પ્રધાને કહ્યું કે, બેંક અને ઓઈલ કંપનીઓ વિચાર વિમર્સ કરી રહી છે કે આ ચાર્જને કોણ અને કેટલા ભાગે વહન કરશે. મંત્રીએ કહ્યું કે, એમડીઆર ચાર્જ આરબીઆઈના 16 ડિસેમ્બરના દિશા-નિર્દેશો અનુસાર જ લગાવવામાં આવશે.
2/5
નવી દિલ્હીઃ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, પેટ્રોલ પંપો પર ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા પેટ્રોલ-ડીઝલ ખરીદવા પર ટ્રાન્ઝેક્શન ચાર્જ બેંક અથવા ઓઈલ માર્કેટિંગ કંપનીઓ વહન કરશે.
3/5
આ નિર્ણય સ્પષ્ટ છે. મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર)નો ભાર ગ્રાહકો પર નહીં નાંખવામાં આવે. તેની સાથે જ પેટ્રોલ પંપ પણ તેની હદમાં નહીં આવે. હવે તે બેંકો અને ઓઈલ માર્કેટ કંપની પર નિર્ભર છે કે તે કેવી રીતે આ ભાર વહન કરશે.
4/5
આ મુદ્દે નાણાંકીય સેવા વિભાગે એક બેઠક બોલાવી હતી. બેઠક બાદ ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, આ એક વેપારી નિર્ણય છે અને બેંકો અને ઓઈલ કંપનીઓએ જ તેનો નિવેડો લાવવાનો છે. એમડીઆર એક ચાર્જ છે, જે બેં ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી ચૂકવણી પર મર્ચન્ટ પર લાગે છે. આ ચાર્જ ગ્રાહક પાસેથી વસુલવામાં આવે છે પરંતુ નોટબંધી બાદ સરકારે ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે તેને 30 ડિસેમ્બર 2016 સુધી માફી આપી હતી.
5/5
ત્યાર બાદ બેંકોએ એમડીઆરનો ભાર પેટ્રોલ પંપ સંચાલકો પર નાંખાનો નિર્ણય કર્યો, કારણ કે સરકારના આદેશને કારણે કાર્ડ દ્વારા પેમેન્ટ કરનાર ગ્રાહકો પર કોઈ ભાર ન નાંખી શકાય. પેટ્રોલ પંપ માલિકોએ ધમકી આપી હતી કે કાર્ડથી પેમેન્ટ લંવાનં બંધ કરશે, ત્યાર બાદ સરકારે સમજૂતીનો રસ્તો કાઢ્યો.