શોધખોળ કરો
નોકરીયાત વર્ગને વધુ એક ફટકો, EPFOના વ્યાજદરમાં થયો ઘટાડો
1/3

ઉલ્લેખનીય છે કે ઈપીએફઓ દ્વારા 2016-17 માટે 8.65% વ્યાજદર નક્કી કરવામાં આવ્યો હતો. જે 2015-16માં 8.8% હતો. એટલે કે સતત બીજા વર્ષે વ્યાજ દર ઘટાડવામાં આવ્યો છે. બજેટમાં પણ નોકરીયાત અને મધ્યમ વર્ગને સરકારે કોઈ મોટી રાહત આપી નથી. ઇન્કમ ટેક્સ સ્લેબમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેથી ઈપીએફઓના આ ફેંસલાથી નોકરીયાત વર્ગ નિરાશ થશે તે નક્કી છે.
2/3

ઈપીએફઓ નાણાંકીય વર્ષ 2017-18 માટે જૂનો વ્યાજ દર જાળવી રાખશે તેવી આશા વ્યક્ત કરવામાં આવતી હતી. ઈપીએફઓના ઇક્વિટી પોર્ટફોલિયોમાં ઠીકઠાક પ્રોફિટ બુકિંગ હોવાના કારણે આમ માનવામાં આવતું હતું. આ ઉપરાંત ઈપીએફઓ દ્વારા ચાલુ મહિને 2886 કરોડ રૂપિયાના એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ વેચ્યા છે. પરંતુ સરકારે વ્યાજદરમાં ઘટાડો કર્યો હોવાથી નોકરિયાત વર્ગમાં નારાજગી છે.
Published at : 21 Feb 2018 08:01 PM (IST)
View More























