શોધખોળ કરો
બેંક યૂનિયનની હડતાળને કારણે મંગળવારે પ્રભાવિત થઈ શકે છે બેન્કિંગ સેવાઓ, ખાનગી બેંક ચાલુ રહેશે
1/3

તેમણે કહ્યું હતું કે, યુનિયનો દ્વારા ઉઠાવવામાં આવેલી માંગણીઓનો ઉકેલ લાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી ચુક્યા છે પરંતુ પરિણામો મળ્યા નથી જેના લીધે હવે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયને ૨૨મી ઓગસ્ટના દિવસે હડતાળ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હડતાળના પરિણામ સ્વરુપે બેંકિંગ સેવા ખોરવાઈ જાય તેવી શક્યતા છે. યુએફબીયુ ૧૦ લાખ બેંકોની મેમ્બરશીપ ધરાવતી હોવાનો દાવો કર્યો છે.
2/3

ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ કન્ફડરેશન, ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન, નેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ બેંક વર્કર્સ સહિત નવ યુનિયનોની છત્ર સંસ્થા યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન હેઠળ યુનિયનો હડતાળ ઉપર જવાના છે. ચીફ લેબર કમિશનર સાથેની તેમની મિટિંગ ફ્લોપ થઇ છે જેના પરિણામ સ્વરૂપે હડતાળ ઉપર જવા સિવાય તેમની પાસે કોઇ વિકલ્પ રહ્યો નથી. એઆઈબીઓસીના જનરલ સેક્રેટરી ડીટી ફ્રેન્કો દ્વારા આજે આ મુજબની માહિતી આપવામાં આવી હતી.
Published at : 21 Aug 2017 07:55 AM (IST)
Tags :
StrikeView More























