ઈન્ડિયન નેવીમાં 10-12 પાસ માટે બહાર પડી અગ્નિવીરોની ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી?
આ ભરતીમાં સામેલ થવા માંગતા રસ ધરાવતા અને લાયક યુવા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ agniveer.navydmpr.in ની મુલાકાત લઈને અરજી કરી શકે છે.

Indian Navy Agniveer Recruitment 2026: જો તમે ઈન્ડિયન નેવીમાં સામેલ થઈને દેશની સેવા કરવા માંગતા હોવ તો હવે તમારા માટે એક શ્રેષ્ઠ તક છે. ભારતીય નૌકાદળે અગ્નિવીર SSR અને MR 01/2027, 02/2027 બેચ માટે સત્તાવાર ભરતી જાહેરાત બહાર પાડી છે. આ ભરતીમાં સામેલ થવા માંગતા રસ ધરાવતા અને લાયક યુવા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ agniveer.navydmpr.in ની મુલાકાત લઈને અરજી કરી શકે છે. અરજીની શરૂઆત થઈ ગઈ છે તમામ કેટેગરી માટે અરજી ફી સમાન છે
ભારતીય નૌકાદળ અગ્નિવીર ભરતી 2026 માટે ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી નથી. તમે સત્તાવાર વેબસાઇટ www.joinindiannavy.gov.in પર જઈને અરજી કરી શકો છો. અરજી કરવાની શરૂઆત 14 માર્ચ 2026ના થઈ હતી. તમે 6 એપ્રિલ 2026 સુધી અરજી કરી શકશો. 10-11 એપ્રિલ સુધી અરજીમાં સુધારો કરી શકશો. સ્ટેજ I પરીક્ષા મે 2026માં યોજાશે. સ્ટેજ I પરિણામ મે-જૂન 2026માં જાહેર કરાશે.
અપરિણીત મહિલાઓ અને પુરુષ ઉમેદવારો અરજી કરી શકશે. સ્ટેજ I (ભારતીય નૌકાદળ પ્રવેશ પરીક્ષા), સ્ટેજ II ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ આપવો પડશે. અગ્નિવીર SSR માટે અરજી કરવા માટે ઉમેદવારોએ ઓછામાં ઓછા 50 ટકા ગુણ સાથે માન્ય બોર્ડમાંથી ગણિત અને ભૌતિકશાસ્ત્ર સાથે 10+2 પાસ કરેલ હોવું જોઈએ. અથવા મિકેનિકલ/ઇલેક્ટ્રિકલ/ઓટોમોબાઇલ્સ/કમ્પ્યુટર સાયન્સ/ઇન્સ્ટ્રુમેન્ટેશન ટેકનોલોજી/ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્જિનિયરિંગમાં ત્રણ વર્ષનો ડિપ્લોમા ઓછામાં ઓછા 50 ટકા ગુણ સાથે. માન્ય બોર્ડમાંથી 10મું ધોરણ પાસ કરેલ ઉમેદવારો અગ્નિવીર MR ભરતી માટે અરજી કરી શકે છે.
અગ્નિવીર SSR/MR 01/2027 બેચ માટે ઉમેદવારો 1 ડિસેમ્બર, 2004 થી 31 મે, 2009ની વચ્ચે હોવા જોઈએ. અગ્નિવીર SSR/MR 02/2027 બેચ માટે વય મર્યાદા 1 મે, 2005 થી 31 ઓક્ટોબર, 2009 સુધી છે. સ્ટેજ 1 લેખિત પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોએ ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ પાસ કરવો જરૂરી રહેશે. આમાં 1600-મીટર દોડ, સિટ-અપ્સ, પુશ-અપ્સ અને સિટ-અપ્સનો સમાવેશ થશે. પુરુષ ઉમેદવારોએ 6 મિનિટ અને 30 સેકન્ડમાં 1600-મીટર દોડ, 20 સ્ક્વોટ્સ, 15 પુશ-અપ્સ અને 16 સિટ-અપ્સ પૂર્ણ કરવા જરૂરી રહેશે. મહિલા ઉમેદવારોએ 8 મિનિટમાં 1600 મીટર દોડ, 15 સિટ-અપ્સ, પુશ-અપ્સ અને 10 સિટ-અપ્સ પૂર્ણ કરવા પડશે. ફક્ત PFT ટેસ્ટ પાસ કરનારા ઉમેદવારો જ સ્ટેજ II માટે લાયક ઠરશે.
ભારતીય નૌકાદળ અગ્નિવીર એર ભરતી માટે ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ પહેલા સત્તાવાર વેબસાઇટ, agniveer.navydmpr.in ની મુલાકાત લેવી પડશે. જો તમે વેબસાઇટ પર નવા છો, તો પહેલા રજિસ્ટર લિંક પર ક્લિક કરો. તમારો ઇમેઇલ આઈડી, મોબાઇલ નંબર, નામ અને રાષ્ટ્રીયતા કાળજીપૂર્વક દાખલ કરીને અહીં નોંધણી કરો, ત્યારબાદ કેપ્ચા કોડ દાખલ કરો. તમારો નોંધણી નંબર અને પાસવર્ડ બનાવવામાં આવશે. આનો ઉપયોગ કરીને લોગિન કરો. હવે કેટેગરી, સરનામું, ઉંમર, માતાપિતાના નામ અને ગુણ સહિત તમારી બધી વ્યક્તિગત વિગતો કાળજીપૂર્વક ભરો. તમારો ફોટોગ્રાફ સ્કેન કરો અને તેને 10KB થી 50KB ની અંદર અપલોડ કરો. તમારી સિગ્નેચરને સ્કેન કરો અને તેને જરૂરી કદમાં અપલોડ કરો. અરજી ફી ચૂકવો અને અરજી ફોર્મનું પ્રિન્ટઆઉટ લો અને તેને સુરક્ષિત રાખો. જનરલ/ઓબીસી/ઈડબ્લ્યુએસ/એસટી સહિત તમામ શ્રેણીઓના ઉમેદવારોએ 550ની અરજી ફી ઓનલાઈન ચૂકવવાની રહેશે.
Education Loan Information:
Calculate Education Loan EMI























