શોધખોળ કરો
5 વર્ષ પહેલા બેંકમાં ખાતું પણ ન હતું, આજે દેશના ટોપ 100 અમીરમાં સામેલ છે રામદેવના શિષ્ય બાલકૃષ્ણ
1/7

ત્રણ વર્ષમાં આ રીતે થયો ગ્રોથઃ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝના આંકડા અનુસાર પતંજલિ આયુર્વેદને 2012-13માં કુલ 95.19 કરોડ રૂપિયાનો નફો થયો હતો. 2014-15માં આ નફો વધીને 196.31 કરોડ રૂપિયા થઈ ગયો. જે પાછલા વર્ષની તુલનામાં 108 ટકાનો વધારો દર્શાવે છે. કંપનીએ વર્ષ 2015-16માં ટેક્સ ચૂકવ્યા બાદ અંદાજે 316.60 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. એટલે કે વિતેલા ત્રણ વર્ષમાં પતંજલિના નફામાં 233 ટકાનો ઉછાળો નોંધાયો. પતંજલિનું વર્ષ 2015-16માં ટર્નઓવર 5 હજાર કરોડ રૂપિયા રહ્યું. કંપની વર્ષ 2017-18માં તે 10 હજાર કરોડ રૂપિયા સુધી લઈ જવા માગે છે.
2/7

બાલકૃષ્ણએ જણાવ્યું કે, સ્વામી જી કહે છે કે લોન લઈને કામ કરો. લોન લેવાથી મગજ ઠીક રહે છે. કંપનીનું વર્ક કલ્ચર પણ યનીક છે, જ્યાં દરેક વ્યક્તિ ઓમનું ઉચ્ચારણ કરી એક બીજાનું અભિવાદન કરે છે. અહીં, માંસાહાર, દારૂ અને સ્મોકિંગ કરવા પર પ્રતિબંધ છે.
Published at : 23 Sep 2016 10:10 AM (IST)
View More





















