Surat Demolition : સુરતમાં ડિમોલિશનને લઈ કમિશ્નરનો મોટો ખુલાસો
Surat Demolition : સુરતમાં ડિમોલિશનને લઈ કમિશ્નરનો મોટો ખુલાસો
સુરતના નાસીરનગરમા વિવાદિત ડિમોલિશન મુદ્દે મહાનગરપાલિકાનું સત્તાવાર સ્પષ્ટીકરણ. સેન્ટ્રલ ઝોનના અધિકારીઓએ ડિમોલિશન કર્યાનો મનપા કમિશ્નરે સ્વીકાર કર્યો. મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને કહ્યું 30 મેએ સેન્ટ્રલ ઝોનના અધિકારીઓએ લાઇન દોરીનો અમલ અને ડિમાર્કેશનની કામગીરી દરમ્યાન ડિમોલેશન હાથ ધરાયુ. સાથે જ તેમને કહ્યું કે હાલમાં આ મેટર હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે. જેથી આ મામલે વધારે વિચાર-વિર્મશ કરવું તે ઉચિત નથી. સુરત મહાનગરપાલિકાને પણ આ પિટિશનમાં જોડવામાં આવી છે. જે પણ કાયદાકીય પ્રક્રિયા હશે અને કોર્ટમાં જે વિગતો રજૂ કરવાની હશે તે કરવામાં આવશે અને હાઈકોર્ટનો જે પણ નિર્ણય હશે તેનો ચુસ્તપણે પાલન કરવામાં આવશે. વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ.





















