શોધખોળ કરો
નુકસાનથી બચવું હોય તો ત્રણ દિવસમાં કરો બેંક ફ્રોડની ફરિયાદ
1/5

આરબીઆઇના જણાવ્યા પ્રમાણે બેન્ક ખાતા અને કાર્ડમાં અનધિકૃત ટ્રાન્ઝેક્શન દ્વારા પૈસા કપાઈ જવાની ફરિયાદોમાં મોટાપાયે વધારો થયા બાદ નિર્દેશો જારી કરાયા છે. આરબીઆઇએ બેન્કોને તમામ ગ્રાહકોની એસએમએસ એલર્ટ માટે નોંધણી કરવા જણાવ્યું છે તથા પ્રત્યેક ટ્રાન્ઝેક્શનની એસએમએસ દ્વારા એલર્ટ મોકલવાની તાકીદ કરી છે.
2/5

અનધિકૃત ટ્રાન્ઝેક્શનના કેસમાં બેન્કને જાણ કર્યા પછી જે કંઈ પણ નુકસાન થાય તો તે બેન્ક ભોગવશે. નિર્દેશો મુજબ બેન્ક કે ખાતેદારની બેદરકારી હોય એવા સંજોગોમાં ગ્રાહકને હિસ્સે ઝીરો લાયાબિલિટી રહેશે. જો સાત દિવસ પછી ફ્રોડની બેન્કને જાણ કરવામાં આવશે તો બેન્કના બોર્ડ દ્વારા નક્કી કરાયેલી નીતિ અનુસાર ગ્રાહકને નુકસાની ચૂકવવામાં આવશે.
Published at : 07 Jul 2017 07:20 AM (IST)
View More























