શોધખોળ કરો

Shardiya Navaratri 2023: શા માટે મનાવાય છે શારદિય નવરાત્રિ? સૌથી લાંબા ચાલતા આ પર્વનો શું છે ઇતિહાસ

નવરાત્રિએ એ સૌથી લાંબો ચાલતું પર્વ છે. આ પર્વનો ઇતિહાસ અને મહત્વ શું છે સમજીએ. પૌરાણિક કથા અનુસાર દુર્ગા માતાએ મહિષાસુરના વધ કરવા માટે નવ દિવસ યુદ્ધ કર્યું હતું અને દશમા દિવસે તેનો વધ કર્યો હતો

Shardiya Navaratri 2023:નવરાત્રીનો તહેવાર નવ દિવસ સુધી ચાલે છે. આ વર્ષે નવરાત્રી 15 ઓક્ટોબરથી થી શરૂ થશે અને 23 ઓક્ટોબરે પૂર્ણ થશે. 24 ઓક્ટોબરે વિજય દશમી ઉજવાશે. નવરાત્રી ઉજવવા પાછળ ઘણી માન્યતાઓ અને કથાઓ છે, જેનો ઉલ્લેખ ધાર્મિક ગ્રંથો અને શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે.

પંચાંગ અનુસાર આખા વર્ષમાં કુલ ચાર નવરાત્રી ઉજવવામાં આવે છે. તેમાંથી બેને ગુપ્ત નવરાત્રિ, એકને ચૈત્ર નવરાત્રિ અને એકને શારદીય નવરાત્રિ કહેવાય છે. ચૈત્ર અને અશ્વિન મહિનામાં આવતી નવરાત્રિનું મહત્વ છે. શારદીય નવરાત્રિ અશ્વિન મહિનાની પ્રતિપદા તિથિથી શરૂ થઈને દશમી તિથિ સુધી ચાલે છે. આ વર્ષે શારદીય નવરાત્રી રવિવાર  15 ઓક્ટોબરથી શરૂ થશે અને  23 ઓક્ટોબરે પૂર્ણ થશે. દેશના અલગ-અલગ ભાગોમાં નવરાત્રીની ઉજવણી અલગ-અલગ રીતે કરવામાં આવે છે. આ સમય દરમિયાન દેવી ભગવતીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે, ઉપવાસ કરવામાં આવે છે, ગરબા નૃત્યનું આયોજન કરવામાં આવે છે અને આરતી વગેરે કરવામાં આવે છે.

પરંતુ શું તમે જાણો છો કે, નવરાત્રીનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ નવરાત્રિ ઉજવવા સંબંધિત પૌરાણિક માન્યતાઓ અને તેનાથી સંબંધિત ઇતિહાસ વિશે.

નવ દિવસ સુધી નવરાત્રિ ઉજવવા સંબંધિત માન્યતાઓ

ધાર્મિક ગ્રંથો અનુસાર, માતા દુર્ગાએ મહિષાસુર રાક્ષસ સાથે યુદ્ધ કરીને તેનો વધ કર્યો હતો. આ યુદ્ધ નવ દિવસ ચાલ્યું અને દસમા દિવસે માતા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો. માતા દુર્ગાએ મહિષાસુરનો વધ કરીને આસુરી શક્તિઓનો નાશ કર્યો હતો. એવું કહેવાય છે કે જ્યારે માતા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો ત્યારે તે અશ્વિન મહિનાનો સમય હતો, તેથી દર વર્ષે અશ્વિન મહિનાની પ્રતિપદાથી નવ દિવસ સુધી નવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે, જેને શારદીય નવરાત્રી કહેવામાં આવે છે.

નવરાત્રિ મનાવવાનો ઇતિહાસ

નવરાત્રીનું પાવન પર્વ દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા સાથે જોડાયેલી છે. એક પ્રચલિત  પૌરાણિક કથા અનુસાર મહિષાસુર રાક્ષસને ભગવાન બ્રહ્મા પાસેથી અમરત્વનું વરદાન મળ્યું હતું. તેમનું મૃત્યુ કોઈ મનુષ્ય, રાક્ષસ કે દેવના હાથે ન હોઈ શકે. એક મહિલાના હાથે જ તેનું મૃત્યુ નિશ્ચિત હતું. આ વરદાન મળ્યા બાદ મહિષાસુરે મનુષ્યો અને દેવતાઓને હેરાન કરવાનું શરૂ કર્યું.

મહિષાસુરના અત્યાચારથી પરેશાન થઈને બધા દેવતાઓ ત્રિદેવ પાસે પહોંચી ગયા. પછી ત્રણ દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે આદિશક્તિનું આહ્વાન કર્યું. પછી બર્હ્મા વિષ્ણુ અને મહેશના તેજપુંજમાંથી દુર્ગાનું અવતરણ થયું. તેમને મહિષાસુર મર્દિની કહેવામાં આવતા હતા. દેવતાઓ પાસેથી શસ્ત્રોની શક્તિ મેળવ્યા પછી, માતા દુર્ગાએ મહિષાસુરને યુદ્ધ માટે પડકાર્યો.

મહિષાસુર અને દેવી દુર્ગા વચ્ચેનું યુદ્ધ નવ દિવસ ચાલ્યું અને દસમા દિવસે માતા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો, તેથી નવરાત્રીનો તહેવાર નવ દિવસ સુધી ઉજવવામાં આવે છે. એવું કહેવાય છે કે યુદ્ધ દરમિયાન તમામ દેવતાઓએ નવ દિવસ સુધી દરરોજ પૂજા કરી અને મહિષાસુરને મારવા માટે દેવીને શક્તિ પ્રદાન કરી. એવું માનવામાં આવે છે કે નવરાત્રીના તહેવારની ઉજવણી ત્યારથી શરૂ થઈ છે.

રામકથા સાથે પણ નવરાત્રીનું પર્વ જોડાયેલું છે

અન્ય એક કથા અનુસાર નવ દિવસ સુધી નવરાત્રિ પર્વ મનાવવાની કથા રામ સાથે જોડાયેલી છે. આ મુજબ જ્યારે રાવણે માતા સીતાનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ, રાવણ સાથેના યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા અને માતા સીતાને મુક્ત કરવા માટે, ભગવાન રામે નવ દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા કરવાની વિધિ કરી અને બીજા દિવસે, દેવી દુર્ગાએ પ્રગટ થઈ અને ભગવાન રામને યુદ્ધમાં વિજય માટે આશીર્વાદ આપ્યા. ભગવાન શ્રીરામે દસમા દિવસે રાવણનો વધ કર્યો હતો. આ પછી નવરાત્રિ ઉજવવાની પરંપરા શરૂ થઈ અને દસમા દિવસે રાવણના પૂતળાનું દહન કરવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ

વિડિઓઝ

Mahisagar news: મહિસાગરના નલ સે જલ કૌભાંડમાં વધુ એક કોન્ટ્રાકટરની ધરપકડ કરવામાં આવી
Rajkot News : રાજકોટ નજીક તુવરે દાળની આડમાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ
Ahmedabad Fire Incident : અમદાવાદના સિંગરવાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં
USA Firing News : અમેરિકાના પ્રોવિડેંસ શહેરમાં બ્રાઉન યુનિવર્સિટી પાસે અંધાધૂંધ ફાયરિંગ
Banaskantha News: દાંતાના પાડલીયા ગામમાં સ્થાનિકોએ વન કર્મચારી અને પોલીસ પર કર્યો હુમલો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Hero Vida એ બાળકો માટે લોન્ચ કરી ધાંસુ બાઈક, સિંગલ ચાર્જમાં ચાલશે 3 કલાક, જાણો કિંમત
Hero Vida એ બાળકો માટે લોન્ચ કરી ધાંસુ બાઈક, સિંગલ ચાર્જમાં ચાલશે 3 કલાક, જાણો કિંમત
શું તમારુ WhatsApp હેક થયું છે? જાણો તેને રિકવર કરવાની ટીપ્સ અને બચવાના ઉપાય
શું તમારુ WhatsApp હેક થયું છે? જાણો તેને રિકવર કરવાની ટીપ્સ અને બચવાના ઉપાય
Embed widget