શોધખોળ કરો
મોબાઈલ કંપની એરિક્શને સુપ્રીમ કોર્ટમાં કહ્યું, અનિલ અંબાણી દેવું ના ચૂકવે તો જેલમાં નાખો
1/3

આ મામલે આરકોમ દ્વારા જણાવવામાં આવ્યું કે, એરિક્શન અને લેંડર્સનું દેવું ચુકવવામાં તેમને મોડું થઇ રહ્યું છે તેના માટે ટેલિકોમ ડીપાર્ટમેન્ટ જવાબદાર છે. ટેલિકોમ ડીપાર્ટમેન્ટ તેમની રિલાયન્સ જિયો ડીલને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ નથી આપી રહ્યું. કંપનીએ ટેલિકોમ ડીપાર્ટમેન્ટ સામે પણ અદાલતમાં અરજી દાખલ કરી છે. સુપ્રીમકોર્ટ સોમવારે બંને મામલે સુનાવણી કરશે.
2/3

નવી દિલ્હી: સ્વીડનની ટેલિકોમ ઉપકરણ બનાવતી કંપની એરિક્શને રિલાયન્સ કોમ્યુનિકેશન ચેરમેન અનિલ અંબાણી વિરુદ્ધ સુપ્રીમકોર્ટમાં પોતાની બીજી અવગણના અરજી દાખલ કરી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી તેઓ સ્વીડિશ કંપનીના 550 કરોડ રૂપિયાનું ભુગતાન નહીં કરે ત્યાં સુધી તેમને સિવિલ જેલમાં બંધ કરવામાં આવે અને તેમની વિદેશ યાત્રાઓ પર રોક લગાવવામાં આવે. અનિલ અંબાણીએ એરિક્શનના 550 કરોડ રૂપિયા તરત ચૂકવવા માટે કોર્ટમાં વ્યક્તિગત રીતે ગેરંટી લીધી હતી.
Published at : 04 Jan 2019 04:22 PM (IST)
View More





















