય દ્વારા પરીક્ષામાં ગેરરીતિની માહિતી મળી હતી, ત્યારબાદ પેપર રદ કરવામાં આવ્યું હતું. આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈને મોટી માહિતી મળી છે. CBIએ તેની તપાસ બાદ કહ્યું છે કે UGC-NET પેપર લીક થયું હતું. પરીક્ષા પહેલા ડાર્કનેટ પર પેપર અપલોડ કરવામાં આવ્યું હતું.

 પેપર રદ કર્યા બાદ સરકારે CBIને તપાસની જવાબદારી સોંપી છે. તપાસ દરમિયાન CBI એ શોધી રહી છે કે UGC NET પરીક્ષાનું પેપર ક્યાંથી લીક થયું હતું. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રશ્નપત્ર સોમવાર (17 જૂન) ના રોજ લીક થયું હતું, ત્યારબાદ તેને એનક્રિપ્ટેડ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યું હતું. પકડાઈ ન જાય તે માટે આરોપીઓએ લીક થયેલું પ્રશ્નપત્ર ડાર્કનેટ પર પોસ્ટ કર્યું હતું. સીબીઆઈ કેસ સંબંધિત વિગતો એકત્રિત કરવા માટે એનટીએ અને અન્ય એજન્સીઓના સંપર્કમાં છે.

 પરીક્ષાના એક દિવસ પછી UGC-NET રદ

હકીકતમાં, શિક્ષણ મંત્રાલયે બુધવારે (19 જૂન) ના રોજ NTA દ્વારા આયોજિત UGC-NET પરીક્ષાને રદ કરવાનો આદેશ આપ્યો હતો. આ કેસની તપાસ તાત્કાલિક સીબીઆઈને સોંપવામાં આવી હતી. મંત્રાલયને માહિતી મળી હતી કે, પરીક્ષાની અખંડિતતા સાથે ચેડા કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેને ઉતાવળમાં રદ કરવામાં આવી હતી. અત્રે નોંધનીય બાબત એ છે કે વિદ્યાર્થીઓએ એક દિવસ અગાઉ એટલે કે મંગળવારે (18 જૂન) પરીક્ષા આપી હતી. પેન અને પેપર મોડમાં લેવાયેલી આ પરીક્ષામાં 9 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

UGC-NETની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશેઃ શિક્ષણ મંત્રાલય

 શિક્ષણ મંત્રાલયે ગુરુવારે (20 જૂન) કહ્યું કે, UGC-NET પરીક્ષા ફરીથી લેવામાં આવશે. આ માટે તારીખો અને અન્ય મહત્વની બાબતો અલગથી જાહેર કરવામાં આવશે. UGC-NET પરીક્ષા દ્વારા, જુનિયર રિસર્ચ ફેલોશિપ, આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે નિમણૂક અને દેશની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પીએચડીમાં પ્રવેશ માટે ભારતીયોની પાત્રતા નક્કી કરવામાં આવે છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં આપે છે..

દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશેઃ શિક્ષણ મંત્રી

UGC-NET રદ્દ થયા બાદ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ સવાલોથી ઘેરાયેલા છે.. તેમણે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું હતું કે NEET પેપર લીક અને UGC-NETના સંબંધમાં NTA અધિકારીઓ સહિત દોષિત કોઈપણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર હવે NTAની કામગીરીની તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરશે. તેમજ કહ્યું કે સરકાર કોઈપણ પ્રકારની ગેરરીતિ વિના પરીક્ષાઓ યોજવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, UGC-NET રદ કરવાનો નિર્ણય અચાનક લેવામાં આવ્યો નથી. અમને પુરાવા મળ્યા કે પ્રશ્નપત્ર ડાર્કનેટ પર લીક થયું હતું. તેને ટેલિગ્રામ પર પણ શેર કરવામાં આવ્યું હતું.  આ પછી જ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Today's Horoscope: બુધવારનો દિવસ આ રાશિ માટે નિવડશે શુભ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ રાશિ માટે નિવડશે શુભ, જાણો રાશિફળ
12 વર્ષ બાદ ગુરુનું કર્કમાં મહાગોચર: 2026ના ઓક્ટોબર સુધી આ 4 રાશિઓને થશે મોટો લાભ
12 વર્ષ બાદ ગુરુનું કર્કમાં મહાગોચર: 2026ના ઓક્ટોબર સુધી આ 4 રાશિઓને થશે મોટો લાભ
2 જૂનથી કર્કમાં ગુરૂનું ગોચર, આ 3 રાશિ માટે ભાગ્યદયનો સુવર્ણ સમય, ઓક્ટોબર સુધી પ્રગતિની અપાર સંભાવવના
2 જૂનથી કર્કમાં ગુરૂનું ગોચર, આ 3 રાશિ માટે ભાગ્યદયનો સુવર્ણ સમય, ઓક્ટોબર સુધી પ્રગતિની અપાર સંભાવવના
Today's Horoscope: મકર સહિત આ રાશિના જાતક માટે લાભદાયી દિવસ, જાણો મેષથી મીનનું રાશિફળ
Today's Horoscope: મકર સહિત આ રાશિના જાતક માટે લાભદાયી દિવસ, જાણો મેષથી મીનનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
India at 2047 Conclave: યોજના આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ મોન્ટેક સિંહે જણાવ્યો મજબૂત ઈકોનોમી અને નવા PPP મૉડલનો રસ્તો
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
રાજ્યમાં આગામી ચાર દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં ભારે પવન સાથે વરસશે વરસાદ
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
સંભવિત સંપાદિત જમીન અંગે સરકારે લીધો મહત્વપૂર્ણ નિર્ણય, એક વર્ષ સુધી ખેતીની જમીન નહીં થાય NA
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
Iran-US War News: કુવૈતમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલો, ઈરાને કહ્યું- 'બદલો લીધો'
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
FIFA World Cupમાં લાગુ થશે આઠ નવા નિયમ, ખેલાડીઓ નહીં કરી શકે મનમાની
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
Embed widget