શોધખોળ કરો
નોટ પર હોળીનો રંગ લાગશે તો થશે ભારે નુકસાન, બેંકો નહીં લે 500-2000ની નોટ
1/5

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)એ 500 અને 2000 રૂપિયાની નવી નોટનો સ્વચ્છ રાખવા માટે ક્લીન નોટ પોલિસી જારી કરી છે. તે અંતર્ગત પેનથી લખેલ, રંગ લાગેલ અને ખરાબ નોટને બેંક સ્વીકારશે નહીં. એવામાં આ હોળીમાં રંગથી રમતા પહેલા ખિસ્સા જરૂર તપાસી લેવા નહીં તો નુકસાન થઈ શકે છે.
2/5

આ સંજોગોમાં આવી રહેલા હોળીનો તહેવાર ઘણી સાવધાનીથી મનાવવો અત્યંત આવશ્યક છે. મીડિયા અહેવાલ અનુસાર રૂપિયા ૫૦૦ કે ૨૦૦૦ની નોટમાં ભૂલથી પણ હોળી-ધૂળેટીનો કોઈ રંગ લાગી જશે તો એ નોટો નકકામી બની જશે. માટે જયારે હોળી રમવા જાવ ત્યારે ખિસ્સામાંથી ચલણી નોટો કાઢીને અથવા સલામત સ્થળે મૂકીને જવામાં જ હિતાવહ છે.
Published at : 10 Mar 2017 07:51 AM (IST)
View More























