શોધખોળ કરો
આરકોમે રૂપિયા 11,000 કરોડમાં કેનેડાની કંપનીને ટાવર બિઝનેસ વેચ્યો
1/4

મંગળારે ફિચ રેટિંગ્સે આરકોમનું રેટિંગ ઘટાડ્યું હતું. રેટિંગ એજન્સીએ કહ્યું હતું કે એરસેલની સાથે જોઈન્ટ વેન્ચર અને ટાવર બિઝનેસ વેચવાની સમજૂતી ધિરાણકર્તા માટે નેગેટિવ છે. રિલાયન્સ કોમ્યુનિકેશન્સે કહ્યું કે, એરસેલની સાથે મર્જર અને ટાવર બિઝનેસને વેચવાથી કંપનીનું દેવું 31 હજાર કરોડ રૂપિયા ઓછું થઈ જશે. આ રકમ કુલ દેવાના 70 ટકા જેટલી થવા જાય છે.
2/4

ટાવર બિઝનેસને એક અલગ કંપનીમાં રૂપાંતરિત કરવામાં આવશે અને તેની 100 ટકા માલિકી અને સંચાલન બ્રૂકફિલ્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સ્વતંત્ર ધોરણે કરવામાં આવશે. અનિલ અંબાણીની કંપની આરકોમ તથા તેમના ભાઈ મુકેશ અંબાણીની 4જી ટેલિકોમ કંપની રિલાયન્સ જીઓ અગાઉ નિર્ધારિત શરતો અને ભાડાંની ચૂકવણી કરી તેનો લાંબાગાળા સુધી ઉપયોગ કરી શકશે.
Published at : 22 Dec 2016 08:03 AM (IST)
View More























