શોધખોળ કરો
સેવિંગ-સેલેરી એકાઉન્ટમાંથી નાણાં જમા કરાવો કે ઉપાડો તો લાગશે રૂપિયા 150 સુધી ચાર્જ, જાણો ક્યારથી અમલની શક્યતા?
1/7

હાલમાં જ ખાનગી ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક એચડીએફસી બેંકે રોકડ સાથે જોડાયેલ કેટલાક ટ્રાન્ઝેક્શન માટે બચત ખાતાધારકો માટેના ચાર્જમાં ઉલ્લેખનીય વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ રોકડ ટ્રાન્ઝેક્શન પ્રત્યે લોકોને હતોસ્હાતિ કરવાનો એક પ્રયત્ન છે. સરકાર નોટબંધી બાદ લોકોને કેશલેસ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે પ્રોત્સાહિત કરી રહી છે. આમ બેંકનો આ નિર્ણય ઘણો મહત્ત્વપૂર્ણ છે. બેંકના એક અધિકારીએ જણાવ્યું હતું કે, એચડીએફસી બેંકે એક માર્ચથી કેટલાક ટ્રાન્ઝેક્સન પર ચાર્જ વધારવાનો નિર્ણય કર્યો છે. સાથે જ અન્ય કેસમાં રોકડની મર્યાદા નક્કી કરવા અને કેટલાક ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લગાવવાન નિર્ણય કર્યો છે. બેંકની વેબસાઈટડ અનુસાર થર્ડ પાર્ટી લેવડ દેવડ 25,000 હજાર રૂપિયાની મર્યાદા નક્કી કરવામાં આવે છે.
2/7

નવી દિલ્હીઃ નોટબંધીનો માર સહન કરીને બેઠેલા લોકોને હજુ રાહત મળી નથી એવામાં હવે પગાર અને બચત ખાતાધારકો માટે ખાતામાં રૂપિયા જમા કરાવવા અને ઉપાડવાની માસિક જે મર્યાદા છે તેમાં ઘટાડો કરવામાં આવે તેવી શક્યતા દર્શાવામાં આવી રહી છે. ઉપરાંત મર્યાદાથી વધારે વખત કરવામાં આવતા ટ્રાન્ઝેક્શન પર જે ચાર્જ હાલમાં લેવામાં આવે છે તેમાં વધારો પણ થઈ શકે છે.
Published at : 08 Feb 2017 01:03 PM (IST)
View More























