શોધખોળ કરો

8મું પગાર પંચ: આ સરકારી કર્મચારીઓને લોટરી લાગી! 8મા પગાર પંચ પહેલા મળી OPS ની ભેટ

DoPPW ના નવા આદેશથી હજારો કર્મચારીઓને મોટી રાહત; 31 ડિસેમ્બર 2003 પહેલાં રહેમરાહે (કરુણાશ્રિત) નોકરી માટે અરજી કરનારને હવે મળશે OPS નો સીધો લાભ.

DoPPW ના નવા આદેશથી હજારો કર્મચારીઓને મોટી રાહત; 31 ડિસેમ્બર 2003 પહેલાં રહેમરાહે (કરુણાશ્રિત) નોકરી માટે અરજી કરનારને હવે મળશે OPS નો સીધો લાભ.

દેશભરમાં 8મા પગાર પંચની રચના અને તેની તૈયારીઓને લઈને ચાલી રહેલી ગતિવિધિઓ વચ્ચે કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓને એક ખૂબ જ મોટી રાહત આપી છે. દેશભરના કર્મચારી સંગઠનો લાંબા સમયથી જૂની પેન્શન યોજના (OPS) ને ફરીથી લાગુ કરવાની માંગ કરી રહ્યા છે. આ વ્યાપક ચર્ચાઓ વચ્ચે, સરકારે આખરે એક ચોક્કસ વર્ગના કર્મચારીઓ માટે જૂના પેન્શનનો લાભ મેળવવાનો માર્ગ સંપૂર્ણપણે સાફ કરી દીધો છે.

1/6
પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ (DoPPW) દ્વારા 22 જૂન, 2026 ના રોજ આ સંદર્ભે એક નવો સત્તાવાર આદેશ બહાર પાડવામાં આવ્યો છે. આ નવા નિયમ મુજબ, જે પરિવારોએ 31 ડિસેમ્બર, 2003 પહેલાં રહેમરાહે (Anukampa) નોકરી મેળવવા માટે અરજી સબમિટ કરી હતી, તેમને હવે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) માંથી મુક્ત કરવામાં આવશે. આવા તમામ પાત્ર કર્મચારીઓને હવે જૂની પેન્શન યોજના (OPS) નો સીધો આર્થિક લાભ આપવામાં આવશે.
પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ (DoPPW) દ્વારા 22 જૂન, 2026 ના રોજ આ સંદર્ભે એક નવો સત્તાવાર આદેશ બહાર પાડવામાં આવ્યો છે. આ નવા નિયમ મુજબ, જે પરિવારોએ 31 ડિસેમ્બર, 2003 પહેલાં રહેમરાહે (Anukampa) નોકરી મેળવવા માટે અરજી સબમિટ કરી હતી, તેમને હવે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) માંથી મુક્ત કરવામાં આવશે. આવા તમામ પાત્ર કર્મચારીઓને હવે જૂની પેન્શન યોજના (OPS) નો સીધો આર્થિક લાભ આપવામાં આવશે.
2/6
આ મહત્વપૂર્ણ નિર્ણયથી સરકારી કચેરીઓના વહીવટી વિલંબના કારણે વર્ષો સુધી અટવાયેલા અને પરાણે NPS માં ધકેલાઈ ગયેલા હજારો કર્મચારીઓ અને તેમના પરિવારોને બહુ મોટી આર્થિક સુરક્ષા મળશે. અત્યાર સુધીના જૂના નિયમો એવા હતા કે માત્ર 1 જાન્યુઆરી, 2004 પહેલાં વાસ્તવિક નોકરીમાં જોડાયેલા કર્મચારીઓને જ જૂના પેન્શનનો લાભ મળતો હતો, પરંતુ સરકારે હવે આ પાત્રતાના માપદંડોમાં ધરમૂળથી ફેરફાર કર્યો છે.
આ મહત્વપૂર્ણ નિર્ણયથી સરકારી કચેરીઓના વહીવટી વિલંબના કારણે વર્ષો સુધી અટવાયેલા અને પરાણે NPS માં ધકેલાઈ ગયેલા હજારો કર્મચારીઓ અને તેમના પરિવારોને બહુ મોટી આર્થિક સુરક્ષા મળશે. અત્યાર સુધીના જૂના નિયમો એવા હતા કે માત્ર 1 જાન્યુઆરી, 2004 પહેલાં વાસ્તવિક નોકરીમાં જોડાયેલા કર્મચારીઓને જ જૂના પેન્શનનો લાભ મળતો હતો, પરંતુ સરકારે હવે આ પાત્રતાના માપદંડોમાં ધરમૂળથી ફેરફાર કર્યો છે.
3/6
નવા સુધારા હેઠળ સરકારે નક્કી કર્યું છે કે નોકરીમાં વાસ્તવિક રીતે જોડાવાની તારીખને ધ્યાનમાં લેવાને બદલે, નોકરી માટે 'અરજી કર્યાની તારીખ' ને જ મુખ્ય આધાર માનવામાં આવશે. સરકારે આ માટે 31 ડિસેમ્બર, 2003 ની કટ-ઓફ તારીખ નક્કી કરી છે. જો કોઈ કર્મચારીના પરિવારના સભ્યએ આ તારીખે અથવા તે પહેલાં રહેમરાહે નોકરી માટે અરજી કરી હોય અને તે સમયે તેઓ પાત્ર હોય, તો તેમને સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) નિયમો હેઠળ જૂનું પેન્શન મળવાપાત્ર થશે.
નવા સુધારા હેઠળ સરકારે નક્કી કર્યું છે કે નોકરીમાં વાસ્તવિક રીતે જોડાવાની તારીખને ધ્યાનમાં લેવાને બદલે, નોકરી માટે 'અરજી કર્યાની તારીખ' ને જ મુખ્ય આધાર માનવામાં આવશે. સરકારે આ માટે 31 ડિસેમ્બર, 2003 ની કટ-ઓફ તારીખ નક્કી કરી છે. જો કોઈ કર્મચારીના પરિવારના સભ્યએ આ તારીખે અથવા તે પહેલાં રહેમરાહે નોકરી માટે અરજી કરી હોય અને તે સમયે તેઓ પાત્ર હોય, તો તેમને સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) નિયમો હેઠળ જૂનું પેન્શન મળવાપાત્ર થશે.
4/6
આ નિર્ણય એવા પરિવારો માટે એક સંજીવની સમાન સાબિત થશે, જેમણે 2004 માં NPS લાગુ થયા પહેલાં જ સત્તાવાર અરજી તો કરી દીધી હતી, પરંતુ સરકારી કચેરીઓની ઢીલી કામગીરી કે વહીવટી વિલંબના કારણે તેમને 1 જાન્યુઆરી, 2004 પછી નિમણૂક પત્ર મળ્યા હતા. સામાન્ય રીતે જ્યારે કોઈ સરકારી કર્મચારીનું ફરજ દરમિયાન અવસાન થાય કે તબીબી કારણોસર નિવૃત્ત થવું પડે, ત્યારે તેમના પરિવારને આર્થિક સંકટમાંથી ઉગારવા માટે પરિવારના સભ્યને રહેમરાહે નોકરી આપવામાં આવે છે.
આ નિર્ણય એવા પરિવારો માટે એક સંજીવની સમાન સાબિત થશે, જેમણે 2004 માં NPS લાગુ થયા પહેલાં જ સત્તાવાર અરજી તો કરી દીધી હતી, પરંતુ સરકારી કચેરીઓની ઢીલી કામગીરી કે વહીવટી વિલંબના કારણે તેમને 1 જાન્યુઆરી, 2004 પછી નિમણૂક પત્ર મળ્યા હતા. સામાન્ય રીતે જ્યારે કોઈ સરકારી કર્મચારીનું ફરજ દરમિયાન અવસાન થાય કે તબીબી કારણોસર નિવૃત્ત થવું પડે, ત્યારે તેમના પરિવારને આર્થિક સંકટમાંથી ઉગારવા માટે પરિવારના સભ્યને રહેમરાહે નોકરી આપવામાં આવે છે.
5/6
સરકારના આ નવા આદેશથી વહીવટી ખામીઓના કારણે પરાણે NPS માં નોંધાયેલા અને પોતાના હકના પેન્શન માટે વર્ષોથી કોર્ટ અને સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહેલા હજારો કર્મચારીઓની કાયદાકીય લડતનો અંત આવશે. ઓલ ઈન્ડિયા NPS એમ્પ્લોયીઝ ફેડરેશન (AINPSEF) ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. મનજીત સિંહ પટેલે આ નિર્ણયને આવકારતા સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી છે કે 31 ડિસેમ્બર, 2003 સુધીમાં અરજી કરનાર રહેમરાહે નિમાયેલા કર્મચારીઓને OPS આપવો એ લાંબા સમયની ન્યાયિક માંગ પૂરી થવા સમાન છે, જોકે તેમણે તમામ નિવૃત્ત કર્મચારીઓ માટે બજારના ઉતાર-ચઢાવથી મુક્ત એવા 'ગેરંટીડ પેન્શન' ની નવી માંગ પણ મૂકી છે.
સરકારના આ નવા આદેશથી વહીવટી ખામીઓના કારણે પરાણે NPS માં નોંધાયેલા અને પોતાના હકના પેન્શન માટે વર્ષોથી કોર્ટ અને સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહેલા હજારો કર્મચારીઓની કાયદાકીય લડતનો અંત આવશે. ઓલ ઈન્ડિયા NPS એમ્પ્લોયીઝ ફેડરેશન (AINPSEF) ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. મનજીત સિંહ પટેલે આ નિર્ણયને આવકારતા સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી છે કે 31 ડિસેમ્બર, 2003 સુધીમાં અરજી કરનાર રહેમરાહે નિમાયેલા કર્મચારીઓને OPS આપવો એ લાંબા સમયની ન્યાયિક માંગ પૂરી થવા સમાન છે, જોકે તેમણે તમામ નિવૃત્ત કર્મચારીઓ માટે બજારના ઉતાર-ચઢાવથી મુક્ત એવા 'ગેરંટીડ પેન્શન' ની નવી માંગ પણ મૂકી છે.
6/6
વિશેષ નોંધનીય છે કે આ મહત્વનો આદેશ એવા સમયે જાહેર કરવામાં આવ્યો છે જ્યારે 23 જૂન, 2026 ના રોજ લખનૌમાં 8મા પગાર પંચની બે દિવસીય અત્યંત મહત્વની બેઠક પૂર્ણ થઈ છે. આ બેઠકમાં રેલવે, સંરક્ષણ, આરોગ્ય અને મહેસૂલ જેવા મોટા અને પ્રભાવશાળી વિભાગોના કર્મચારી સંગઠનોએ પંચ સમક્ષ પોતાની કડક માંગણીઓ રજૂ કરી હતી, જેમાં 'પેન્શન સુરક્ષા' અત્યારે સૌથી મોટો અને સળગતો મુદ્દો છે. જોકે સરકારનો આ આદેશ હાલ માત્ર રહેમરાહે નિમણૂક પામેલા કર્મચારીઓ પૂરતો જ સીમિત છે, પણ તેનાથી 8મા પગાર પંચની આગામી ચર્ચાઓમાં પેન્શન સુધારાનો મુદ્દો ફરી એકવાર ખૂબ જ ગરમાયો છે.
વિશેષ નોંધનીય છે કે આ મહત્વનો આદેશ એવા સમયે જાહેર કરવામાં આવ્યો છે જ્યારે 23 જૂન, 2026 ના રોજ લખનૌમાં 8મા પગાર પંચની બે દિવસીય અત્યંત મહત્વની બેઠક પૂર્ણ થઈ છે. આ બેઠકમાં રેલવે, સંરક્ષણ, આરોગ્ય અને મહેસૂલ જેવા મોટા અને પ્રભાવશાળી વિભાગોના કર્મચારી સંગઠનોએ પંચ સમક્ષ પોતાની કડક માંગણીઓ રજૂ કરી હતી, જેમાં 'પેન્શન સુરક્ષા' અત્યારે સૌથી મોટો અને સળગતો મુદ્દો છે. જોકે સરકારનો આ આદેશ હાલ માત્ર રહેમરાહે નિમણૂક પામેલા કર્મચારીઓ પૂરતો જ સીમિત છે, પણ તેનાથી 8મા પગાર પંચની આગામી ચર્ચાઓમાં પેન્શન સુધારાનો મુદ્દો ફરી એકવાર ખૂબ જ ગરમાયો છે.

બિઝનેસ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાં કર્ણાવતી ક્લબ પાછળ દીપડાની ચર્ચા અફવા સાબિત, વન વિભાગે શ્વાન હોવાની  પુષ્ટિ કરી
અમદાવાદમાં કર્ણાવતી ક્લબ પાછળ દીપડાની ચર્ચા અફવા સાબિત, વન વિભાગે શ્વાન હોવાની પુષ્ટિ કરી
...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો
...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો
રાજયભરમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી, શામળાજીથી બગદાણા ગુરુ આશ્રમ સુધી ભક્તોની ભીડ
રાજયભરમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી, શામળાજીથી બગદાણા ગુરુ આશ્રમ સુધી ભક્તોની ભીડ
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો
...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો
LIC Best Scheme: LICની શાનદાર યોજના, દર મહિને મળશે 7000 રૂપિયા
LIC Best Scheme: LICની શાનદાર યોજના, દર મહિને મળશે 7000 રૂપિયા
શુક્ર કરશે કન્યા રાશિમાં ગોચર, 1 ઓગસ્ટથી આ રાશિને થશે ધનલાભ, જાણો કઇ છે લકી રાશિ
શુક્ર કરશે કન્યા રાશિમાં ગોચર, 1 ઓગસ્ટથી આ રાશિને થશે ધનલાભ, જાણો કઇ છે લકી રાશિ
Embed widget